વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે મોરબીમાં ડ્રેનેજ-સ્ટ્રોમ વોટરના કામ માટે જુદાજુદા ત્રણ રોડને પોણો મહિના સુધી બંધ કરાયા મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા
Breaking news
Morbi Today

પંજાબમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આપનો ભવ્ય વિજય થતાં મોરબી જિલ્લા આપ દ્વારા કરાઇ ઉજવણી


SHARE











પંજાબમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આપનો ભવ્ય વિજય થતાં મોરબી જિલ્લા આપ દ્વારા કરાઇ ઉજવણી

પંજાબમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જેમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં 70 ટકાથી પણ વધારે સીટ જીતીને પ્રચંડ બહુમતીથી મળેલ વિજયને મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના હોદેદારો અને કાર્યકર્તાઓ દ્વારા ફટાકડા ફોડીને અને મીઠાઈ વહેંચીને ઉજવણી કરવામાં આવી હતી. આ જીતએ આમ આદમી પાર્ટીની કામની રાજનીતિની જીત છે. પંજાબના લોકોએ કામની રાજનીતિ પર ભરોસો મૂકીને 4 વર્ષ દરમિયાન કરેલા આમ આદમી પાર્ટીના કામોને જોઈને પ્રચંડ જીત અપાવી હતી અને ખોટા વાયદાઓ કરેલ પાર્ટીઓને ઘરભેગી કરી હતી. આવી જ રીતે ગુજરાતમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જેવી કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકા તથા મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં લોકો આમ આદમી પાર્ટીની કામની રાજનીતિને જ સ્વીકારશે જેનો અમને વિશ્વાસ છે. આ ઉજવણી સમયે પંકજભાઈ રણસરિયા, મહાદેવભાઇ પટેલ, કે.ડી.બાવરવા સહિતના આગેવાનો, હોદેદારો અને કાર્યકર્તા હાજર રહ્યા હતા






Latest News