મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં કામા અશ્વ રમતોત્સવ અંતર્ગત આજે ઘોડા અને ઘોડે સવારની પરીક્ષા કરતી એમ્બ્યુરન્સ રેસ


SHARE







વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં કામા અશ્વ રમતોત્સવ અંતર્ગત આજે ઘોડા અને ઘોડે સવારની પરીક્ષા કરતી એમ્બ્યુરન્સ રેસ

વાંકાનેરમાં આયોજિત કામા અશ્વ રમતોત્સવ દરમિયાન આજે એમ્બ્યુરન્સ રેસ યોજાઇ હતી જેમાં 25 જેટલા ઘોડ સવારો દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો અને આ રેસની વિશેષતાએ હોય છે કે, ડુંગરાળ પ્રદેશની અંદર ઘોડા અને ઘોડ સવાર બંનેની પરીક્ષા થાય છે અને ત્યારબાદ તે રેસની અંદર વિજેતા ઘોડો અને ઘોડે સવારના નામ જાહેર કરવામાં આવતા હોય છે

વાંકાનેર શહેરમાં રણજીત વીલા પેલેસની બાજુના ગ્રાઉન્ડમાં ગઈકાલથી કામા અશ્વ રમત ઉત્સવ શરૂ થયેલ છે અને ગઈકાલે રાજ્યપાલ, કેબિનેટ મંત્રી રાજ્ય મંત્રી, સાંસદ, ધારાસભ્ય વિગેરે આ કાર્યક્રમમાં આવ્યા હતા અને આજે સવારે 7:00 વાગ્યાથી કાઠીયાવાડી, મારવાડી અને કચ્છી ઘોડાઓની એમ્બ્યુરન્સ રેસનું આયોજન કરવામાં આવ્યું હતું અને રણજીત વિલા પેલેસ ખાતેથી આ રેસ શરૂ થઈ હતી જે ગઢિયા ડુંગરમાં કુલ 20 કિલોમીટર સુધી ફરીને રણજીત વિલાસ પેલેસ ખાતે જ પૂર્ણ કરવામાં આવી હતી

ગુજરાત કામા હોર્સ સોસાયટીના સભ્ય શિવરાજસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે રેસમાં ઘોડો દોડે અને પહેલા નંબરે આવે તેને વિજેતા જાહેર કરવામાં આવે છે પરંતુ એમ્બ્યુરન્સ રેસ ની અંદર તેવું નથી હોતું, આ રેસની અંદર ઘોડાઓને લઈને ઘોડ સવાર ડુંગરાળ અને પથ્થરાળ પ્રદેશની અંદર જતા હોય છે.અને ત્યાંથી પરત આવ્યા બાદ ઘોડાના હાર્ટબિટ, તેની હાલચાલ વિગેરે તમામ બાબતોનું વેટરનિટી ડોક્ટર દ્વારા પરીક્ષણ કરવામાં આવે અને ત્યાર પછી વિજેતા ઘોડા અને ઘોડ સવારના નામ જાહેર કરવામાં આવતા હોય છે






Latest News