મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન
Breaking news
Morbi Today

મોરબીમાં ૭૫ હજારની લાંચ લેતા પકડાયેલ પ્રાંત અધિકારીની કચેરીના કલાર્ક અને વચેટીયો ૨૫ મી સિધી રીમાંડ ઉપર


SHARE











મોરબીમાં ૭૫ હજારની લાંચ લેતા પકડાયેલ પ્રાંત અધિકારીની કચેરીના કલાર્ક અને વચેટીયો ૨૫ મી સિધી રીમાંડ ઉપર


મોરબીના લાલબાગમાં આવેલ પ્રાંત અધિકારીની કચેરીમાં ફજવતા કલાર્કે રૂા.૭૫ હજારની લાંચ માંગી હતી જેથી કરીને અરજદારે અમદાવાદ એસીબીનો સંપર્ક કર્યો હતો અને એસીબીની ટ્રેપમાં કલાર્ક વતી લાંચ લેતા વચેટિયાને એસીબીની ટીમે રંગે હાથ પકડાયો હતો ત્યાર બાદ બંનેની ધરપકડ કરીને એસીબીની ટીમે બંનેને રીમાંડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બંનેને તા.૨૫ સુધી રીમાંડ ઉપર લેવા હુકમ કર્યો છે.

મોરબી જિલ્લાની સરકારી કચેરીઓમાં બેફામ ભ્રષ્ટાચાર કરવામાં આવે છે તે જગજાહેર છે ત્યારે અમદાવાદ એસીબીની ટીમે મળેલ ફરીયાદના આધારે મોરબીના પ્રાંત અધિકારીની કચેરીના ક્લાર્ક તરીકે ફરજ બજાવતા નિર્મલ જીલુભાઇ ખુંગલાને લાંચ કેસમાં ઝડપી લીધેલ છે અને આ કલાર્કે ફડસર ગામે રસ્તો ખુલ્લો કરાવવા માટે જેતે અરજદારની પાસેથી એક લાખ રૂપિયાની માંગણી કરી હતી અને બાદમાં ૭૫ હજારનું નક્કી થયું હતું જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય અમદાવાદ એસીબીમાં ફરીયાદ કરી હતી જેથી ટીંબડી ગામના પાટિયા પાસેની અશ્વમેઘ હોટલની સામે પ્રમુખ પ્લાઝા દુકાન નંબર ૧,,૩ ની પાસે કમ્પાઉન્ડમાં નિર્મલ જીલુભાઇ ખુંગલા અને ધર્મેન્દ્રભાઇ નરભેરામ બારેજીયા આવ્યા હતા ત્યારે કલાર્ક વતી તેના વચેટિયા ધર્મેન્દ્રભાઇ નરભેરામ બારેજીયાએ લાંચની રકમ સ્વીકારી હતી જેથી કરીને એસીબીએ રંગે હાથ ઝડપીને બંનેને મોરબી કોર્ટમાં રીમાંડની માંગ સાથે રજૂ કર્યા હતા જેમા સરકાર તરફેથી સંજયભાઇ અને આક્ષેપીતોમા એડવોકેટ આશિષભાઇ વાળાની દલીલોના અંતે કોર્ટે બંનેના આગામી તા.૨૫-૧૨ ના સાંજના છ વાગ્યા સુધીના એટલે કે ચાર દિવસના રીમાંડ મંજુર કર્યા છે.

 






Latest News