ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

​​​​​​​મોરબીની યુ.એન. મહેતા આર્ટસ કોલેજમાં રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસની કરાઇ ઉજવણી


SHARE











મોરબીની યુ.એન. મહેતા આર્ટસ કોલેજમાં રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસની કરાઇ ઉજવણી

મોરબીમાં સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજ ખાતે રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસની ઉજવણી કરાઇ હતી ત્યારે ડૉ.નાજાભાઈ કોડીયાતરે સૂર્યકૂકર દ્વારા ઉર્જા બચાવવાના, પેટ્રોલ-ડીઝલ બચાવવાના, વીજળી અને વૃક્ષોને બચાવવાના ઉપાયો દ્રષ્ટાંતો આપીને સમજાવીને વિદ્યાર્થીઓને જાગૃત કર્યા હતા. તો ઇનોવેશન ક્લબના કોર્ડીનેટર ડૉ. અનિલસિંહ રાજપૂતે પણ ઉર્જાને કઈ રીતે સુરક્ષિત કરવી, તેમજ પ્રાપ્ય ઉર્જા અને અપ્રાપ્ય ઉર્જાની જાળવણી કઈ રીતે કરવી તેની વિગતવાર માહિતી આપી હતી. કેસીજી અંતર્ગત ફિનિશિંગ સ્કૂલ પ્રોગ્રામના કોર્ડીનેટર ડૉ. અતુલભાઇ ધ્રુવે ફિનિશિંગ સ્કૂલ પ્રોગ્રામ વિશે માહિતી આપી હતી આ પ્રોગ્રામમાં સફળતા પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપીને સન્માનીત કર્યા હતા અને આચાર્ય ડો. રામભાઈ વારોતરીયાએ પણ વિદ્યાર્થીઓને ઉર્જા સંરક્ષણ તેમજ સસ્ટેનેબલ ડેવલોપમેન્ટની સમજૂતી આપી હતી. કાર્યક્રમનું સંચાલન ડૉ. કવિતાબા ઝાલાએ કર્યું હતું.






Latest News