મોરબીમાં બંધ પડેલ 300 જેટલા સિરામિક કારખાનના બાંધકામ જંત્રી દરની વિસંગતતા દૂર થવાની આશા ઉપર સરકારના એક પત્રથી પાણી ફરી વળ્યું ! મોરબી જિલ્લા સેવા સદનના તમામ દરવાજા ખોલવામાં ન આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની સિનિયર સીટીઝને ઉચ્ચારી ચીમકી ધારાસભ્યની સફળ રજૂઆત: વાંકાનેરના આઈટીઆઈમાં મહિલા માટે વિવિધ 4 કોર્સ શરૂ કરાયા વાંકાનેર યાર્ડમાં આવતા ખેડૂતો-કામદારોને અકસ્માત મૂત્યુ સહાયનો લાભ આપવા યુવા ડિરેક્ટરે કરી રજૂઆત હળવદ નજીકથી 35 પાડાને ભરેલ આઇસર સહિત 2.58 લાખનો મુદામાલ કબ્જે, અમદાવાદનાં બે શખ્સ સામે ફરિયાદ મોરબીના વાવડી રોડ રહેતી મહિલા ઉપર પ્રેમસંબંધની શંકા રાખીને ઘરમાં ઘૂસીને માર માર્યો, ધમકીઓથી કંટાળીને મહિલાની માતાએ કર્યો આપઘાત: 5 મહિલા સહિત 6 સામે ગુનો નોંધાયો વાંકાનેરમાં દુકાનની અંદર ગેરકાયદે ગેસના બાટલાનું રિફીલિંગ કરતા વેપારીની ધરપકડ: પીપળી ગામે મંદિર પાસેથી બાઈકની ચોરી મોરબીના લાલપર ગામ પાસે રોડ ક્રોસ કરી રહેલા યુવાનને બાઈક ચાલકે હડફેટે લેતા પગમાં ફ્રેક્ચર
Breaking news
Morbi Today

મોરબીમાં હોનારત-ભૂકંપમાં આધાર પુરાવા ગુમાવનાર મતદારો માટે યોગ્ય વ્યવસ્થા કરવા ઇલેકશન કમિશનરને રજૂઆત


SHARE













મોરબીમાં હોનારત-ભૂકંપમાં આધાર પુરાવા ગુમાવનાર મતદારો માટે યોગ્ય વ્યવસ્થા કરવા ઇલેકશન કમિશનરને રજૂઆત

મોરબી જીલ્લામાં આવેલ હોનારત અને ભૂકંપના લીધે ઘણા લોકોના જન્મના આધાર સહિતના આધાર પુરાવા નાશ પામેલ છે જેથી આવા મતદારનો નામ મતદાર યાદીમાં રહી ન જાય તેના માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી રાજ્યના મુખ્ય ઈલેકશન કમિશનરે રજૂઆત કરેલ છે

ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના જોઈન્ટ સેક્રેટરી અને મોરબીમાં રહેતા આપના આગેવાન કાંતિલાલ ડી. બાવરવાગુજરાત ઈલેકશન કમીશનના મુખ્ય ઈલેકશન કમિશનરે રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી જીલ્લામાં ૧૯૭૯ માં આવેલ પુર તેમજ ૨૦૦૧ માં આવેલ ભૂકંપમાં ઘણા લોકોના પોતાના જન્મના તેમજ અન્ય પુરાવાઓ નાશ પામેલ છે. જેથી આવા લોકો પોતાનું નામ મતદાર યાદી માં દાખલ કરવામાં મુશકેલીનો સામનો કરી રહ્યા છે. તો આવા લોકો માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે છે અને તેઓના નામ મતદાર યાદીમાં દાખલ થઇ શકે તે માટે યોગ્ય વ્યવસ્થા કરવાની રજૂઆત કરેલ છે.






Latest News