મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી : નકલી રેમડીસીવર ઇન્જેક્શનમાં ઝડપાયેલ છ આરોપીઓના જામીન નામંજૂર


SHARE











મોરબી : નકલી રેમડીસીવર ઇન્જેક્શનમાં ઝડપાયેલ છ આરોપીઓના જામીન નામંજૂર

મોરબીમાંથી પગેરૂ નિકળયા બાદ રાજ્યભરમાંથી નકલી રેમડેસીવીર ઇજકેશનો સાથે ૩૦ જેટલા આરોપીઓ પકડાયા હતા.જે પૈકી છ આરોપીઓએ કોર્ટમાં જામીન મુકત થવા કરેલ અરજી કોર્ટે ફગવી દીધી છે.

કોરોના મહામારીમાં પણ અનૈતિક પૈસો કમાઇ લેવાની લાલચે કોરોનાના દર્દીઓને નકલી રેમડીસીવર ઇન્જેકસનો ધાબડી દેવામાં આવતા હતા જે કૌભાંડમાં મોરબી એસઓજીએ આજે બે મળીને હાલ સુધીમાં કુલ ૩૦ આરોપીઓની ધરપકડ કરેલ છે અને ૩,૫૬૨ જેટલા ડુપ્લીકેટ ઇન્જેકશન, રોકડા રૂ.૧.૪૨ કરોડ મળીને કુલ રૂા.૩.૩૮ કરોડનો મુદામાલ કબ્જે કર્યો હતો. તેમજ પકડાયેલા પૈકી કુલ છ આરોપીઓએ કોર્ટમાં જામીન અરજી કરી હતી જે કોર્ટે ફગાવી દીધેલ છે.

મોરબી એસઓજીએ મોરબીમાંથી નકલી રેમડેસીવિર ઇજકેશનો સાથે બેને પકડયા હતા બાદમાં રાજ્ય વ્યાપી કૌભાંડ સામે આવતા ૩૩ જેટલા ઇસમોની સંડોવણી સામે આવી હતી જે પૈકી આજે વધુ બે સાથે કુલ ૩૦ ને દૂોચી લેવાયા છે. પકડાયેલા પાંચ આરોપીઓએ રેગ્યુલર જામીન માટે અરજી કરી હતી. તેમજ એક આરોપીએ આગોતરા જામીન માટે અરજી કરી હતી. આથી આ તમામ આરોપીઓની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે.પોલીસના જણાવ્યા મુજબ મોરબીના રાહુલ અશ્વિનભાઇ કોટેચા રહે.ધુનડા રોડને ત્યાં પોલીસે ડમી ગ્રાહક મોકલતા ૪૧ જેટલા નકલી રેમડેસિવિર ઇન્જેક્શન અને રોકડા ૧.૮૦ લાખ સાથે રાહુલને પકડીને તપાસ કરાતા રાજ્યવ્યાપી કૌભાંડ ખુલ્લું પાડયુ હતુ. કૌભાંડમાં ઝડપાયેલા સૌપ્રથમ આરોપી એવા મોરબીના રાહુલ કોટેચાએ જામીન ઉપર છૂટવા નામદાર અદાલત સમક્ષ અરજી કરતા સરકારી વકીલ વિજયભાઈ જાનીએ અદાલત સમક્ષ ધારદાર દલીલો કરી આરોગ્ય સાથે ચેડાં કરનાર આરોપીને જામીન નહીં મંજુર કરવા જણાવતા નામદાર અદાલત દ્વારા આરોપીની જામીન અરજી નામંજુર કરવામાં આવી હતી.

મોરબી સેશન્સ કોર્ટમાં આરોપીઓ પૈકીના રમીઝ સૈયદ હુશેન કાદરી રહે.અમદાવાદ જુહાપુરા, હસન અસલમ સુરતી રહે.સામરોદ તા.ચોર્યાસી જી.સુરત, ફહીમ ઉર્ફે ફઇમ મહમદહારૂનભાઇ મેમણ રહે.અમદાવાદ વેજલપુર, રાજેશભાઇ ધીરૂભાઇ કથીરીયા રહે.નાના વરાછા સુરત, રાહુલ અશ્વિનભાઇ કોટેચા રહે.ઘુનડા રોડ મોરબીએ તથા મનસુર મેહમુદ ચૌહાણ રહે.વેજલપુર અમદાવાદ વાળાઓની જામીન અરજી મોરબી સેશન્સ કોર્ટ દ્વારા નામંજુર કરવામાં આવેલ છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે બી- પોઝીટીવ






Latest News