મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત મોરબી એસ.ટી. ડેપોના ૧૪૫થી વધુ અધિકારી-કર્મચારીઓનું આરોગ્ય સ્ક્રીનીંગ કરાયું સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના થકી મોરબીના હર્ષ બોસીયાનું MBBS કરવાનું સ્વપ્ન થયું સાકાર મોરબી જિલ્લામાં ૬૫મી સુબ્રટો મુખરજી કપ ફૂટબોલ સ્પર્ધા યોજાશે મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા
Breaking news
Morbi Today

મોરબીમાં માળીયા ફાટક પાસે ટ્રક ચાલકે હડફેટે લઈને માથું કચડી નાખતા યુવાનનું મોત


SHARE











મોરબીમાં માળીયા ફાટક પાસે ટ્રક ચાલકે હડફેટે લઈને માથું કચડી નાખતા યુવાનનું મોત

મોરબીમાં માળિયા ફાટક પાસે આવેલ ઓવરબ્રિજ નીચેથી યુવાન રોડ ક્રોસ કરી રહ્યો હતો દરમિયાન ટ્રક ચાલકે તેને હડફેટે લીધો હતો અને યુવાન રસ્તા ઉપર નીચે ટકાતા તેના ઉપરથી ટ્રકનું ક્લીનર સાઈડનું ટાયર માથા ઉપરથી ફરી ગયું હતું જેથી યુવાનને ગંભીર ઇજા થતાં તેનું મોત નીપજયું હતું અને આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના કાકાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીના ઇન્દિરાનગર વિસ્તારમાં ખોડીયાર માતાજીના ચોક પાસે રહેતા અકબરભાઈ હાજીભાઈ મોવર (35)ટ્રક નંબર જીજે 10 ઝેડ 7453 ના ચાલક સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે મોરબીમાં માળિયા ફાટક પાસે આવેલ ઓવરબ્રિજ નજીકથી તેમનો ભત્રીજો નિઝામ રહીમભાઈ મોવર (26) રોડ ક્રોસ કરીને પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો દરમિયાન ટ્રકના ચાલકે ફરિયાદીના ભત્રીજાને હડફેટે લેતા તે રસ્તા ઉપર નીચે પડી ગયો હતો અને તેના માથા ઉપરથી ટ્રકનું ક્લીનર સાઈડનું ટાયર ફરી જવાના કારણે માથામાં ગંભીર ઇજા થઈ હતી જેથી નિજામનું મોત નીપજ્યું હતું અને અકસ્માતના આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના કાકાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે અને વધુમાં મળતી વિગત પ્રમાણે મૃતક યુવાનને સંતાનોમાં બે દીકરીઓ છે જો કે, અકસ્માતના બનાવમાં યુવાનનું મોત નિપજતા બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના શનાળા રોડ ભેખડની વાડી વિસ્તારમાં રહેતો વિનોદભાઇ મોહનભાઈ પરમાર નામનો ૪૪ વર્ષનો યુવાન રાજકોટ આજીડેમ નજીક હતો ત્યાં બ્રિજ નજીક રીક્ષા સાથે અકસ્માત બનાવમાં ઈજા થઈ હોય તેને અત્રે ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. જ્યારે મોરબીના માળિયા તાલુકાના સરવડ ગામે થયેલ મારામારીમાં ઇજાઓ થયેલ હોય કિશોર દેવાંશભાઈ લોખીલ (૩૫) રહે.મોટા દહીંસરા તા.માળીયા મિંયાણાને સારવાર માટે અત્રે સિવિલે ખસેડાયો હતો.  મોરબીના હળવદ પાસે આવેલા ચરાડવા ગામે બાઈક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જે બનાવવામાં શંકર ગણેશભાઈ ચાવડા (૬૪) અને મગનભાઈ નથુભાઈ ચાવડા (૬૩) રહે.બંને ચરડવાને ઇજા થયેલ હોય મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવા આવ્યા હતા.






Latest News