ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબીમાં લોકાર્પણ પહેલા જ ખંઢેર થઈ ગયેલા આવાસ મુદે કાલે આપ દ્વારા મુખ્યમંત્રીને કરાશે રજૂઆત


SHARE











મોરબીમાં લોકાર્પણ પહેલા જ ખંઢેર થઈ ગયેલા આવાસ મુદે કાલે આપ દ્વારા મુખ્યમંત્રીને કરાશે રજૂઆત

મોરબીમાં દલવાડી સર્કલ પાસે નગરપાલિકા દ્વારા IHSDP યોજના હેઠળ આશરે 10 વર્ષ પહેલા 500 થી વધુ કવાર્ટર બનાવવામાં આવેલ છે જો કે, તે હજુ સુધી લાભાર્થીઓને સોંપવામાં આવેલ નથી ત્યાર ખંઢેર જેવા થઈ ગયા છે. ત્યારે આ બાબતે આપના આગેવાન દ્વારા લાભાર્થીઓને સાથે રાખીને કાલે મોરબી આવી રહેલા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવશે.

મોરબીના શ્રમજીવી પરિવારો અને નબળા પરિવારોને 2 રૂમ, રસોડું અને જાજરૂ વાળા મકાનો પૂરા પાડવાના આશ્રય સાથે સરકારી યોજના હેઠળ આ મકાનો બનાવવામાં આવ્યા હતા અને જો કે, હજુ સુધી કામ સો ટકા પૂર્ણ કરવામાં આવ્યું નથી અને લાભાર્થીઓને મકાનનો કબ્જો આપવામાં આવેલ નથી. છેલ્લા 9 વર્ષથી આ મકાન પડતર હાલતમાં છે અને સરકારી ગ્રાન્ટ રૂપે પ્રજાના રુપિયાનું પાણી કરવામાં આવ્યું છે આટલું જ નહીં આ ફ્લેટના લાભાર્થીઓ પાસેથી નગરપાલિકા દ્વારા પૈસાનું ઉઘરાણું કરી નાખેલ હોય છતાં પણ આવાસોનું લોકાર્પણ કરવામાં આવેલ નથી. તેવી માહિતિ આમ આદમી પાર્ટીના મોરબી જિલ્લાના પ્રભારી પંકજભાઈ રાણસરિયાએ આપેલ છે. વધુમાં એવો આક્ષેપ કરેલ છે કે, અત્યાર સુધી મોરબીના ચૂંટાયેલા સ્થાનિક નેતાઓ તેમજ તંત્ર લાભાર્થીઓને કવાર્ટરની સુવિધા આપવામાં સંપૂર્ણપણે નિષ્ફળ નીવળ્યું છે. ત્યારે ગરીબ પરિવારોને ન્યાય અપાવવા માટે થઈ આમ આદમી પાર્ટીના નેતા પંકજભાઈ રાણસરિયા તેમની ટીમ સાથે પીડિત પરિવારોને સાથે રાખી કાલે શનિવારે મુખ્યમંત્રી મોરબી આવી રહ્યા છે ત્યારે રજૂઆત કરશે અને ગરીબ પરિવારોને ન્યાય માટેની માંગ કરશે.






Latest News