મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

મોરબીમાં મંગળવારે સતવારા સહકાર મંડળ દ્વારા 11 માં સમૂહલગ્નનું આયોજન: 15 યુગલ લગ્નગ્રંથીએ જોડાશે


SHARE











મોરબીમાં મંગળવારે સતવારા સહકાર મંડળ દ્વારા 11 માં સમૂહલગ્નનું આયોજન: 15 યુગલ લગ્નગ્રંથીએ જોડાશે

મોરબીમાં સતવારા સહકાર મંડળ દ્વારા 11 માં સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા. 20 ને મંગળવારના રોજ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર આવેલ રામકો  રેસિડેન્સી ખાતે સમૂહલગ્ન યોજવાના છે જેમાં સંતો મહંતો, રાજકીય આગેવાનો સહિતના લોકો નવદંપતીને આશીર્વાદ આપવા માટે હાજર રહેશે.

મોરબીમાં સતવારા સહકાર મંડળ દ્વારા સમૂહ લગ્નનો સમયાંતરે આયોજન કરવામાં આવતું હોય છે તેવી જ રીતે 11 માં સમૂહ લગ્નનું આયોજન આગામી તા. 20/1/2026 ને મંગળવારના રોજ કરવામાં આવ્યું છે અને મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર આવેલ રામકો રેસીડેન્સી, બોરીયા પાટી પાસે મોરબી ખાતે આ સમૂહ લગ્ન યોજવાના છે જેમાં સમાજના 15 દીકરા દીકરીઓના લગ્ન કરાવવામાં આવશે અને નવદંપતી સંતો મહંતો તથા રાજકીય અને સામાજિક અગ્રણીઓના આશીર્વાદ સાથે પ્રભુતામાં ડગ માંડશે. આ તકે રામરોટી આશ્રમના મહંત દેવશીબાપા, ધૂળકોટ  વાનરવીર હનુમાનજી મંદિરના ધર્મગીરી બાપુ, દુધીવદર ગામે આવેલ ખોડીયાર માતાજી મંદિરના જેઠીરામબાપુ. રામરોટી આશ્રમના જયંતીરામ બાપુ તથા બગથળા નકલંક ધામના દામજીભગત સહિતના હાજર રહેશે.

તે ઉપરાંત સમાજના આગેવાનો મેરૂભાઈ કંઝરિયા, રાજેશભાઈ મકવાણા, માવજીભાઈ નકુમ, લખમણભાઇ કંઝરિયા, ગોકળભાઈ ડાભી, રાઘવજીભાઈ કંઝરિયા, નરેશભાઈ કંઝરિયા, કાળુભાઈ નકુમ અને ગોવિંદભાઈ હડિયલ હાજર રહેશે તથા મોરબી મહાપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરે, ગુજરાત સરકારના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનના મંત્રી આશાબેન નકુમ, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, ગુજરાત પ્રદેશના સહ કોષાધ્યક્ષ મોહનભાઈ કુંડારીયા, રાજ્યના મંત્રી અને મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, માજી મંત્રી બ્રિજેશભાઈ મેરજા તથા મોરબી શહેર ભાજપના મહામંત્રી ભાવેશભાઈ કંઝરિયા સહિતના હાજર રહેવાના છે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે થઈને સવારા સહકાર મંડળના પ્રમુખ લલીતભાઈ કંઝરિયા તેમજ જયંતીલાલ ડાભી, મનસુખભાઈ નકુમ, વિજયભાઈ પરમાર, ઉમેશભાઈ પરમાર, પ્રેમજીભાઈ સોનાગ્રા, દેવકણભાઈ નકુમ અને મેરૂભાઈ કંઝરિયા સહિતની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.






Latest News