મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત મોરબી એસ.ટી. ડેપોના ૧૪૫થી વધુ અધિકારી-કર્મચારીઓનું આરોગ્ય સ્ક્રીનીંગ કરાયું સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના થકી મોરબીના હર્ષ બોસીયાનું MBBS કરવાનું સ્વપ્ન થયું સાકાર મોરબી જિલ્લામાં ૬૫મી સુબ્રટો મુખરજી કપ ફૂટબોલ સ્પર્ધા યોજાશે મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા
Breaking news
Morbi Today

મોરબી વકીલ મંડળના પ્રમુખપદે જીતુભા જાડેજા, સેક્રેટરી તરીકે જીતેન અગેચાણીયા ચુંટાયા


SHARE











મોરબી વકીલ મંડળના પ્રમુખપદે જીતુભા જાડેજા, સેક્રેટરી તરીકે જીતેન અગેચાણીયા ચુંટાયા

ગુજરાતભરના બાર એસો.ની જેમ મોરબી બાર એસોસીએશનની પણ આજે ચૂંટણી યોજવામાં આવી હતી જે ચૂંટણીમાં પ્રમુખ પદ માટે ત્રણ લોકોએ અને અન્ય હોદાઓ માટે સભ્ય ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી હતી જેની મતગણતરી બાદ પ્રમુખ તરીકે જીતેન્દ્રસિંહ આર.જાડેજા અને સેક્રેટરી તરીકે જીતેનભાઈ દિલીપભાઈ અગેચાણીયા બહુમતીથી ચુંટાયા હોવાનું જાણવા મળેલ છે.

મોરબી વકીલ મંડળના પ્રમુખ તરીકે છેલ્લા બે વર્ષથી દીલીપભાઈ અગેચાણીયા કાર્યરત હતા કારણકે કોરોનાના કારણે ગઇ વખતે પ્રમુખ દીલીપભાઈ અગેચાણીયા સહીતની બોડીની સમય મર્યાદા પુરી થતા કોરોનાને લીધે ચુંટણી યોજવાને બદલે જનરલ બોર્ડની મીટીંગ રાખવામાં આવી હતી.જેતે સમયે મીટીંગમાં સર્વાનુમતે એવો ઠરાવ થયેલ કે કોરોના મહામારીના પગલે ચુંટણી યોજવાને બદલે ચાલુ વર્ષે જે હોદેદારો ચુંટાયેલ છે તે આખી બોડીને આગામી વર્ષ માટે એટલે કે તા.૩૧-૧૨-૨૧ સુધી યથાવત રાખવી.જેથી સતત બીજા વર્ષે પણ મોરબી વકીલ મંડળના ચુંટાયેલ હોદેદારોમાં પ્રમુખ તરીકે દીલીપભાઈ અગેચાણીયા, ઉપપ્રમુખ તરીકે અશોકભાઈ સરાડવા, સેક્રેટરી પદે મહીધરભાઈ દવે, જોઈન્ટ સેક્રેટરી તરીકે અલ્પેશભાઈ પારેખની અને કારોબારી સભ્યો તરીકે કલ્પેશ શંખેસરીયા, ધવલ શેરશીયા, ઉદયસિંહ જાડેજા તે તમામ હોદેદારોને હોદા ઉપર ચાલુ રાખવામાં આવ્યા હતા.તે હોદેદારોની ટર્મ આગામી તા.૩૧-૧૨-૨૧ એ પુરી થવાની હોવાથી મોરબી વકીલ મંડળની આજે તા.૧૭ મી ડિસેમ્બર ૨૦૨૧ ના રોજ ચૂંટણી યોજાઈ હતી જેમાં કુલ સભ્યો પૈકી ૩૨૦ જેટલા સભ્યોએ મતદાન કર્યું હતું.જેમાં પ્રમુખ તરીકે જીતેન્દ્રસિંહ જાડેજા, અશોકભાઈ ખુમાણ અને પી.ડી.માનસેતા એમ ત્રણ સભ્યોએ ઉમેદવારી કરી હતી જેમા મત ગણતરીના અંતે જીતેન્દ્રસિંહ જાડેજાને ૧૬૨ મત, અશોકભાઈ ખુમાણને ૧૪૪ મત અને પી.ડી.માનસેતાને ૬ મત મળ્યા હોય બહુમતીથી જીતેન્દ્રસિંહ જાડેજાની મોરબી બાર એસોસિયેશનના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી.

જ્યારે ઉપપ્રમુખ પદ માટે સી.ડી.કારીયા અને ડી.પી.ઓઝા વચ્ચે ટકકર હતી જેમાં સી.ડી.કારીયાને ૧૭૦ મત અને ડી.પી.ઓઝાને ૧૨૯ મત મળ્યા હોય સી.ડી.કારીયાને ઉપપ્રમુખપદે વિજેતા જાહેર કરાયા હતા.તેમજ મહત્વના ગણાતા સેક્રેટરી પદ માટે પણ બે સભ્યોએ ઉમેદવારી કરી હતી જેમાં જે.ડી.અગેચાણીયાને ૨૦૩ મત અને બી.બી.હડીયલને ૧૦૪ મત મળ્યા હોય બહુમતીથી જીતેનભાઈ દિલીપભાઈ અગેચાણીયાને સેક્રેટરી પદે વિજેતા જાહેર કરાયા હતા. તે ઉપરાંત જોઇન્ટ સેક્રેટરી તરીકે ત્રણ ઉમેદવારો હતા જેમાં કે.આઇ.ભોરીયાને ૧૦૩ મત, જી.જે.છત્રોલાને ૯૭ અને અને વાય.જે.જાડેજાને ૮૫ મત મળ્યા હોય બહુમતીથી કે.આઇ.ભોરીયાને જોઇન્ટ સેક્રેટરી પદ માટે ચૂંટી કાઢવામાં આવ્યા હતા. તે ઉપરાંત કારોબારી સભ્યો તરીકે એન.ટી.વાઘડિયા, કે.ડી.સંખેશરીયા અને ઉદયસિંહ આર.જાડેજાની વરણી કરવામાં આવી હોવાનું બાર એસો.ના ચુંટણી અધીકારી રાજેશભાઇ બદ્રકીયા, અશોકભાઇ સરડવા અને જે.એમ.પરીખ પાસેથી જાણવા મળેલ છે 






Latest News