ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ઘરને નિશાન બનાવીને સોનાનો ચેન, વિટી તેમજ રોકડા રૂપિયાની ચોરી


SHARE











વાંકાનેરમાં ઘરને નિશાન બનાવીને સોનાનો ચેન, વિટી તેમજ રોકડા રૂપિયાની ચોરી

વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતા વકીલ યુવાનના મકાનને તસ્કરે નિશાન બનાવ્યું હતું અને ઘરના મુખ્ય દરવાજાનો નકૂચો તોડીને ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ત્યારબાદ સોનાની બે વીટી, સોનાનો એક ચેન તથા રોકડા રૂપિયા આમ કુલ મળીને 45000 રૂપિયાની કિંમતના મુદ્દામાલની ચોરી કરેલ છે તેમજ અન્ય સહેદોના મકાનમાંથી પણ કિંમતી મુદ્દામાલની ચોરી થયેલ છે જેથી હાલમાં યુવાને નોંધાવેલ ફરીયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

વાંકાનેરમાં આવેલ ભાટિયા સોસાયટીમાં રહેતા મહાવીરસિંહ જટુભા જાડેજા (49)એ અજાણ્ય શખ્સની સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, તેઓના રહેણાંક મકાનનો મુખ્ય દરવાજો તોડીને અજાણ્યા શખ્સ દ્વારા ઘરની અંદર પ્રવેશ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ કબાટમાં રાખવામાં આવેલ સોનાની એક તોલાની બે વીંટી, સોનાનો એક તોલાનો એક ચેન તથા 5000 રૂપિયા રોકડા આમ કુલ મળીને 45000 રૂપિયાની કિંમતના મુદ્દામાલની ચોરી કરવામાં આવેલ છે તે ઉપરાંત અન્ય શાહેદોના મકાનમાંથી પણ કીમતી મુદ્દામાલની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે જેથી ભોગ બનેલ યુવાનની ફરિયાદ લઈને પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News