મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ માળીયા (મી)માં હત્યાના બનાવમાં મૃત્યુ પામેલ પિતાની યાદ આવતી હોય સગીરાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક હવા ભરતા સમયે ટ્રકનું ટાયર ફાટતા ઈજા પામેલ યુવાનનું મોત મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના મનોદિવ્યાંગ બાળકે અમરનાથ યાત્રા પૂર્ણ કરી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, હવે રાષ્ટ્રીય સ્તરે રોલ મોડલ


SHARE











મોરબીના મનોદિવ્યાંગ બાળકે અમરનાથ યાત્રા પૂર્ણ કરી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, હવે રાષ્ટ્રીય સ્તરે રોલ મોડલ

મોરબીમાંજ જન્મેલ મનોદિવ્યાંગ બાળક જય ઓરિયા ૭૫ ટકા દિવ્યાંગ હોવા છતાં સમયસરની માતા-પિતાની યોગ્ય કેળવણી અને કાળજી દ્વારા મનોદિવ્યાંગ હોવા છતાં તેની જીવન પ્રગતિમાં અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરેલ છે.

જય ઓરિયાએ ફીઝીક્લ ફિટનેસ અને પૂર્ણ આત્મવિશ્વાસ સાથે બે વર્લ્ડ રેકોર્ડ  બનાવીને પોતાની ઓળખ સ્થાપિત કરેલ છે.૨૦૨૫ માં પહેલગામથી બાલતાલના રૂટ ઉપર દિવ્યાંગ તરીકે મેડીકલ ફિટનેસ પાસ કરી આ યાત્રાની મંજુરી મેળવી તેના પિતા સાથે દુર્લભ ગણાતી કઠીન અમરનાથ યાત્રા પૂર્ણ કરનાર મનોદિવ્યાંગ બાળક તરીકે વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવી મોરબીનું ગૌરવ વધાર્યું છે.જય ઓરિયા ૨૦૨૪ કેદારનાથ યાત્રા અને ૨૦૨૫ માં અમરનાથ યાત્રા પૂર્ણ કરનાર દિવ્યાંગ બાળક તરીકે બે રેકોર્ડ બનાવ્યા છે જે મોરબીનું ગૌરવ કહેવાય.રાષ્ટ્રીય સ્તરે પોતાની વિશિષ્ટ પ્રતિભામૂજબ  અનેક પુરસ્કાર મેળવી હવે પછી  નો ગોલ "હિમાલય બેઝ કેમ્પ" નો છે.

પડકારોનો સામનો કરીને સમાધાનકારી વિકલ્પો દ્વારા મનોદિવ્યાંગ હોવા છતાં પણ પોતાના જીવનમાં કોઈ અપૂર્ણતા ન રહે તેવા પ્રયત્નો કર્યા છે અને પરમાત્માની પણ કૃપા રહી છે કે  ટ્રેકિંગ અને એડવેન્ચર દરમ્યાન કોઈ કુદરતી આફતો અવરોધરૂપ નથી બની, નહીતર મનો દિવ્યાંગ બાળક માટે આ રૂટ જોખમી કહેવાય.વ્યક્તિત્વ તરીકે પોતે બોલી ન શકતો હોવા છતાંય બહોળો મિત્ર વર્ગ ધરાવે છે, જય ઓરિયા મનો દિવ્યાંગ બાળકો માટે રોલ મોડલ બની જીવનમાં પ્રગતિ કરતો રહે, જો દિવ્યાંગ બાળક ને સપોર્ટેડ પર્સન,સુપર પેરેન્ટ્સ મળે તો તેની પ્રગતિ સંભવ બની શકે છે






Latest News