મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાી જહેમતથી નિમેદારને ૧૨.૦૮ લાખ વ્યાજ સહિત ચુકવવા હુકમ


SHARE







મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાી જહેમતથી નિમેદારને ૧૨.૦૮ લાખ વ્યાજ સહિત ચુકવવા હુકમ

મોરબીના વતનીની ગાડી સળગી જતા ઈફકો ટોકીયો ઈન્સ્યુરન્સ લી.એ રેપ્યુર્ડ લેટરથી ગ્રાહકને વિમો આપવાની ના પાડતા મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કરતા ગ્રાહક અદાલતે વિમેદારને રૂા.૧૨.૦૮ લાખ વ્યાજ સાથે ચુકવવા આદેશ કરેલ છે.

આ કેસની વિગત એવી છે કે, ગત તા.૮-૨-૨૪ ના રોજ ભરતભાઈ નાથાભાઇ ડાભીના કર્મચારીની દિકરીને દવાખાને લઈ જતા હતા ત્યારે ફરિયાદી ભરતભાઇની કાર પેટ્રોલ પંપ પાસે એક રીક્ષા સાથે અથડાતા અકસ્માત થયેલ અને કારના આગળના બોનેટમાં નુકશાન થયેલ પરંતુ ચલાવવામાં કોઈ પ્રોબ્લેમ ન હતો.જેથી કાર ચલાવીને પેટ્રોલ ૫ં૫ પાસે કાર પાર્ક કરેલ ત્યારે અચાનક બોનેટના ભાગમાંથી ધુમાડો નીકળવા લાગેલ અને કારમાં આગ લાગી હતી.જેથી કારને ખૂબજ નુકશાન થયેલ. આથી ફરિયાદીએ કારનો જેમાં વિમો હતો તે ઈફકો ટોકીયો જનરલ ઈન્સ્યુરન્સ લી.ને જાણ કરી અને વિમા કંપની પાસે કારની નુકશાનીની રકમ માંગેલ.તમામ આધાર પુરાવા આપ્યા છતાં વિમા કંપનીએ રેપ્યુર્ડ લેટરથી અયોગ્ય ગણાવી વિમો આપવાની ના પાડી દીધેલ.જેથી ભરતભાઈ ડાભીએ મોરબી શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા મારફત ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કરેલ.

અદાલતે વિમા કંપનીને જણાવેલ કે પોલીસીમાં રીટર્ન ટુ ઈનવોઈસનું પ્રીમીયમ ગ્રાહક પાસેથી લીધુ છે.વિમાનું પ્રીમીયમ રેગ્યુલર ભરેલ છે. સુપ્રીમ કોર્ટે જણાવેલ છે કે વીમેદારે કંપનીએ પ્રિમિયમ ભરેલ હોઈ તો વીમો આપવો પડે.વિમા કંપનીની બેદરકારી છે માટે ગ્રાહકને રૂા. ૧૨,૦૮,૫૭૫ તા.૧૯-૧૧-૨૪ થી ૬ ટકાના વ્યાજ સાથે અને રૂા.૫૦૦૦ ખર્ચ પેટેના સમય મર્યાદા (૨ માસ) માં ચુકવે નહીં બાદમાં ૯ ટકા લેખે ચુકવવાના રહેશે તેવો આદેશ કરેલ છે.કોઈપણ ગ્રાહકને અન્યાય થાય તો સંસ્થાના પ્રમુખ લાલજીભાઈ મહેતા (મો.૯૮૨૫૭ ૯૦૪૧૨), ઉપપ્રમુખ બળવંતભાઈ ભટ્ટ (મો.૯૩૨૭૪ ૯૯૧૮૫), ઉપપ્રમુખ હિતેષભાઈ મહેતા (મો.૯૯૭૮૯ ૮૩૯૮૬) અથવા મંત્રી રામ મહેતા મો.૯૯૦૪૭ ૯૮૦૪૮) નો સંપર્ક કરવો તેમ યાદીમાં જણાવાયેલ છે.






Latest News