ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબી સેન્ટ મેરી સ્કૂલ પાસે ચાઈનીઝની દુકાને બોલાચાલી બાદ સામસામે મારામારી: ઈજાગ્રસ્તનો સારવારમાં


SHARE











મોરબી સેન્ટ મેરી સ્કૂલ પાસે ચાઈનીઝની દુકાને બોલાચાલી બાદ સામસામે મારામારી: ઈજાગ્રસ્તનો સારવારમાં

મોરબીના નવલખી રોડ ઉપર સેન્ટ મેરી સ્કૂલ પાસે ગઈકાલે મોડી સાંજે ચાઈનીઝની દુકાન પાસે બોલાચાલી થયા બાદ મારામારીનો બનાવ બન્યો હતો તેમાં બંને પક્ષેથી સામસામે મારામારી કરવામાં આવતા હાલ પાંચ ઇજા પામેલા લોકોને સારવાર માટે લઈ ગયા હતા અને પોલીસને આ બનાવની જાણ કરવામાં આવી હતી.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના નવલખી રોડ સેન્ટ મેરી સ્કૂલ નજીક ચાઈનીઝની લારી પાસે પૈસા બાબતે બોલાચાલી થઈ હતી અને બાદમાં ઝઘડો થયો હતો જેમાં બંને પક્ષોથી ધોકા અને પાઇપ વડે મારામારી કરવામાં આવી હતી જેમાં એક તરફના રિહાન રફિકભાઈ સંવાણી (15), રિઝવાન રફિકભાઈ સંતવાણી (12), સાજીદનજર મોહમદ સંવાણી (27), ફરહાન ફિરોજભાઈ સંવાણી (16) અને મનોજ રામભાઈ રાજપૂત (35) રહે. બધા પ્રકાશપાર્ક વીસીપરા મોરબી વાળાઓને ઇજાઓ થઈ હતી જેથી તેને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને પોલીસના કહેવા પ્રમાણે સામેના પક્ષે માળીયા મીયાણાના ઇમરાન રાયજેડા સહિતનાઓ દ્વારા બોલાચાલી ઝઘડો કરવામાં આવ્યો હતો અને બાદમાં મારામારી થઈ હતી જેથી બંનેપક્ષેથી ઇજા પામેલા લોકોને સારવાર ખસેડાયેલ છે. આ બનાવની તપાસ બી ડિવિઝન પોલીસ મથકના બી.કે.દેથા ચલાવી રહ્યા છે.

મહિલા સારવારમાં

મોરબીના જેતપર રોડ પાવળીયારી નજીક રહેતા પરિવારના શર્મિષ્ઠાબેન રાજેશભાઈ બામણીયા નામની 22 વર્ષીય પ્રેગનેટ મહિલાને સાપ કરડી ગયો હતો જેથી જેતપર સીએસી ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા ત્યાં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવેલ છે બનાવ સંદર્ભે તાલુકા પોલીસ મથકના નિરવભાઈ મકવાણા આગળની તપાસ કરી રહ્યા છે.

વાહન અકસ્માત

મોરબીના નવલખી રોડ રોકડિયા હનુમાન મંદિર પાસે આવેલ રોલાની વાડી ખાતે રહેતા અમૃતબેન લક્ષ્મણભાઈ પરમાર નામના 52 વર્ષ મહિલાને અકસ્માતમાં ઈજા થતા અત્રે આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા પોલીસના જણાવ્યા પ્રમાણે તેઓ રિક્ષામાં બેસીને ઘર તરફ જતા હતા ત્યારે ઘર નજીક રીક્ષા પલટી મારી જવાનો બનાવ બન્યો હતો જેમાં જા થતાં તેને સારવાર માટે લાવવામાં આવ્યા હતા

મારમાર્યો

મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલ શિવમ કોલ નજીક ગાડી ઉભી રાખતા અજાણ્યા ઈસમો દ્વારા માર મારવામાં આવ્યો હતો જે બનાવમાં પપ્પુભાઈ રામપ્રસાદ (29) રહે. હાલ પાનેલી તાલુકો જીલ્લો મોરબી વાળાને ઇજા થતાં તેને ખાનગી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને બનાવાની તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News