મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરનો ભવ્ય જીર્ણોધાર મહોત્સવ-સંતવાણીનું આયોજન મોરબી જીલ્લામાં બહારથી આવેલા કર્મચારી-શ્રમિકોની નજીકના પોલીસ મથકમાં માહિતી આપવા માટે જાહેરનામુ પ્રસિદ્ધ મોરબી જિલ્લામાં ફેબ્રુઆરી માહિનામાં હથિયારબંધી: ચારથી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ નલ સે જલ અભિયાન: મોરબીના લાલાપર ગામે પાણીની ટાંકી-પમ્પિંગ મશીનરીનું લોકાર્પણ કરતાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ પોકસોનો કેસમાં ગુનો સાબિત ન થતાં આરોપીનો નિર્દોષ છુટકારો મોરબીની પી.જી.પટેલ કોલેજમાં CA બનવા ઇચ્છુક યુવક-યુવતીઓ માટે કાલે સેમિનાર યોજાશે 2047 ના વિકસિત ભારતને ધ્યાનમાં રાખીને રજૂ કરાયેલ કેન્દ્ર સરકારના બજેટને મોરબીમાં રહેતા માજી મંત્રી મોહનભાઇ કુંડારિયાએ આવકારયું મોરબીના આંદરણા ગામે એલઆઇસી પોલિસી સર્વિસ કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ પોકસોનો કેસમાં ગુનો સાબિત ન થતાં આરોપીનો નિર્દોષ છુટકારો


SHARE











મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ પોકસોનો કેસમાં ગુનો સાબિત ન થતાં આરોપીનો નિર્દોષ છુટકારો

મોરબીની કોર્ટમાં પોકસોનો કેદ ચાલી ગયો હતો જેમાં ફરિયાદી પક્ષ કેસ સાબિત કરવામાં નિષ્ફળ જતા પોકસો કોર્ટે આરોપી જયેશભાઈ રમેશભાઈ સોલંકીને તમામ આરોપોમાંથી નિર્દોષ જાહેર કરીને છોડી મૂકવા માટેનો હુકમ કરેલ છે.

આ કેસની મળતી માહિતી મુજબ ગત તા. 5/11/2023 ના રોજ સવારે આરોપી દ્વારા ફરીયાદીની સગીર દીકરીનું લલચાવી-ફોસલાવી અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ તેની સાથે  પાટણ, અમદાવાદ વિગેરે સ્થળે શરીર સંબંધ બાંધવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરીને મોરબી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી જેથી પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો. જે ગુનામાં પોલીસે આરોપીની ધરપકડ કરી હતી અને આ કેસની મોરબીની કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં ફરીયાદપક્ષ તરફથી રજૂ કરાયેલા પુરાવાઓમાં બનાવ સમયે ભોગબનનાર ખરેખર સગીર હતી તેવું પુરવાર કરવામાં નિષ્ફળ ગયેલ, ડોકટરના પુરાવામાં ભોગ બનનાર સાથે જોરજબરદસ્તી કે બળજબરીપુર્વક કોઈપણ પ્રકારનું દુષ્કૃત્ય આચરવામાં આવેલ હોય તેવો લેશમાત્ર પુરાવો રજુ કરવામાં આવેલ નથી, તપાસ કરનાર અધીકારી વીગેરેની જુબાની લેવામાં આવેલ જે તમામ પુરાવાના અંતે આરોપી વકીલ જે.ડી.સોલંકી, પી.ડી.પરમાર દ્વારા એવી દલીલ કરવામાં આવી હતી કે, ફરીયાદપક્ષના નિવેદનો પરસ્પર વિરોધાભાસી છે અને ભોગબનનાર, તેના પરિવારજનો તેમજ અન્ય સ્વતંત્ર સાક્ષીઓએ ફરીયાદના આક્ષેપોને સમર્થન આપ્યું નથી.

બન્ને પક્ષકારોની વિસ્તૃત દલીલોને ધ્યાને રાખીને કોર્ટે આરોપ સામેનો પોકસો એક્ટ હેઠળનો ગુનો સાતત્યસભર, વિશ્વસનીય અને આધારભૂત પુરાવાથી પુરવાર થતો નથી. જેના આધારે આરોપી જયેશભાઈ રમેશભાઈ સોલંકીને પોકસો સહિતના શિક્ષાપાત્ર ગુનામાંથી નિર્દોષ છોડવાનો હુકમ કરેલ છે આ આ કેસમાં બચાવ પક્ષે મોરબી જિલ્લાના યુવા વકીલ જે.ડી.સોલંકી, જયેશ પટેલ તથા પી.ડી.પરમારરોકાયેલ હતા અને તેઓએ દલીલો કરી હતી જ્યારે તેમની સાથે વકીલ મયુર ઊભડિયા, દીપક મકવાણા, નીલેશ ચાવડા, હસમુખ ચાવડા, આરતી અમૃતિયા, જીતેન્દ્ર વાઢેર, વીરલ છનિયારા અને જયકાંત મકવાણા પણ જોડાયેલા છે.






Latest News