મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં આજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત મોરબીમાં મંગેતર સાથે રસોઇ બનાવવા બાબતે બોલાચાલી બાદ યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક કારખાનામાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત: બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં માળીયા ફાટક પાસે ટ્રક ચાલકે હડફેટે લઈને માથું કચડી નાખતા યુવાનનું મોત


SHARE













મોરબીમાં માળીયા ફાટક પાસે ટ્રક ચાલકે હડફેટે લઈને માથું કચડી નાખતા યુવાનનું મોત

મોરબીમાં માળિયા ફાટક પાસે આવેલ ઓવરબ્રિજ નીચેથી યુવાન રોડ ક્રોસ કરી રહ્યો હતો દરમિયાન ટ્રક ચાલકે તેને હડફેટે લીધો હતો અને યુવાન રસ્તા ઉપર નીચે ટકાતા તેના ઉપરથી ટ્રકનું ક્લીનર સાઈડનું ટાયર માથા ઉપરથી ફરી ગયું હતું જેથી યુવાનને ગંભીર ઇજા થતાં તેનું મોત નીપજયું હતું અને આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના કાકાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીના ઇન્દિરાનગર વિસ્તારમાં ખોડીયાર માતાજીના ચોક પાસે રહેતા અકબરભાઈ હાજીભાઈ મોવર (35)ટ્રક નંબર જીજે 10 ઝેડ 7453 ના ચાલક સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે મોરબીમાં માળિયા ફાટક પાસે આવેલ ઓવરબ્રિજ નજીકથી તેમનો ભત્રીજો નિઝામ રહીમભાઈ મોવર (26) રોડ ક્રોસ કરીને પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો દરમિયાન ટ્રકના ચાલકે ફરિયાદીના ભત્રીજાને હડફેટે લેતા તે રસ્તા ઉપર નીચે પડી ગયો હતો અને તેના માથા ઉપરથી ટ્રકનું ક્લીનર સાઈડનું ટાયર ફરી જવાના કારણે માથામાં ગંભીર ઇજા થઈ હતી જેથી નિજામનું મોત નીપજ્યું હતું અને અકસ્માતના આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના કાકાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે અને વધુમાં મળતી વિગત પ્રમાણે મૃતક યુવાનને સંતાનોમાં બે દીકરીઓ છે જો કે, અકસ્માતના બનાવમાં યુવાનનું મોત નિપજતા બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના શનાળા રોડ ભેખડની વાડી વિસ્તારમાં રહેતો વિનોદભાઇ મોહનભાઈ પરમાર નામનો ૪૪ વર્ષનો યુવાન રાજકોટ આજીડેમ નજીક હતો ત્યાં બ્રિજ નજીક રીક્ષા સાથે અકસ્માત બનાવમાં ઈજા થઈ હોય તેને અત્રે ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. જ્યારે મોરબીના માળિયા તાલુકાના સરવડ ગામે થયેલ મારામારીમાં ઇજાઓ થયેલ હોય કિશોર દેવાંશભાઈ લોખીલ (૩૫) રહે.મોટા દહીંસરા તા.માળીયા મિંયાણાને સારવાર માટે અત્રે સિવિલે ખસેડાયો હતો.  મોરબીના હળવદ પાસે આવેલા ચરાડવા ગામે બાઈક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જે બનાવવામાં શંકર ગણેશભાઈ ચાવડા (૬૪) અને મગનભાઈ નથુભાઈ ચાવડા (૬૩) રહે.બંને ચરડવાને ઇજા થયેલ હોય મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવા આવ્યા હતા.






Latest News