મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાી જહેમતથી નિમેદારને ૧૨.૦૮ લાખ વ્યાજ સહિત ચુકવવા હુકમ


SHARE











મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાી જહેમતથી નિમેદારને ૧૨.૦૮ લાખ વ્યાજ સહિત ચુકવવા હુકમ

મોરબીના વતનીની ગાડી સળગી જતા ઈફકો ટોકીયો ઈન્સ્યુરન્સ લી.એ રેપ્યુર્ડ લેટરથી ગ્રાહકને વિમો આપવાની ના પાડતા મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કરતા ગ્રાહક અદાલતે વિમેદારને રૂા.૧૨.૦૮ લાખ વ્યાજ સાથે ચુકવવા આદેશ કરેલ છે.

આ કેસની વિગત એવી છે કે, ગત તા.૮-૨-૨૪ ના રોજ ભરતભાઈ નાથાભાઇ ડાભીના કર્મચારીની દિકરીને દવાખાને લઈ જતા હતા ત્યારે ફરિયાદી ભરતભાઇની કાર પેટ્રોલ પંપ પાસે એક રીક્ષા સાથે અથડાતા અકસ્માત થયેલ અને કારના આગળના બોનેટમાં નુકશાન થયેલ પરંતુ ચલાવવામાં કોઈ પ્રોબ્લેમ ન હતો.જેથી કાર ચલાવીને પેટ્રોલ ૫ં૫ પાસે કાર પાર્ક કરેલ ત્યારે અચાનક બોનેટના ભાગમાંથી ધુમાડો નીકળવા લાગેલ અને કારમાં આગ લાગી હતી.જેથી કારને ખૂબજ નુકશાન થયેલ. આથી ફરિયાદીએ કારનો જેમાં વિમો હતો તે ઈફકો ટોકીયો જનરલ ઈન્સ્યુરન્સ લી.ને જાણ કરી અને વિમા કંપની પાસે કારની નુકશાનીની રકમ માંગેલ.તમામ આધાર પુરાવા આપ્યા છતાં વિમા કંપનીએ રેપ્યુર્ડ લેટરથી અયોગ્ય ગણાવી વિમો આપવાની ના પાડી દીધેલ.જેથી ભરતભાઈ ડાભીએ મોરબી શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા મારફત ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કરેલ.

અદાલતે વિમા કંપનીને જણાવેલ કે પોલીસીમાં રીટર્ન ટુ ઈનવોઈસનું પ્રીમીયમ ગ્રાહક પાસેથી લીધુ છે.વિમાનું પ્રીમીયમ રેગ્યુલર ભરેલ છે. સુપ્રીમ કોર્ટે જણાવેલ છે કે વીમેદારે કંપનીએ પ્રિમિયમ ભરેલ હોઈ તો વીમો આપવો પડે.વિમા કંપનીની બેદરકારી છે માટે ગ્રાહકને રૂા. ૧૨,૦૮,૫૭૫ તા.૧૯-૧૧-૨૪ થી ૬ ટકાના વ્યાજ સાથે અને રૂા.૫૦૦૦ ખર્ચ પેટેના સમય મર્યાદા (૨ માસ) માં ચુકવે નહીં બાદમાં ૯ ટકા લેખે ચુકવવાના રહેશે તેવો આદેશ કરેલ છે.કોઈપણ ગ્રાહકને અન્યાય થાય તો સંસ્થાના પ્રમુખ લાલજીભાઈ મહેતા (મો.૯૮૨૫૭ ૯૦૪૧૨), ઉપપ્રમુખ બળવંતભાઈ ભટ્ટ (મો.૯૩૨૭૪ ૯૯૧૮૫), ઉપપ્રમુખ હિતેષભાઈ મહેતા (મો.૯૯૭૮૯ ૮૩૯૮૬) અથવા મંત્રી રામ મહેતા મો.૯૯૦૪૭ ૯૮૦૪૮) નો સંપર્ક કરવો તેમ યાદીમાં જણાવાયેલ છે.






Latest News