વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોંગ્રેસમાં ૮૨ આગેવાનો સેન્સ પ્રક્રિયામાં જોડાયા મોરબીમાં બંધ પડેલા સિરામિક કારખાનાના શેડ બન્યા ક્રિકેટ મેચના મેદાન: વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ મોરબીના નવા ફડસર ગામે માલિકીની જગ્યામાં કરેલ કચરાના ઢગલા ઉપાડવાનું કહેતા વૃદ્ધ ઉપર બે શખ્સોએ કર્યો કુહાડી અને ધોકા વડે હુમલો હળવદના સાપકડા ગામે વાડીના શેઢે ઉભા કરેલા થાંભલા કાઢી નાખતા શખ્સને સમજાવવા ગયેલ આધેડને માથામાં ધોકો ફટકારતા 8 ટાંકા આવ્યા હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા બંને યુવાનોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડાયા વાંકાનેરના રાજા વડલા ગામે વાડી આવેલ કુવામાં કોઈપણ કારણોસર પડી જવાથી વૃદ્ધનું મોત ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન
Breaking news
Morbi Today

મોરબી સહિત ગુજરાતમાં ગાય-ખૂંટીયામાં જોવા મળતા ખરવા-મોવા જેવા રોગની સારવાર માટે કેમ્પ કરવા સીએમને રજૂઆત


SHARE











મોરબી સહિત ગુજરાતમાં ગાય-ખૂંટીયામાં જોવા મળતા ખરવા-મોવા જેવા રોગની સારવાર માટે કેમ્પ કરવા સીએમને રજૂઆત

મોરબીમાં ગાય ખૂંટીયાના પગમાં ખરી વધી જવાના લીધે તેઓને પગમાંથી લોહી નીકળતા હોય છે જેથી કરીને તેઓની સારવાર માટે કેમ્પ રાખવામાં આવે તેવી મોરબીમાં ત્રાજપર ચોકડી પાસે રહેતા કરસનભાઈ એમ. ભરવાડએ રાજ્યના સીએમને રજૂઆત કરી છે.

જે રજૂઆત કરેલ છે તેમાં જણાવ્યુ છે કે, મોરબી સહિત ગુજરાતમાં ગાય ખુટીયા જેવા અબોલજીવમાં ખરવા મોવા જેવો રોગ ફાટી નીકળેલ છે જેથી ગાયોના પગની ખરીમાં જીવાતું તેમજ નીકળતા લોહીથી અબોલ જીવ ખૂબ જ દુઃખી થાય છે આટલું જ નહીં તે ચાલી શકતો નથી બેસી શકતો નથી અને ચાલે તો પગની ખરીમાંથી લોહી નીકળે છે. અને જીવાત થવાના કારણે આ પશુધન ખૂબ દુઃખી થાય છે જેથી પશુધનમાં આવેલ ખરવા મોવાના રોગ જેવા ગંભીર બીમારીમાંથી પશુધનને મુક્ત કરવા માટે ગામે ગામ ખરવા મોવા રોગનો કેમ્પ રાખવા તેમજ ખરવા મોવા રોગની રસી મુકવા રજૂઆત કરવામાં આવેલ છે.






Latest News