મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરનો ભવ્ય જીર્ણોધાર મહોત્સવ-સંતવાણીનું આયોજન મોરબી જીલ્લામાં બહારથી આવેલા કર્મચારી-શ્રમિકોની નજીકના પોલીસ મથકમાં માહિતી આપવા માટે જાહેરનામુ પ્રસિદ્ધ મોરબી જિલ્લામાં ફેબ્રુઆરી માહિનામાં હથિયારબંધી: ચારથી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ નલ સે જલ અભિયાન: મોરબીના લાલાપર ગામે પાણીની ટાંકી-પમ્પિંગ મશીનરીનું લોકાર્પણ કરતાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ પોકસોનો કેસમાં ગુનો સાબિત ન થતાં આરોપીનો નિર્દોષ છુટકારો મોરબીની પી.જી.પટેલ કોલેજમાં CA બનવા ઇચ્છુક યુવક-યુવતીઓ માટે કાલે સેમિનાર યોજાશે 2047 ના વિકસિત ભારતને ધ્યાનમાં રાખીને રજૂ કરાયેલ કેન્દ્ર સરકારના બજેટને મોરબીમાં રહેતા માજી મંત્રી મોહનભાઇ કુંડારિયાએ આવકારયું મોરબીના આંદરણા ગામે એલઆઇસી પોલિસી સર્વિસ કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

શિક્ષણ માટે સમર્પણ: માળીયા મિયાણાના ખેડૂતે પ્રાથમિક શાળા માટે પોતાની કિંમતી જમીન દાનમાં આપી


SHARE











શિક્ષણ માટે સમર્પણ: માળીયા મિયાણાના ખેડૂતે પ્રાથમિક શાળા માટે પોતાની કિંમતી જમીન દાનમાં આપી


આજના ભૌતિકવાદી યુગમાં જ્યાં લોકો નાની અમથી મિલકત માટે વિવાદો કરતા હોય છે,ત્યારે મોરબી જિલ્લાના માળીયા મિયાણા તાલુકાના એક પ્રગતિશીલ અને ઉદાર મનના ખેડૂતે માનવતા અને શિક્ષણ પ્રત્યેના પ્રેમોનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.માળીયા મિયાણાના ખેડૂત સુભાનભાઈ બાવાભાઈ સંધવાણીએ પોતાની હક માલીકીની કિંમતી જમીન ગામના બાળકોના ભવિષ્ય માટે, એટલે કે પ્રાથમિક શાળા બનાવવા માટે સરકારને દાનમાં અર્પણ કરી છે.
પ્રજાસત્તાક પર્વે વિશેષ સન્માન
સુભાનભાઈના આ ભગીરથ કાર્યની કદર રૂપે, તાલુકા કક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી દરમિયાન મામલતદાર દ્વારા તેમનું જાહેર મંચ ઉપરથી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.તિરંગાની સાક્ષીમાં જ્યારે આ ખેડૂતનું સન્માન થયું ત્યારે ઉપસ્થિત સૌ કોઈની આંખોમાં આદરનો ભાવ જોવા મળ્યો હતો.આજના સમયમાં જ્યારે કોઈ એક રૂપિયો પણ જતો કરવા તૈયાર નથી, ત્યારે સુભાનભાઈએ પોતાની જમીન દાનમાં આપીને સાબિત કર્યું છે કે "દાન એ જ સાચી કમાણી છે." આ સમાચાર વાયુવેગે પ્રસરતા સમગ્ર પંથકમાં તેમની વાહ-વાહી થઈ રહી છે."બાળકો ભણી-ગણીને આગળ વધે અને ગામનું નામ રોશન કરે તે જ મારો મુખ્ય ઉદ્દેશ્ય છે. જમીન તો આજે છે ને કાલે નથી, પણ શિક્ષણ થકી મળેલી જ્ઞાનની જ્યોત પેઢીઓ સુધી ટકશે." તેમ સુભાનભાઈ સંધવાણીએ જણાવ્યું હતું.ગામના આગેવાનો અને શિક્ષણ પ્રેમીઓએ સુભાનભાઈનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ જમીન ઉપર બનનારી શાળા આવનારા સમયમાં અનેક તેજસ્વી તારલાઓ તૈયાર કરશે.સુભાનભાઈનું આ કાર્ય સમાજ માટે પ્રેરણારૂપ બની રહેશે.






Latest News