મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીના બાયપાસ રોડ ઉપરથી 10 જેટલા કાચા પાકા દબાણોને મનપાની ટીમે તોડી પાડ્યા મોરબીમાં ઘરેલુ હિંસાથી પીડિત સગર્ભા મહિલાને અજુગતુ પગલુ ભરતા બચાવતી 181 અભયમ ટીમ વાંકાનેરમાં મંદિરના નવનિર્માણના નામે જુદાજુદા બે લક્કી ડ્રોની ટિકિટોનું વેચાણ કરતો એજન્ટ પકડાયો: 13 સામે ગુનો નોંધાયો મોરબીના નીચી માંડલ પાસે રોડ ક્રોસ કરતાં યુવાનને ડમ્પર ચાલકે હડફેટે લેતા પગમાં 3 ફ્રેકચર: વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા ટંકારાના સાવડી ગામ પાસે બાઇક ચાલકે સાયકલને ટક્કર મારતા ઇજા પામેલા આધેડનું સારવારમાં મોત વાંકાનેર-માળીયા તાલુકા અને મોરબી શહેરમાં વિદેશી દારૂની 4 રેડ: દારૂની નાની મોટી 30 બોટલ કબ્જે
Breaking news
Morbi Today

ગૌસેવાના કામમાં દાતાઓ વરસી ગયા: મોરબી પાંજરાપોળને એક જ દિવસમાં મળ્યું 1.05 કરોડથી વધુનું દાન


SHARE











ગૌસેવાના કામમાં દાતાઓ વરસી ગયા: મોરબી પાંજરાપોળને એક જ દિવસમાં મળ્યું 1.05 કરોડથી વધુનું દાન

દર વર્ષે મકરસંક્રાંતિના દિવસે મોરબીમાં આમ આદમીથી લઈને ઉદ્યોગોપતિ સુધીના સહુ કોઈ પોતાની યથાશક્તિ મુજબ દાન કરીને પુણ્યનું ભથ્થું બાંધતા હોય છે પરંતુ જો મોરબીની વાત કરીએ તો અહીના ઉદ્યોગકારો સહિતના દાતાઓ તરફથી મોરબીની પાંજરાપોળને બારે મહિના અવિરતપણે દાન આપવામાં આવે છે જો કે, મકરસંક્રતિના એક જ દિવસમાં દાતાઓ પાંજરાપોળના ગૌવંશો માટે વરસી પડે છે જેથી કરીને પાંજરાપોળમાં ગૌસેવા માટે એક જ દિવસમાં મોટું દાન આવે છે તેવામાં ગઇકાલે એક જ દિવસમાં દાતાઓ વરસી જતાં 1.05 કરોડથી વધનું દાન આવેલ છે. આ ઉપરાંત 17 મણ કરતાં વધુ લીલો ઘાસ ચારો પણ દાતાઓ તરફથી આપવામાં આવેલ છે.

હિંદુ સંસ્કૃતિમાં દાન ઘણું મહત્વ બતાવવામાં આવ્યું છે જેથી લોકો પોતાની યથા શક્તિ પ્રમણે દાન કરતા હોય છે મોરબીના રાજવી પરિવાર દ્વારા વર્ષો પહેલા મોરબી પાંજરાપોળમાં રહેતા ગૌ વંશો સહિતના અબોલ જીવોના નિભાવ માટે હજારો હેક્ટર જમીન મોરબી પાંજરાપોળને આપી દેવામાં આવી છે જો કે, આ પાંજરાપોળને લોકો તરફથી અવિરત દાન તો મળે જ છે અને પાંજરાપોળ પાસે જે હજારો હેક્ટર જમીન છે તેનો સદુપયોગ કરીને ગૌવંશના ખોરાક માટે જેટલા ચારાની દૈનિક જરૂર હોય છે તેના ૩૦ ટકાથી વધુ ચારાની વ્યવસ્થા પાંજરાપોળની વીડીમાંથી કરવામાં આવે છે જોકે, મોરબીના ધારાસભ્ય અને પાંજરાપોળના ટ્રસ્ટી કાંતિભાઈ અમૃતિયાની કેન્સરની હાલમાં મુંબઈ ખાતે સારવાર ચાલી રહી છે જેથી તેઓ મોરબીમાં ન હતા પરંતુ ગૌસેવાના કામમાં મોરબીના ઉદ્યોગકારો સહિતના લોકોને ખુલ્લા હાથે સહકાર આપવા માટે તેઓએ સોશ્યલ મીડિયામાં વિડીયો મૂકીને અપીલ કરી હતી. અને ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથારિયા રવાપર રોડે પાંજરાપોળના સ્ટોલ ખાતે હાજર રહ્યા હતા અને લોકોને ગૌસેવાના કામમાં દાન આપવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.

મોરબી પાંજરાપોળના ટ્રસ્ટી વેલજીભાઇ પટેલ (બોસ), હિતેશભાઇ ભાવસાર, જયેશભાઇ શાહ સહિતનાઓ પાસેથી મળેલ માહિતી મુજબ આજની તારીખે પાંજરાપોળમાં 6000 થી વધુ ગૌવંશનો નિભાવ મોરબી પાંજરાપોળમાં કરવામાં આવે છે જેના માટે મકરસંક્રાંતિના દિવસે દર વર્ષે મોરબીના દાતાઓ લાખો રૂપિયાનુ દાન આપતા હોય છે તેવી જ રીતે આ વર્ષે પણ સવારથી સાંજ સુધીમાં મોરબીના જુદાજુદા વિસ્તારમાં 39 જેટલા સ્ટોલ ઊભા કરીને દાન એકત્રિત કરવામાં આવ્યું હતું અને મોરબીના સિરામિક ઉધોગકારો સહિતના દાતાઓ તરફથી મોરબી પાંજરાપોળના ગૌવંશોની સેવા કરવા માટે એક જ દિવસમાં 1.05 કરોડથી વધુનું દાન આપવામાં આવ્યુ છે આટલું જ નહીં 17 મણ કરતાં વધુ લીલો ઘાસ ચારો પણ મોરબી પાંજરાપોળને દાતાઓ તરફથી આપવામાં આવેલ છે આમ ગો સેવાના આ યજ્ઞમાં મોરબીના સિરામિક ઉદ્યોગપતિઓ સહિતના દાતાઓ વરસી ગયા હતા. 






Latest News