મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના રાજપર રોડે વાડામાંથી 106 બોટલ દારૂ સાથે આરોપીની ધરપકડ: રાજસ્થાની સપ્લાયરની શોધખોળ


SHARE











મોરબીના રાજપર રોડે વાડામાંથી 106 બોટલ દારૂ સાથે આરોપીની ધરપકડ: રાજસ્થાની સપ્લાયરની શોધખોળ

મોરબીના રાજપર રોડ ઉપર આવેલ પટેલ સમાજ વાડી સામે વાડામાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂ 106 બોટલ મળી આવી હતી જેથી પોલીસે 1,17,342 નો દારૂનો જથ્થો કબ્જે કરીને હાલમાં એક આરોપીની ધરપકડ કરેલ છે અને બીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.પટેલના માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસો પેટ્રોલીગમા હતા ત્યારે હિતેષભાઇ ચાવડા તથા રવીભાઇ ચૌધરીને બાતમી મળેલ હતી કે, રાજપર રોડ પટેલ સમાજ વાડી સામે પીન્ટુ ઉર્ફે કાનો રમેશભાઇ ખાંભલાના કબ્જા ભોગવટા વાળા વાડામા દારૂનો જથ્થો રાખીને વેચાણ કરે છે જેથી કરીને પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર વાડામા આરોપી હાજર મળી આવ્યો હતો અને ત્યાંથી દારૂની કુલ 106 બોટલ મળી આવી હતી જેથી પોલીસે 1,17,342 નો દારૂ કબ્જે કરીને આરોપી પીંટુભાઇ ઉર્ફે કાનો રમેશભાઇ ખાંભલા (29) રહે. રાજપર રોડ પટેલ સમાજ વાડી સામે શનાળા મોરબી વાળાની ધરપકડ કરેલ હતી અને તેની પૂછપરછમાં માલ મોકલનાર તરીકે દેવેન્દ્રસિંહ પ્રતાપસિંહ રહે. બિયાવર, રાજસ્થાન વાળાનું નામ સામે આવ્યું છે જેથી કરીને પોલીસે બંને સામે ગુનો નોંધીને બીજા આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે. આ કામગીરી પીઆઇ આર.એસ.પટેલની સૂચના મુજબ પીએસઆઈ જે.સી.ગોહિલ તેમજ એસ.વી.દાફડા, કે.એમ.મિયાત્રા, વિજયદાન ગઢવી, હિતેષભાઇ ચાવડા, પૃથ્વીરાજસિંહ જાડેજા, સિધ્ધરાજસિંહ જાડેજા, રવિભાઇ પટેલ, અશ્વિનસિંહ સુરનાઓએ કરી હતી.






Latest News