મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

તંત્રનો સપાટો: મોરબીના નહેરૂ ગેટ ચોકમાંથી લારી, ગલ્લા, પાથરણા સહિતના 60 થી વધુ દબાણો દૂર, વેપારીઓને કર્યો 20 હજારથી વધુનો દંડ


SHARE







તંત્રનો સપાટો: મોરબીના નહેરૂ ગેટ ચોકમાંથી લારી, ગલ્લા, પાથરણા સહિતના 60 થી વધુ દબાણો દૂર, વેપારીઓને કર્યો 20 હજારથી વધુનો દંડ

 

મોરબીની આન બાન અને શાન સમાન નહેરુ ગેટ ચોક દબાણ મુક્ત થાય તેના માટે મહાપાલિકા દ્વારા આ અગાઉ દબાણ દૂર કરવામાં આવ્યા હતા તેમ છતાં પણ છેલ્લા દિવસોથી ફરી પાછા લારી, ગલ્લા સહિતના દબાણ થઈ ગયા હતા જે મહાપાલિકાના અધિકારીના ધ્યાન ઉપર આવતાની સાથે જ અધિકારીઓની ટીમ આજે મોડી સાંજે મોરબી નહેરુ ગેટ ચોક ખાતે પહોંચી હતી અને ત્યાં લારી, ગલ્લા, પાથરણા સહિતના 60 થી વધુ દબાણ દૂર કરવામાં આવ્યા હતા તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા વેપારીઓ પાસેથી 20 હજારથી વધુનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

 

મોરબી મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ જુદા જુદા વિસ્તારમાંથી દબાણ દૂર કરવા માટેની કામગીરી કમિશનરની સૂચના અને માર્ગદર્શન હેઠળ સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવતી હોય છે તેવી જ રીતે અગાઉ મોરબીના નહેરુ ગેટ ચોકમાં કરવામાં આવેલ લારી, ગલ્લા, પાથરણા સહિતના દબાણોને દૂર કરવામાં આવ્યા હતા ત્યાર બાદ થોડા સમય માટે મોરબીનો નેહરુ ગેટ ચોક દબાણ મુક્ત રહ્યો હતો પરંતુ છેલ્લા કેટલાક સમયથી લારી, ગલ્લા, પાથરણા સહિતના દબાણો ફરી પાછા ચોકમાં ગોઠવાઈ ગયા હતા જે બાબત મહાપાલિકાના કમિશનર તથા ડેપ્યુટી કમિશનરના ધ્યાન ઉપર આવી હતી જેથી મંગળવારે મોડી સાંજે ડેપ્યુટી કમિશ્નર સંજય સોની સહિતનો કાફલો નહેરુ ગેટ ચોકમાં પહોંચ્યો હતો અને ત્યાં લારી, ગલ્લા, પાથરણા સહિતના જે દબાણ હતા તે તમામ દબાણોને દૂર કરવામાં આવ્યા હતા અને જે વેપારીઓ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવતો હતો તેની પાસેથી 20 હજારથી વધુનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. વધુમાં માહિતી આપતા ડેપ્યુટી કમિશનર સંજય સોનીએ જણાવ્યું હતું કે નહેરુ ગેટ ચોકની આસપાસમાં અને લોહાણાપરા વિસ્તારમાં જે કોઈ લારી, ગલ્લા, પાથરણા સહિતના દબાણો છે તે કાયમી ધોરણે દૂર થાય તેના માટે થઈને અહીંયા આગામી આઠ દિવસ સુધી મહાપાલીકા દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ રાખવામાં આવશે અને અહીંયાથી કાયમી ધોરણે દબાણો દૂર થાય તેના માટેની વ્યવસ્થા કરવામાં આવશે






Latest News