મોરબીમાં બંધ પડેલ 300 જેટલા સિરામિક કારખાનના બાંધકામ જંત્રી દરની વિસંગતતા દૂર થવાની આશા ઉપર સરકારના એક પત્રથી પાણી ફરી વળ્યું ! મોરબી જિલ્લા સેવા સદનના તમામ દરવાજા ખોલવામાં ન આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની સિનિયર સીટીઝને ઉચ્ચારી ચીમકી ધારાસભ્યની સફળ રજૂઆત: વાંકાનેરના આઈટીઆઈમાં મહિલા માટે વિવિધ 4 કોર્સ શરૂ કરાયા વાંકાનેર યાર્ડમાં આવતા ખેડૂતો-કામદારોને અકસ્માત મૂત્યુ સહાયનો લાભ આપવા યુવા ડિરેક્ટરે કરી રજૂઆત હળવદ નજીકથી 35 પાડાને ભરેલ આઇસર સહિત 2.58 લાખનો મુદામાલ કબ્જે, અમદાવાદનાં બે શખ્સ સામે ફરિયાદ મોરબીના વાવડી રોડ રહેતી મહિલા ઉપર પ્રેમસંબંધની શંકા રાખીને ઘરમાં ઘૂસીને માર માર્યો, ધમકીઓથી કંટાળીને મહિલાની માતાએ કર્યો આપઘાત: 5 મહિલા સહિત 6 સામે ગુનો નોંધાયો વાંકાનેરમાં દુકાનની અંદર ગેરકાયદે ગેસના બાટલાનું રિફીલિંગ કરતા વેપારીની ધરપકડ: પીપળી ગામે મંદિર પાસેથી બાઈકની ચોરી મોરબીના લાલપર ગામ પાસે રોડ ક્રોસ કરી રહેલા યુવાનને બાઈક ચાલકે હડફેટે લેતા પગમાં ફ્રેક્ચર
Breaking news
Morbi Today

મોરબીના રાજપર રોડે વાડામાંથી 106 બોટલ દારૂ સાથે આરોપીની ધરપકડ: રાજસ્થાની સપ્લાયરની શોધખોળ


SHARE













મોરબીના રાજપર રોડે વાડામાંથી 106 બોટલ દારૂ સાથે આરોપીની ધરપકડ: રાજસ્થાની સપ્લાયરની શોધખોળ

મોરબીના રાજપર રોડ ઉપર આવેલ પટેલ સમાજ વાડી સામે વાડામાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂ 106 બોટલ મળી આવી હતી જેથી પોલીસે 1,17,342 નો દારૂનો જથ્થો કબ્જે કરીને હાલમાં એક આરોપીની ધરપકડ કરેલ છે અને બીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.પટેલના માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસો પેટ્રોલીગમા હતા ત્યારે હિતેષભાઇ ચાવડા તથા રવીભાઇ ચૌધરીને બાતમી મળેલ હતી કે, રાજપર રોડ પટેલ સમાજ વાડી સામે પીન્ટુ ઉર્ફે કાનો રમેશભાઇ ખાંભલાના કબ્જા ભોગવટા વાળા વાડામા દારૂનો જથ્થો રાખીને વેચાણ કરે છે જેથી કરીને પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર વાડામા આરોપી હાજર મળી આવ્યો હતો અને ત્યાંથી દારૂની કુલ 106 બોટલ મળી આવી હતી જેથી પોલીસે 1,17,342 નો દારૂ કબ્જે કરીને આરોપી પીંટુભાઇ ઉર્ફે કાનો રમેશભાઇ ખાંભલા (29) રહે. રાજપર રોડ પટેલ સમાજ વાડી સામે શનાળા મોરબી વાળાની ધરપકડ કરેલ હતી અને તેની પૂછપરછમાં માલ મોકલનાર તરીકે દેવેન્દ્રસિંહ પ્રતાપસિંહ રહે. બિયાવર, રાજસ્થાન વાળાનું નામ સામે આવ્યું છે જેથી કરીને પોલીસે બંને સામે ગુનો નોંધીને બીજા આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે. આ કામગીરી પીઆઇ આર.એસ.પટેલની સૂચના મુજબ પીએસઆઈ જે.સી.ગોહિલ તેમજ એસ.વી.દાફડા, કે.એમ.મિયાત્રા, વિજયદાન ગઢવી, હિતેષભાઇ ચાવડા, પૃથ્વીરાજસિંહ જાડેજા, સિધ્ધરાજસિંહ જાડેજા, રવિભાઇ પટેલ, અશ્વિનસિંહ સુરનાઓએ કરી હતી.






Latest News