મોરબીના બાયપાસ રોડ ઉપરથી 10 જેટલા કાચા પાકા દબાણોને મનપાની ટીમે તોડી પાડ્યા મોરબીમાં ઘરેલુ હિંસાથી પીડિત સગર્ભા મહિલાને અજુગતુ પગલુ ભરતા બચાવતી 181 અભયમ ટીમ વાંકાનેરમાં મંદિરના નવનિર્માણના નામે જુદાજુદા બે લક્કી ડ્રોની ટિકિટોનું વેચાણ કરતો એજન્ટ પકડાયો: 13 સામે ગુનો નોંધાયો મોરબીના નીચી માંડલ પાસે રોડ ક્રોસ કરતાં યુવાનને ડમ્પર ચાલકે હડફેટે લેતા પગમાં 3 ફ્રેકચર: વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા ટંકારાના સાવડી ગામ પાસે બાઇક ચાલકે સાયકલને ટક્કર મારતા ઇજા પામેલા આધેડનું સારવારમાં મોત વાંકાનેર-માળીયા તાલુકા અને મોરબી શહેરમાં વિદેશી દારૂની 4 રેડ: દારૂની નાની મોટી 30 બોટલ કબ્જે માળીયા (મી)ના નવલખી પોર્ટ ખાતે કાકા સાથે રહેતા સગીરને બે દિવસ પછી રાજકોટ માતા પાસે જવાનું કહેતા અતિંમ પગલુ ભર્યુ-મોત મોરબીના સોખડા ગામે ઘરેથી નીકળી ગયેલ માનસિક બીમાર યુવાનનો ખેતરમાંથી કોહવાય ગયેલ હાલતમાં મૃતદેહ મળ્યો: વાંકનેરમાં વૃદ્ધનું બીમારી સબબ મોત
Breaking news
Morbi Today

મોરબીની આયુષ હોસ્પિટલમાં 90 વર્ષના દર્દીની સફળ સારવાર કરીને નવજીવન આપ્યું


SHARE











મોરબીની આયુષ હોસ્પિટલમાં 90 વર્ષના દર્દીની સફળ સારવાર કરીને નવજીવન આપ્યું

મોરબીની આયુષ હોસ્પિટલના ક્રીટિકલ કેર સ્પેશ્યાલિસ્ટ ડૉ. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 90 વર્ષના વયોવૃધ્ધ દર્દીને સારવાર આપીને અત્યંત ગંભીર બિમારીમાંથી બહાર લાવી નવજીવન અપાયુ છે

ગત 15 જાન્યુઆરી, 2026 ના રોજ એક 90 વર્ષના દર્દી મોરબીની આયુષ હોસ્પિટલમાં ઇમરજન્સી વિભાગમાં અર્ધ બેભાન હાલતમાં આવ્યા હતા જ્યારે દર્દીને લઈને આવ્યા હતા ત્યારે તેમનુ ઓકિસજન લેવલ માત્ર 68 ટકા હતુ તેમજ શ્વસનક્રિયા પણ ખૂબજ ગંભીર જણાતા તેમને તાત્કાલીક વેન્ટીલેટર પર મૂકવામાં આવ્યા હતા જો કે, ડૉ. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વધુ તપાસ કરતા સામે આવ્યું હતું કે, તેમના  ફેફસામાં અતિશય ચેપ ફેલાયેલો છે, ફેફસા સાવ નબળા પડી ગયા છે, જીવનનુ પણ જોખમ હોય છે અને હૃદયના ધબકારા અતિશય અનિયમિત થઇ ગયા છે, બીપી પણ ખૂબ ઓછુ હોય બીપી વધારવાના ઇન્જેકશનનો ખૂબ વધારે ડોઝ આપવો પડયો હતો અને આમ 90 વર્ષની ઉંમર દર્દી હોવા છતાં ગંભીર પરિસ્થિતિ હોય ડૉ. સત્યજીતસિંહ જાડેજાએ તેઓનુ સચોટ નિદાન કરીને સફળતા પૂર્વક સારવાર આપી હતી જેથી માત્ર એક અઠવાડિયામાં દર્દીને હોસ્પિટલમાંથી રજા કરવામાં આવી છે અને દર્દિ તેમજ તેમના સગા દ્વારા ડો, જાડેજા અને આયુષ હોસ્પિટલનો આભાર વ્યક્ત કર્યો હતો. આમ આયુષ્ય હોસ્પિટલમા ડૉ. સત્યજીતસિંહ જાડેજાના નેતૃત્વમાં સતત સફળતા પૂર્વક સારવાર કરવામાં આવી રહી હોય ઘણા દર્દીઓને ગંભીર બીમારીમાંથી મુકિત મળી છે અને નવજીવન મળ્યું છે.






Latest News