ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

2047 ના વિકસિત ભારતને ધ્યાનમાં રાખીને રજૂ કરાયેલ કેન્દ્ર સરકારના બજેટને મોરબીમાં રહેતા માજી મંત્રી મોહનભાઇ કુંડારિયાએ આવકારયું


SHARE











2047 ના વિકસિત ભારતને ધ્યાનમાં રાખીને રજૂ કરાયેલ કેન્દ્ર સરકારના બજેટને મોરબીમાં રહેતા માજી મંત્રી મોહનભાઇ કુંડારિયાએ આવકારયું

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા જે કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવ્યો તેને કેન્દ્ર સરકારના માજી મંત્રી મોહનભાઈ કુંડારીયા દ્વારા આવકારવામાં આવ્યું છે અને વિકસિત ભારતના સપનાને સાકાર કરનાર બજેટ રજૂ કરવા બદલ વડાપ્રધાન તેમજ કેન્દ્ર સરકારને અભિનંદન આપ્યા હતા.

મોરબીમાં રવાપર ચોકડી પાસે આવેલ કેપિટલ માર્કેટ ખાતે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની ઓફિસ ખાતે આજે આ પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમાં માજી કેન્દ્રિય મંત્રી મોહનભાઈ કુંડારીયા, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, તાલુકા ભાજપના માજી પ્રમુખ અરવિંદભાઇ વાસદડિયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા ત્યારે પત્રકારોને સંબોધતા મોહનભાઈ કુંડારીયાએ જણાવ્યુ હતું કે, તાજેતરમાં કેન્દ્ર સરકારના નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા સતત નવમી વખત કેન્દ્ર સરકારનું બજેટ રજૂ કર્યું હતું અને ખાસ કરીને દરેક વર્ગના લોકોને ધ્યાને રાખીને વિકસિત ભારતના સપનાને સાકાર કરનારું બજેટ રજૂ કરવામાં આવ્યું છે જેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભારત સરકારનો આભાર વ્યક્ત કરીને બજેટને આવકારયું હતું અને ખાસ કરીને તેઓને કહ્યું હતું તે તેઓ વર્ષ 2014માં પહેલી વખત સાંસદ બન્યા હતા ત્યારે દેશનું નાણાકીય વર્ષનું બજેટ માત્ર 17 લાખ કરોડ રુપિયાનું હતું જો કે, તાજેતરમાં જે બજેટ રજૂ કરવાં આવ્યું છે તે 53 લાખ કરોડ રુપિયાનું છે આમ વર્ષ 2047 ના વિકસિત ભારતને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલ બજેટને આવકારીને સરકારને અભિનંદન આપ્યા હતા.






Latest News