ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના રાજપર રોડે વાડામાંથી 106 બોટલ દારૂ સાથે આરોપીની ધરપકડ: રાજસ્થાની સપ્લાયરની શોધખોળ


SHARE











મોરબીના રાજપર રોડે વાડામાંથી 106 બોટલ દારૂ સાથે આરોપીની ધરપકડ: રાજસ્થાની સપ્લાયરની શોધખોળ

મોરબીના રાજપર રોડ ઉપર આવેલ પટેલ સમાજ વાડી સામે વાડામાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂ 106 બોટલ મળી આવી હતી જેથી પોલીસે 1,17,342 નો દારૂનો જથ્થો કબ્જે કરીને હાલમાં એક આરોપીની ધરપકડ કરેલ છે અને બીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.પટેલના માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસો પેટ્રોલીગમા હતા ત્યારે હિતેષભાઇ ચાવડા તથા રવીભાઇ ચૌધરીને બાતમી મળેલ હતી કે, રાજપર રોડ પટેલ સમાજ વાડી સામે પીન્ટુ ઉર્ફે કાનો રમેશભાઇ ખાંભલાના કબ્જા ભોગવટા વાળા વાડામા દારૂનો જથ્થો રાખીને વેચાણ કરે છે જેથી કરીને પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર વાડામા આરોપી હાજર મળી આવ્યો હતો અને ત્યાંથી દારૂની કુલ 106 બોટલ મળી આવી હતી જેથી પોલીસે 1,17,342 નો દારૂ કબ્જે કરીને આરોપી પીંટુભાઇ ઉર્ફે કાનો રમેશભાઇ ખાંભલા (29) રહે. રાજપર રોડ પટેલ સમાજ વાડી સામે શનાળા મોરબી વાળાની ધરપકડ કરેલ હતી અને તેની પૂછપરછમાં માલ મોકલનાર તરીકે દેવેન્દ્રસિંહ પ્રતાપસિંહ રહે. બિયાવર, રાજસ્થાન વાળાનું નામ સામે આવ્યું છે જેથી કરીને પોલીસે બંને સામે ગુનો નોંધીને બીજા આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે. આ કામગીરી પીઆઇ આર.એસ.પટેલની સૂચના મુજબ પીએસઆઈ જે.સી.ગોહિલ તેમજ એસ.વી.દાફડા, કે.એમ.મિયાત્રા, વિજયદાન ગઢવી, હિતેષભાઇ ચાવડા, પૃથ્વીરાજસિંહ જાડેજા, સિધ્ધરાજસિંહ જાડેજા, રવિભાઇ પટેલ, અશ્વિનસિંહ સુરનાઓએ કરી હતી.






Latest News