મોરબીના અજય લોરીયાની ક્રાઈમ કુંડળી સાથે સિરામિક ઉદ્યોગકારો-પાટીદાર સમાજના આગેવાનોએ એસપીને કરી રજૂઆત: ભોગ બનેલા લોકોને ફરિયાદ કરવા આહ્વાન મોરબી જિલ્લામાં ત્રણ તાલુકા પંચાયત, ત્રણેય તાલુકાની જિલ્લા પંચાયતની બેઠક અને બે પાલિકાની ચૂંટણી લડવા માટે દાવેદારોનો રાફડો ફાટયો મોરબીના લૂંટાવદર ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા છ પકડાયા મોરબીમાં લગ્નના બહાને કરવામાં આવેલ વિશ્વાસધાત-છેતરપીડીના ગુનામાં પકડાયેલ બે આરોપી જામીન મુક્ત મોરબીમાં સીરામીક ઉદ્યોગપતિ સહિત બે વ્યક્તિ ઉપર જીવલેણ હુમલો કરવાના ગુનામાં પકડાયેલ અજય લોરીયા જેલ હવાલે મોરબીમાં ફોરવ્હીલ ગાડીના ટાયરમાંથી હવા કાઢી નાખવા બાબતે થયેલ ઝઘડાનો ખાર રાખીને મહિલાને ત્રણ મહિલા સહિત 6 લોકોએ માર માર્યો મોરબીના રંગપર ગામ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે હડફેટે માથા-મોઢામાં ઇજા પામેલા યુવાનનું મોત વાંકાનેરના જોધપર પાસે જેસીબીના ચાલકે રિક્ષાને ટક્કર મારતા સર્જાયેલ અકસ્માતમાં એક તરૂણીનું મોત: 4 ને ઇજા
Breaking news
Morbi Today

મોરબીમાં ૭૫ હજારની લાંચ લેતા પકડાયેલ પ્રાંત અધિકારીની કચેરીના કલાર્ક અને વચેટીયો ૨૫ મી સિધી રીમાંડ ઉપર


SHARE











મોરબીમાં ૭૫ હજારની લાંચ લેતા પકડાયેલ પ્રાંત અધિકારીની કચેરીના કલાર્ક અને વચેટીયો ૨૫ મી સિધી રીમાંડ ઉપર


મોરબીના લાલબાગમાં આવેલ પ્રાંત અધિકારીની કચેરીમાં ફજવતા કલાર્કે રૂા.૭૫ હજારની લાંચ માંગી હતી જેથી કરીને અરજદારે અમદાવાદ એસીબીનો સંપર્ક કર્યો હતો અને એસીબીની ટ્રેપમાં કલાર્ક વતી લાંચ લેતા વચેટિયાને એસીબીની ટીમે રંગે હાથ પકડાયો હતો ત્યાર બાદ બંનેની ધરપકડ કરીને એસીબીની ટીમે બંનેને રીમાંડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બંનેને તા.૨૫ સુધી રીમાંડ ઉપર લેવા હુકમ કર્યો છે.

મોરબી જિલ્લાની સરકારી કચેરીઓમાં બેફામ ભ્રષ્ટાચાર કરવામાં આવે છે તે જગજાહેર છે ત્યારે અમદાવાદ એસીબીની ટીમે મળેલ ફરીયાદના આધારે મોરબીના પ્રાંત અધિકારીની કચેરીના ક્લાર્ક તરીકે ફરજ બજાવતા નિર્મલ જીલુભાઇ ખુંગલાને લાંચ કેસમાં ઝડપી લીધેલ છે અને આ કલાર્કે ફડસર ગામે રસ્તો ખુલ્લો કરાવવા માટે જેતે અરજદારની પાસેથી એક લાખ રૂપિયાની માંગણી કરી હતી અને બાદમાં ૭૫ હજારનું નક્કી થયું હતું જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય અમદાવાદ એસીબીમાં ફરીયાદ કરી હતી જેથી ટીંબડી ગામના પાટિયા પાસેની અશ્વમેઘ હોટલની સામે પ્રમુખ પ્લાઝા દુકાન નંબર ૧,,૩ ની પાસે કમ્પાઉન્ડમાં નિર્મલ જીલુભાઇ ખુંગલા અને ધર્મેન્દ્રભાઇ નરભેરામ બારેજીયા આવ્યા હતા ત્યારે કલાર્ક વતી તેના વચેટિયા ધર્મેન્દ્રભાઇ નરભેરામ બારેજીયાએ લાંચની રકમ સ્વીકારી હતી જેથી કરીને એસીબીએ રંગે હાથ ઝડપીને બંનેને મોરબી કોર્ટમાં રીમાંડની માંગ સાથે રજૂ કર્યા હતા જેમા સરકાર તરફેથી સંજયભાઇ અને આક્ષેપીતોમા એડવોકેટ આશિષભાઇ વાળાની દલીલોના અંતે કોર્ટે બંનેના આગામી તા.૨૫-૧૨ ના સાંજના છ વાગ્યા સુધીના એટલે કે ચાર દિવસના રીમાંડ મંજુર કર્યા છે.

 






Latest News