ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં મ્યુલ બેંક એકાઉન્ટ કેસમાં યુવતી સહીત વધુ બે જેલ હવાલે


SHARE











મોરબીમાં મ્યુલ બેંક એકાઉન્ટ કેસમાં યુવતી સહીત વધુ બે જેલ હવાલે

મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આનંદભાઈ સોમાભાઈ હળવદિયા, કરણભાઈ સોમાભાઈ હળવદિયા, તથા વિપુલભાઈ રામજીભાઈ ગડા અને હેમુભાઈ વાળા સામે મ્યુલ બેંક વડે ફ્રોડ અંગે ફરિયાદ નોંધાઇ હતી.જે ગુનામાં પોલીસે અગાઉ આનંદભાઈ સોમાભાઈ હળવદિયાની ધરપકડ કરી હતી અને તેને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તેના છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા અને આ ગુનામાં તપાસનીસ અધિકારી પીએસઆઈ હરદેવસિંહ જાડેજા અને સ્ટાફે બાદમાં ગિરિરાજસિંહ કનકસિંહ ઉર્ફે કનુભા જાડેજા (૨૯) રહે.હાલ ભાગ્ય લક્ષ્મી સોસાયટી મોરબી મૂળ કાજુદા ખંભાડિયા વાળાની ધરપકડ કરેલ છે અને બાદ ઊંડી તપાસ કરવામાં આવતા વધુ નામ ખુલતા રવિ મનુભાઈ વિંધાણી વાણંદ (૩૨) રહે.શનાળા બહુચર માતાના મંદિર પાસે મૂળ રહે ગઢની રાંગ ભવાની ચોકને તેમજ તેની સાથે દિવ્યાબેન પરેશભાઈ સોલંકી વાણંદ (૨૫) રહે.જીવનજયોત સોસાયટી નવજીવન સ્કૂલ પાસે વાવડી રોડ મોરબી વાળાઓને પકડવામાં આવ્યા હતા અને બંનેને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટ દ્વારા જેલ હવાલે કરવા હુકમ કરવામાં આવતા જેલ હવાલે કરાયા હોવાનું તપાસ અધિકારી પીએસઆઇ એચ.આર.જાડેજાએ જણાવેલ છે.

વાહન અકસ્માત

હળવદના ખારીવાળી વિસ્તારમાં રહેતા પ્રમોદભાઈ મનજીભાઈ દલવાડી નામના ૪૫ વર્ષના યુવાનને હળવદની મોરબી ચોકડી ખાતે વાહન અકસ્માતમાં ઇજા થતા સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.જ્યારે માળિયા મીયાણાના અંજીયાસરમાં ઘર નજીક થયેલ મારામારીમાં ઇજા થતા કરીમ કાદરભાઈ નામના ૧૮ વર્ષના યુવાનને સારવાર માટે મોરબી લઇ જવાયો હતો.જ્યારે સુરેન્દ્રનગરના સાયલા પાસે કારમાં જતા સમયે કારનું ટાયર ફાટતા કાર પલ્ટી ગઈ હતી જે બનાવમાં ઇજા પામેલ હરેશભાઈ ચકુભાઈ જોગડીયા (૨૯) રહે. શ્રદ્ધા પાર્ક નવલખી રોડને વધુ સારવાર માટે મોરબી ખસેડાયા હતા.હળવદના સુંદરગઢના લાલજીભાઈ કુકાભાઈ ચરમારી (૩૨) નામનો યુવાન ચરાડવા નજીક અકસ્માતમાં ઇજા પામતા સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.વાંકાનેર અમરસિંહજી સ્કૂલ પાસે રહેતા શ્રવણભાઈ કચરાભાઈ નામના ૫૫ વર્ષના આધેડ ઘર નજીક પડી ગયા હોય વાંકાનેર ખાતે પ્રાથમિક સારવાર લીધા બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા.






Latest News