હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના નાગડાવાસ ગામે વાડીની બાજુમાં આવેલ તલાવડામાં ડૂબી જવાથી 4 વર્ષના બાળકનું મોત


SHARE











મોરબીના નાગડાવાસ ગામે વાડીની બાજુમાં આવેલ તલાવડામાં ડૂબી જવાથી 4 વર્ષના બાળકનું મોત

મોરબી તાલુકાના નાગડાવાસ ગામે વાડીની બાજુમાં આવેલ પાણી ભરેલા તલાવડામાં ડૂબી જવાના કારણે ચાર વર્ષના બાળકનું મોત નીપજયું હતું જેથી તેના મૃતદેને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અને એકના એક દીકરાનું અચાનક મૃત્યુ નિપજતા પરિવાર ઉપર આભ ફાટી પડ્યું હતું.

મૂળ એમપીના રાજગઢ જિલ્લાના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના નાગડાવાસ ગામે રહેતા અને વાડીમાં મજૂરી કામ કરતાં અનુભાઈ પરમારનો ચાર વર્ષનો દીકરો પિયુષ પરમાર વાડીની બાજુમાં આવેલ તલાવડામાં ભરેલા પાણીમાં રમતા રમતા ડૂબી ગયો હતો જેથી કરીને તે બાળકનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ નિરવભાઈ મકવાણાએ કરી હોય તેની પાસેથી મળેલ માહિતી મુજબ અનુભાઈ પરમારને બે દીકરી અને એક દીકરો એમ કુલ ત્રણ સંતાન હતા જે પૈકી દીકરો પિયુષ તલાવડાના પાણીમાં ડૂબી જવાના કારણે મોત નીપજયું છે.

મારામારીમાં ઇજા

મોરબીના ઘૂટું રોડ ઉપર આવેલ મફતપરામાં રહેતા સુનિલ કાનજીભાઈ અખીયાણી (22) નામના યુવાનને ત્રાજપર પાસે મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

મારામારીમાં ઇજા

મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા આસીફ હુસેનભાઇ સુમરા (20) નામના યુવાનને મામાદેવના મંદિર પાસે મારામારીના બનાવમાં ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી છે






Latest News