મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

​​​​​​​મોરબીની યુ.એન. મહેતા આર્ટસ કોલેજમાં રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસની કરાઇ ઉજવણી


SHARE











મોરબીની યુ.એન. મહેતા આર્ટસ કોલેજમાં રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસની કરાઇ ઉજવણી

મોરબીમાં સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજ ખાતે રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસની ઉજવણી કરાઇ હતી ત્યારે ડૉ.નાજાભાઈ કોડીયાતરે સૂર્યકૂકર દ્વારા ઉર્જા બચાવવાના, પેટ્રોલ-ડીઝલ બચાવવાના, વીજળી અને વૃક્ષોને બચાવવાના ઉપાયો દ્રષ્ટાંતો આપીને સમજાવીને વિદ્યાર્થીઓને જાગૃત કર્યા હતા. તો ઇનોવેશન ક્લબના કોર્ડીનેટર ડૉ. અનિલસિંહ રાજપૂતે પણ ઉર્જાને કઈ રીતે સુરક્ષિત કરવી, તેમજ પ્રાપ્ય ઉર્જા અને અપ્રાપ્ય ઉર્જાની જાળવણી કઈ રીતે કરવી તેની વિગતવાર માહિતી આપી હતી. કેસીજી અંતર્ગત ફિનિશિંગ સ્કૂલ પ્રોગ્રામના કોર્ડીનેટર ડૉ. અતુલભાઇ ધ્રુવે ફિનિશિંગ સ્કૂલ પ્રોગ્રામ વિશે માહિતી આપી હતી આ પ્રોગ્રામમાં સફળતા પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપીને સન્માનીત કર્યા હતા અને આચાર્ય ડો. રામભાઈ વારોતરીયાએ પણ વિદ્યાર્થીઓને ઉર્જા સંરક્ષણ તેમજ સસ્ટેનેબલ ડેવલોપમેન્ટની સમજૂતી આપી હતી. કાર્યક્રમનું સંચાલન ડૉ. કવિતાબા ઝાલાએ કર્યું હતું.






Latest News