​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ મોરબીના મકનસર પાસે પ્રેમજીનગરમાં ઘરમાંથી 1104 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબીના શનાળા રોડે રહેતા યુવાને મચ્છુ-3 ડેમમાં ઝંપલાવીને કર્યો આપઘાત હાજરી કૌભાંડ: મોરબી મહાપાલિકામાં કામ ન કરતાં રોજમદાર કર્મચારીઓની ભરાઈ જતી ઓનલાઈન હાજરી !, 13 સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

શિક્ષણ માટે સમર્પણ: માળીયા મિયાણાના ખેડૂતે પ્રાથમિક શાળા માટે પોતાની કિંમતી જમીન દાનમાં આપી


SHARE













શિક્ષણ માટે સમર્પણ: માળીયા મિયાણાના ખેડૂતે પ્રાથમિક શાળા માટે પોતાની કિંમતી જમીન દાનમાં આપી


આજના ભૌતિકવાદી યુગમાં જ્યાં લોકો નાની અમથી મિલકત માટે વિવાદો કરતા હોય છે,ત્યારે મોરબી જિલ્લાના માળીયા મિયાણા તાલુકાના એક પ્રગતિશીલ અને ઉદાર મનના ખેડૂતે માનવતા અને શિક્ષણ પ્રત્યેના પ્રેમોનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.માળીયા મિયાણાના ખેડૂત સુભાનભાઈ બાવાભાઈ સંધવાણીએ પોતાની હક માલીકીની કિંમતી જમીન ગામના બાળકોના ભવિષ્ય માટે, એટલે કે પ્રાથમિક શાળા બનાવવા માટે સરકારને દાનમાં અર્પણ કરી છે.
પ્રજાસત્તાક પર્વે વિશેષ સન્માન
સુભાનભાઈના આ ભગીરથ કાર્યની કદર રૂપે, તાલુકા કક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી દરમિયાન મામલતદાર દ્વારા તેમનું જાહેર મંચ ઉપરથી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.તિરંગાની સાક્ષીમાં જ્યારે આ ખેડૂતનું સન્માન થયું ત્યારે ઉપસ્થિત સૌ કોઈની આંખોમાં આદરનો ભાવ જોવા મળ્યો હતો.આજના સમયમાં જ્યારે કોઈ એક રૂપિયો પણ જતો કરવા તૈયાર નથી, ત્યારે સુભાનભાઈએ પોતાની જમીન દાનમાં આપીને સાબિત કર્યું છે કે "દાન એ જ સાચી કમાણી છે." આ સમાચાર વાયુવેગે પ્રસરતા સમગ્ર પંથકમાં તેમની વાહ-વાહી થઈ રહી છે."બાળકો ભણી-ગણીને આગળ વધે અને ગામનું નામ રોશન કરે તે જ મારો મુખ્ય ઉદ્દેશ્ય છે. જમીન તો આજે છે ને કાલે નથી, પણ શિક્ષણ થકી મળેલી જ્ઞાનની જ્યોત પેઢીઓ સુધી ટકશે." તેમ સુભાનભાઈ સંધવાણીએ જણાવ્યું હતું.ગામના આગેવાનો અને શિક્ષણ પ્રેમીઓએ સુભાનભાઈનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ જમીન ઉપર બનનારી શાળા આવનારા સમયમાં અનેક તેજસ્વી તારલાઓ તૈયાર કરશે.સુભાનભાઈનું આ કાર્ય સમાજ માટે પ્રેરણારૂપ બની રહેશે.






Latest News