વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોંગ્રેસમાં ૮૨ આગેવાનો સેન્સ પ્રક્રિયામાં જોડાયા મોરબીમાં બંધ પડેલા સિરામિક કારખાનાના શેડ બન્યા ક્રિકેટ મેચના મેદાન: વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ મોરબીના નવા ફડસર ગામે માલિકીની જગ્યામાં કરેલ કચરાના ઢગલા ઉપાડવાનું કહેતા વૃદ્ધ ઉપર બે શખ્સોએ કર્યો કુહાડી અને ધોકા વડે હુમલો હળવદના સાપકડા ગામે વાડીના શેઢે ઉભા કરેલા થાંભલા કાઢી નાખતા શખ્સને સમજાવવા ગયેલ આધેડને માથામાં ધોકો ફટકારતા 8 ટાંકા આવ્યા હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા બંને યુવાનોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડાયા વાંકાનેરના રાજા વડલા ગામે વાડી આવેલ કુવામાં કોઈપણ કારણોસર પડી જવાથી વૃદ્ધનું મોત ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન
Breaking news
Morbi Today

મોરબીના રાજપર નજીક 5 થી 6 કાર ઉપર પથ્થરમારો, પથ્થરબાજો અંધારમાં ઓગળી ગયા !


SHARE











મોરબીના રાજપર નજીક 5 થી 6 કાર ઉપર પથ્થરમારો, પથ્થરબાજો અંધારમાં ઓગળી ગયા !

મોરબીના રાજપરથી ચાચાપર ગામ તરફ જવાના રસ્તા ઉપર રાત્રિના સમયે પસાર થતા વાહન ચાલકોની કાર ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો તેથી 5 થી 6 કેટલી કારમાં નાના મોટી નુકસાની થઈ હતી અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જોકે પથ્થરમારો કોના દ્વારા કરવામાં આવ્યો હતો ? અને શા માટે કરવામાં આવ્યો હતો ? તે દિશામાં પોલીસ દ્વારા આગળની તપાસ કરવી આવી રહી છે.

સામાન્ય રીતે શિયાળામાં ઠંડી વધે ત્યારબાદ ચોરી, લૂંટફાટ વગેરે જેવી ઘટનાઓ સુમસાન રસ્તા ઉપરરાત્રિના સમયે થતી હોય છે દરમિયાન મોરબી તાલુકાના રાજપરથી ચાચાપર ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ રાધે રેસીડેન્સીના વંડા પાસેથી પસાર થતાં કાર ચાલકોની કાર ઉપર ગઈકાલે રાત્રે 10 થી 11 વાગ્યાના અરસામાં ખેતર જેવા વિસ્તારમાંથી પથ્થરમારો કરવામાં આવી રહ્યો હતો જેથી 5 થી 6 જેટલી કારમાં નાના મોટી નુકસાની થઈ હતી અને આ ઘટનાની ગ્રામજનોને જાણ થતા તાત્કાલિક ગ્રામજનો ત્યાં સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને આ બનાવની ગામના સરપંચ દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ત્યાં ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જોકે પોલીસ અને ગ્રામજનો દ્વારા આસપાસના વિસ્તારમાં ચેક કરવામાં આવ્યું છતાં કોઈ મળી આવ્યું નથી જેથી પથ્થરમારો કોના દ્વારા કરવામાં આવ્યો હતો ? શા માટે કરવામાં આવ્યો હતો ? તે અંગેની હજુ સુધી કોઈ સ્પષ્ટતા થયેલ નથી જોકે આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય અને કોઈ રાત્રી દરમિયાન એકલદોકલ વ્યક્તિ પસાર થાય તો તેની સાથે લૂંટફાટ જેવી ઘટના ન બને તે માટે તાલુકા પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારની અંદર પેટ્રોલિંગ કરવામાં આવે તેવી લોકોની માંગ છે.






Latest News