ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબીમાં નજીવી વાતમાં તીક્ષ્ણ હથિયારનો ઘા ઝીકિને વૃદ્ધની હત્યા: મહિલા સહિત 5 ને ઇજા


SHARE











મોરબીમાં નજીવી વાતમાં તીક્ષ્ણ હથિયારનો ઘા ઝીકિને વૃદ્ધની હત્યા: મહિલા સહિત 5 ને ઇજા

મોરબીમાં પાડા પુલ નીચે ગઇકાલે રાતે મારામારીનો બનાવ બનેલ હતો ત્યારે વૃદ્ધને તીક્ષ્ણ હથિયારનો ઘા સાથળના ભાગે ઝીકિ દીધું હતું જેથી તેનું મોત નીપજયું હતું અને બનાવ હત્યામાં પલટયો હતો આ બનાવમાં ઇજા પામેલ મહિલા સહિત કુલ પાંચ વ્યક્તિને સારવાર માટે લઈ જવામાં આવેલ છે અને આ બનાવની બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતાં પોલીસે હત્યાના બનાવમાં ફરિયાદ લેવા માટેની તજવીજ શરૂ કરી છે.

મોરબીના પાડા પુલ નીચે મારામારીનો બનાવ બનેલ હતો જે બનાવમાં ત્યાં રહેતા કાસુભાઈ હોથીભાઈ ચાડમિયા (60)ને સાથળના ભાગે તીક્ષ્ણ હથિયારનો ઘા ઝીકિ દેવામાં આવેલ હતી જેથી તેઓને ગંભીર ઇજા થઈ હતી માટે તેઓને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા ત્યાં તેઓનું મોત નીપજયું હતું. જેથી મારા મારીનો બનાવ હત્યામાં પલટાયો હતો. અને આ બનાવની બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતાં પીઆઇ વી.એન. પરમાર સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને હત્યાના આ બનાવમાં ફરિયાદ લેવા માટેની તજવીજ શરૂ કરી છે.

વધુમાં મળતી માહિતી મુજબ મૃતક વૃદ્ધ ફુગ્ગા વેચવાનો ધંધો કરતા હતા. અને આ બનાવમાં અજય રમેશભાઈ આદિવાસી (20), બંટી ડામોર (30), અજય ખરેડી (20), દીપુ ખરેડી (40) અને અનુબેન (22) નામના પાંચ વ્યક્તિઓને ઈજા થઈ હતી જેથી તેઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા છે. અને સ્થાનિક લોકો પાસેથી મળતી માહિતી મુજબ રાત્રીના સમયે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં અવારનવાર સેવાભાવી લોકો ભોજન આપવા માટે થઈને આવતા હોય છે તેવી જ રીતે ગઈકાલે ભોજન આપવા માટે થઈને આવેલા લોકો ત્યાંથી ગયા બાદ મારામારીનો બનાવ બન્યો હતો જેમાં વૃદ્ધને ગંભીર ઇજા થઇ હોવાથી તેનું મોત નીપજ્યું છે અને બનાવ હત્યામાં પલટાયો છે.






Latest News