મોરબીના નવા ફડસર ગામે માલિકીની જગ્યામાં કરેલ કચરાના ઢગલા ઉપાડવાનું કહેતા વૃદ્ધ ઉપર બે શખ્સોએ કર્યો કુહાડી અને ધોકા વડે હુમલો હળવદના સાપકડા ગામે વાડીના શેઢે ઉભા કરેલા થાંભલા કાઢી નાખતા શખ્સને સમજાવવા ગયેલ આધેડને માથામાં ધોકો ફટકારતા 8 ટાંકા આવ્યા હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા બંને યુવાનોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડાયા વાંકાનેરના રાજા વડલા ગામે વાડી આવેલ કુવામાં કોઈપણ કારણોસર પડી જવાથી વૃદ્ધનું મોત ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી
Breaking news
Morbi Today

મોરબીમાં કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા રવિવારથી વિવિધ પ્રકારના રોપાનું વિતરણ કરવામાં આવશે


SHARE











મોરબીમાં કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા રવિવારથી વિવિધ પ્રકારના રોપાનું વિતરણ કરવામાં આવશે

મોરબીના પર્યાવરણ પ્રેમી લોકો માટે બીજા તબક્કાનું ઔષધીય રોપા તથા ફૂલછોડનું ટોકનદરે રવિવારથી વિતરણ કરવામાં આવશે. મોરબીના આંગણે જ ફરી એકવાર કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા વિવિધ પ્રકારની ઔષધીય વ્રુક્ષોના રોપાઓનું ટોકન દરથી અને અન્ય રોપનું ફ્રિ વિતરણ પણ કરવામાં આવશે.

કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા વિવિધ પ્રકારના રોપાનું વિતરણ કરવામાં આવશે.આ વર્ષે ખાસ બીજી વાર જૂનાગઢ જઇને વિવિધ પ્રકારના ઔષધીય રોપા ખરીદી તેને મોરબીમાં ટોકન ભાવથી વિતરણ કરવામાં આવશે. આની સાથે સાથે ઘણા રોપા એકદમ વિનામૂલ્યે પણ આપવામાં આવશે.વિનામૂલ્યે જે રોપાઓનું વિતરણ કરાશે તેમા જાંબુડા, સીતાફળ, લીંબુ, ગુંદા, બીલીપત્ર, ગરમાળો, લીમડો, સવન, તુલસી, જામફળ, આસોપાલવ, મીઠો લીમડો, સેતુર અને બદામનો સમાવેશ થાય છે. જયારે અમુક રોપાઓ ટોકન દરથી મળશે જેમા અરીઠા, ખેર, અશોક, કોઠા, ગોળ પાન વાળી નગોડ, કદંબ, ચરેલ, ડોડી, કડાયો, જલજાંબુ, મીંઢોળ, મહુડો, બહેડા, શિવલિંગી, બ્રાહ્મણી વેલ, લિંડી પીપર વેલ, કરમદા, ગુગળ, ખાખરો, નગોડ, અરડૂસી, સીમળો, વિકળો, બોરસલી, એલોવેરા, રાયણ, કંચનાર, આમળા, પારિજાત, સિસમ, રાદારૂડી વેલ, પાન ફૂટી, પુત્ર જીવક, વાયાવર્ણ અને અર્જુન સાદાડ ટોકન દરે મળશે.તેમજ જાસૂદ, ટગર, ગુલાબ, ટગરી, એલેમેંડા, ડોલર, એમેનિયા, ફ્લેમિંગો વગેરે રોપઓ રાહત દરેથી વિતરણ કરવામાં આવશે.રોપાઓ લેવા આવતા વ્યક્તિએ પોતાનું વાહન અને રોપા હેરફેર પોતાની રીતે કરવાની રહેશે અને કોરોના ગાઈડલાયનના પાલન સાથે જ કર્તવ્ય જીવદયા કેન્દ્ર રવાપર-ઘુનડા રોડ, માધવ ગૌશાળા પેહલા, હરી ૐ સ્ટોન પછી મોરબી ખાતે રોપા વિતરણ કરાશે.તા.૨૭-૬ ને રવિવારથી બપોરે ૫ થી સાંજે ૮ સુધી જ વિતરણ કરાશે. આ સમય સિવાય રોપા આપવામાં આવશે નહીં.રોપા હશે ત્યાં સુધી દરરોજ વિતરણ ચાલુ રહેશે અને વધુ માહિતી માટે મો.75748 68886 ઉપર સંપર્ક કરવા જણાવાયેલ છે.






Latest News