મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં નજીવી વાતમાં તીક્ષ્ણ હથિયારનો ઘા ઝીકિને વૃદ્ધની હત્યા: મહિલા સહિત 5 ને ઇજા


SHARE







મોરબીમાં નજીવી વાતમાં તીક્ષ્ણ હથિયારનો ઘા ઝીકિને વૃદ્ધની હત્યા: મહિલા સહિત 5 ને ઇજા

મોરબીમાં પાડા પુલ નીચે ગઇકાલે રાતે મારામારીનો બનાવ બનેલ હતો ત્યારે વૃદ્ધને તીક્ષ્ણ હથિયારનો ઘા સાથળના ભાગે ઝીકિ દીધું હતું જેથી તેનું મોત નીપજયું હતું અને બનાવ હત્યામાં પલટયો હતો આ બનાવમાં ઇજા પામેલ મહિલા સહિત કુલ પાંચ વ્યક્તિને સારવાર માટે લઈ જવામાં આવેલ છે અને આ બનાવની બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતાં પોલીસે હત્યાના બનાવમાં ફરિયાદ લેવા માટેની તજવીજ શરૂ કરી છે.

મોરબીના પાડા પુલ નીચે મારામારીનો બનાવ બનેલ હતો જે બનાવમાં ત્યાં રહેતા કાસુભાઈ હોથીભાઈ ચાડમિયા (60)ને સાથળના ભાગે તીક્ષ્ણ હથિયારનો ઘા ઝીકિ દેવામાં આવેલ હતી જેથી તેઓને ગંભીર ઇજા થઈ હતી માટે તેઓને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા ત્યાં તેઓનું મોત નીપજયું હતું. જેથી મારા મારીનો બનાવ હત્યામાં પલટાયો હતો. અને આ બનાવની બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતાં પીઆઇ વી.એન. પરમાર સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને હત્યાના આ બનાવમાં ફરિયાદ લેવા માટેની તજવીજ શરૂ કરી છે.

વધુમાં મળતી માહિતી મુજબ મૃતક વૃદ્ધ ફુગ્ગા વેચવાનો ધંધો કરતા હતા. અને આ બનાવમાં અજય રમેશભાઈ આદિવાસી (20), બંટી ડામોર (30), અજય ખરેડી (20), દીપુ ખરેડી (40) અને અનુબેન (22) નામના પાંચ વ્યક્તિઓને ઈજા થઈ હતી જેથી તેઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા છે. અને સ્થાનિક લોકો પાસેથી મળતી માહિતી મુજબ રાત્રીના સમયે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં અવારનવાર સેવાભાવી લોકો ભોજન આપવા માટે થઈને આવતા હોય છે તેવી જ રીતે ગઈકાલે ભોજન આપવા માટે થઈને આવેલા લોકો ત્યાંથી ગયા બાદ મારામારીનો બનાવ બન્યો હતો જેમાં વૃદ્ધને ગંભીર ઇજા થઇ હોવાથી તેનું મોત નીપજ્યું છે અને બનાવ હત્યામાં પલટાયો છે.






Latest News