લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને નજરબાગના સંયુક્ત ઉપક્રમે પ્રેરણાદાયી કાર્યક્રમ યોજાયો
ટંકારાના વિરપર ગામે અનાથ આશ્રમના બાળકોના હસ્તે ૮૦ લાખના વિકાસ કામોનું કર્યું ખાતમુહૂર્ત
SHARE
ટંકારાના વિરપર ગામે અનાથ આશ્રમના બાળકોના હસ્તે ૮૦ લાખના વિકાસ કામોનું કર્યું ખાતમુહૂર્ત
ટંકારા તાલુકાના વીરપર ગ્રામ પંચાયત દ્વારા ગામના વિકાસને નવી દિશા આપતા આશરે ૮૦ લાખના વિવિધ વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની સૌથી મોટી વિશેષતાએ હતી કે, આ વિકાસ કામોનું ખાતમુહૂર્ત બગાવડી ખાતે આવેલા વાત્સલ્યમ અનાથ આશ્રમના બાળકોના હસ્તે કરવામાં આવ્યું હતું, જે કામ કરવામાં આવશે તેમાં વીરપર ગ્રામ પંચાયત હસ્તક ગામની માળખાગત સુવિધાઓમાં વધારો થાય તેવા કામ લેવામાં આવેલ છે જેમાં પેવર બ્લોક નાંખવાના કામો, સી.સી. રોડ (કોન્ક્રીટ રોડ) બનાવવાનું કામ, કમ્પાઉન્ડ વોલના બાંધકામ જેવા કામોનો સમાવેશ થાય છે. આ વિકાસ કામો પૂર્ણ થતાં વીરપર ગામની સુવિધાઓમાં નોંધપાત્ર વધારો થશે આ તકે વીરપર ગામના સરપંચ મહેશભાઈ લીખિયા, ઉપસરપંચ તેમજ તમામ સભ્યો તેમજ અશોકભાઇ ચાવડા સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. અને આ ગામની ખાતમુહૂર્ત પ્રસંગે કરવામાં આવેલ પહેલને સહુ કોઈએ બિરદાવી હતી.