મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

રાજ્ય મંત્રી અને મોરબીના ધારાસભ્યના પ્રયાસોથી માળિયા (મી)ના CCI કેન્દ્રમાં સપ્તાહમાં ત્રણ દિવસ કપાસની ખરીદી કરાશે


SHARE











રાજ્ય મંત્રી અને મોરબીના ધારાસભ્યના પ્રયાસોથી માળિયા (મી)ના CCI કેન્દ્રમાં સપ્તાહમાં ત્રણ દિવસ કપાસની ખરીદી કરાશે

માળિયા (મી)ના ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે અને માળીયાના સીસીઆઈ ખરીદ કેન્દ્ર ખાતે સપ્તાહમાં બે દિવસ જ ખરીદી થતી હતી જો કે રાજ્ય મંત્રી અને મોરબીના ધારાસભ્યના પ્રયાસોથી હવે સપ્તાહમાં ત્રણ દિવસ કપાસની ખરીદી કરવામાં આવશે.

માળીયા મિયાણા તાલુકાનાં સીસીઆઈ કેન્દ્રમાં બે જ દિવસ ખરીદી કરવામાં આવતી હતી જેથી કરીને ખેડૂતોને કપાસ વેચાણમાં વિલંબ થતો હતો જેથી કરીને કપાસ ખરીદી ઝડપથી કરવામાં આવે અને ખેડૂતોનો કપાસ સમયસર વેચાઈ જાય તે માટે માળિયા પંથકના ખેડૂતો અને તાલુકા ભાજપના આગેવાનો દ્વારા રાજ્ય મંત્રી અને મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને કપાસ ખરીદીના દિવસ વધારવા માટેની રજૂઆત કરી હતી જેથી કરીને કાંતિભાઈ અમૃતિયાએ કરેલા પ્રયાસોથી હવે માળીયા (મી)ના સીસીઆઈ કેન્દ્રમાં કપાસ ખરીદી માટેનો સમય બે દિવસથી વધારી ત્રણ દિવસ કરવામાં આવેલ છે જેથી સોમવારથી સપ્તામાં ત્રણ દિવસ માળીયાના ખેડૂતો તેમનો કપાસ ત્યાં વેચી શકશે.






Latest News