ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબીના કૈલાસનગરમાં મંજૂરી વગર ચાલતા 11 મકાનનું બાંધકામોને સીલ કરતી મહાપાલિકા


SHARE











મોરબીના કૈલાસનગરમાં મંજૂરી વગર ચાલતા 11 મકાનનું બાંધકામોને સીલ કરતી મહાપાલિકા

મોરબી શહેરી વિસ્તારની અંદર ગેરકાયદેસર બાંધકામો કરવામાં આવતા હોય ત્યાં મહાપાલિકાની ટીમ દ્વારા હવે સીલ મારવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે દરમિયાન મોરબીના કૈલાસનગર વિસ્તારની અંદર રહેણાંક મકાન માટેના મંજૂરી વગરના ગેરકાયદે બાંધકામો કરવામાં આવી રહ્યા હતા જેથી  મહાપાલીકાની ટીમ દ્વારા સ્થળ ઉપર જઈને ગેરકાયદે બાંધકામોને સીલ કરવામાં આવ્યા છે અને શહેરના કોઈપણ વિસ્તારમાં મંજૂરી વગર બાંધકામો કરવામાં આવતા હશે તો આ જ પ્રકારે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવુ અધિકારીએ જણાવેલ છે.

મોરબી મહાપાલિકાની ટીમ દ્વારા થોડા દિવસો અગાઉ નાની કેનાલ રોડ ઉપર એપાર્ટમેન્ટનું બાંધકામ મંજૂરી વગર ગેરકાયદે કરવામાં આવતું હોવાના કારણે ત્યાં નોટિસ આપવામાં આવી હતી ત્યારબાદ તે બાંધકામ ચાલુ રાખવામાં આવતા મહાપાલિકાની ટીમે સ્થળ ઉપર જઈને બાંધકામને સીલ મારેલ છે આવી જ રીતે મોરબીના રણછોડ નગર વિસ્તારની અંદર અમરેલી નજીક કૈલાસનગર વિસ્તારમાં મંજૂરી વગર 11 રહેણાંક મકાન માટેનું બાંધકામ કરવામાં આવી રહ્યું હતું અને ત્યાં અગાઉ નોટિસ આપવામાં આવી હતી છતાં બાંધકામ કરવામાં આવી રહ્યું હતું જેથી કરીને મહાપાલીકાની ટીમ દ્વારા સ્થળ ઉપર જઈને ગેરકાયદેસર બાંધકામ રોકવા માટે થઈને મંજૂરી વગર ચાલી રહેલા બાંધકામની સાઈટ ઉપર સીલ મારી દેવામાં આવ્યું છે વધુમાં અધિકારીએ જણાવ્યું હતું કે મંજૂરી વગર કે નિયમ વિરોધનુ કોઈ પણ પ્રકારનું બાંધકામ કરનાર સામે હવે મહાપાલિકાની ટીમ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે અને ગેરકાયદેસર બાંધકામ કોઈપણ પ્રકારની છૂટછાટ આપવામાં આવશે નહીં જેથી શહેરીજનો દ્વારા બાંધકામ કરતાં પૂર્વે મહાપાલિકાની જરૂરી મંજૂરી મેળવી લીધા બાદ વિકાસ કામ શરૂ કરવામાં આવે તે જરૂરી છે નહીં તો નોટીસ અને મિલકત સીલ કરવા સુધીના પગલા મહાપાલિકા દ્વારા લેવામાં આવશે.






Latest News