મોરબીમાં ઘરેલુ હિંસાથી પીડિત સગર્ભા મહિલાને અજુગતુ પગલુ ભરતા બચાવતી 181 અભયમ ટીમ વાંકાનેરમાં મંદિરના નવનિર્માણના નામે જુદાજુદા બે લક્કી ડ્રોની ટિકિટોનું વેચાણ કરતો એજન્ટ પકડાયો: 13 સામે ગુનો નોંધાયો મોરબીના નીચી માંડલ પાસે રોડ ક્રોસ કરતાં યુવાનને ડમ્પર ચાલકે હડફેટે લેતા પગમાં 3 ફ્રેકચર: વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા ટંકારાના સાવડી ગામ પાસે બાઇક ચાલકે સાયકલને ટક્કર મારતા ઇજા પામેલા આધેડનું સારવારમાં મોત વાંકાનેર-માળીયા તાલુકા અને મોરબી શહેરમાં વિદેશી દારૂની 4 રેડ: દારૂની નાની મોટી 30 બોટલ કબ્જે માળીયા (મી)ના નવલખી પોર્ટ ખાતે કાકા સાથે રહેતા સગીરને બે દિવસ પછી રાજકોટ માતા પાસે જવાનું કહેતા અતિંમ પગલુ ભર્યુ-મોત મોરબીના સોખડા ગામે ઘરેથી નીકળી ગયેલ માનસિક બીમાર યુવાનનો ખેતરમાંથી કોહવાય ગયેલ હાલતમાં મૃતદેહ મળ્યો: વાંકનેરમાં વૃદ્ધનું બીમારી સબબ મોત મોરબીમાં અડાણે મુકેલા ઘરેણા બાબતે સામસામે મારામારી, સાત ઇજાગ્રસ્તો પૈકી બે રાજકોટ ખસેડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં મંગળવારે સતવારા સહકાર મંડળ દ્વારા 11 માં સમૂહલગ્નનું આયોજન: 15 યુગલ લગ્નગ્રંથીએ જોડાશે


SHARE











મોરબીમાં મંગળવારે સતવારા સહકાર મંડળ દ્વારા 11 માં સમૂહલગ્નનું આયોજન: 15 યુગલ લગ્નગ્રંથીએ જોડાશે

મોરબીમાં સતવારા સહકાર મંડળ દ્વારા 11 માં સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા. 20 ને મંગળવારના રોજ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર આવેલ રામકો  રેસિડેન્સી ખાતે સમૂહલગ્ન યોજવાના છે જેમાં સંતો મહંતો, રાજકીય આગેવાનો સહિતના લોકો નવદંપતીને આશીર્વાદ આપવા માટે હાજર રહેશે.

મોરબીમાં સતવારા સહકાર મંડળ દ્વારા સમૂહ લગ્નનો સમયાંતરે આયોજન કરવામાં આવતું હોય છે તેવી જ રીતે 11 માં સમૂહ લગ્નનું આયોજન આગામી તા. 20/1/2026 ને મંગળવારના રોજ કરવામાં આવ્યું છે અને મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર આવેલ રામકો રેસીડેન્સી, બોરીયા પાટી પાસે મોરબી ખાતે આ સમૂહ લગ્ન યોજવાના છે જેમાં સમાજના 15 દીકરા દીકરીઓના લગ્ન કરાવવામાં આવશે અને નવદંપતી સંતો મહંતો તથા રાજકીય અને સામાજિક અગ્રણીઓના આશીર્વાદ સાથે પ્રભુતામાં ડગ માંડશે. આ તકે રામરોટી આશ્રમના મહંત દેવશીબાપા, ધૂળકોટ  વાનરવીર હનુમાનજી મંદિરના ધર્મગીરી બાપુ, દુધીવદર ગામે આવેલ ખોડીયાર માતાજી મંદિરના જેઠીરામબાપુ. રામરોટી આશ્રમના જયંતીરામ બાપુ તથા બગથળા નકલંક ધામના દામજીભગત સહિતના હાજર રહેશે.

તે ઉપરાંત સમાજના આગેવાનો મેરૂભાઈ કંઝરિયા, રાજેશભાઈ મકવાણા, માવજીભાઈ નકુમ, લખમણભાઇ કંઝરિયા, ગોકળભાઈ ડાભી, રાઘવજીભાઈ કંઝરિયા, નરેશભાઈ કંઝરિયા, કાળુભાઈ નકુમ અને ગોવિંદભાઈ હડિયલ હાજર રહેશે તથા મોરબી મહાપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરે, ગુજરાત સરકારના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનના મંત્રી આશાબેન નકુમ, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, ગુજરાત પ્રદેશના સહ કોષાધ્યક્ષ મોહનભાઈ કુંડારીયા, રાજ્યના મંત્રી અને મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, માજી મંત્રી બ્રિજેશભાઈ મેરજા તથા મોરબી શહેર ભાજપના મહામંત્રી ભાવેશભાઈ કંઝરિયા સહિતના હાજર રહેવાના છે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે થઈને સવારા સહકાર મંડળના પ્રમુખ લલીતભાઈ કંઝરિયા તેમજ જયંતીલાલ ડાભી, મનસુખભાઈ નકુમ, વિજયભાઈ પરમાર, ઉમેશભાઈ પરમાર, પ્રેમજીભાઈ સોનાગ્રા, દેવકણભાઈ નકુમ અને મેરૂભાઈ કંઝરિયા સહિતની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.






Latest News