મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત મોરબી એસ.ટી. ડેપોના ૧૪૫થી વધુ અધિકારી-કર્મચારીઓનું આરોગ્ય સ્ક્રીનીંગ કરાયું સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના થકી મોરબીના હર્ષ બોસીયાનું MBBS કરવાનું સ્વપ્ન થયું સાકાર મોરબી જિલ્લામાં ૬૫મી સુબ્રટો મુખરજી કપ ફૂટબોલ સ્પર્ધા યોજાશે મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા
Breaking news
Morbi Today

મોરબીના શનાળા રોડ ઉપર રહેતા જૈન આધેડનું શંકાસ્પદ હાલતમાં મોત, મર્ડરની આશંકાએ તપાસ ચાલુ


SHARE











મોરબીના શનાળા રોડ ઉપર રહેતા જૈન આધેડનું શંકાસ્પદ હાલતમાં મોત, મર્ડરની આશંકાએ તપાસ ચાલુ

મોરબીના શનાળા રોડ ઉપર આવેલી આરાધના સોસાયટીમાં રહેતા જૈન આધેડ ઘરે એકલા હતા તેમના પત્ની-પુત્ર પ્રસંગ સબબ ગોવા ગયેલા હતા તે દરમિયાનમાં ગઈકાલે સાંજે આધેડને માથાના ભાગે ઇજાગ્રસ્ત હાલતમાં અહિંની ક્રિષ્ના હોસ્પિટલે સારવારમાં ખસેડાયા હતા અને તેઓનું મોત નિપજયુ હોય અને હાલ મોત શંકાસ્પદ જણાતા પોલીસે વિવિધ દિશામાં તપાસ હાથ ધરી છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, મોરબીના શનાળા રોડ ઉપર આવેલ જીઆઇડીસીની સામેની આરાધના સોસાયટીમાં રહેતા દિનેશભાઇ અમૃતલાલભાઈ મહેતા નામના ૭૬ વર્ષીય જૈન વૃદ્ધ તેમના ઘરે એકલા હતા કારણકે તેમના પત્ની અને તેમનો પુત્ર કોઈ પ્રસંગ સબબ ગોવા ગયા હોય ઘરે એકલા રહેલા દિનેશભાઈ મહેતા એકલા હોય તેમના આસપાસના લોકોને તેઓનું ધ્યાન રાખવાનું કહ્યું હતું માટે પાડોશી દિનેશભાઇના ઘરે જતાં ગઈકાલ સાંજે છએક વાગ્યાના અરસામાં માથાના ભાગે ઈજાગ્રસ્ત હાલતમાં દિનેશભાઈ મહેતા તેમના ઘરમાંથી મળી આવતા તેમને આડોશ પાડોશના લોકોએ ગઇકાલે સાંજે છએક વાગ્યે ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા અને દરમિયાનમાં તેઓનું મોત નીપજયું હતું.

હાલ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મૃતક દિનેશભાઈ મહેતાને માથાના ભાગે અને ગળાના ભાગે ઈજાનાં નિશાન જોવા મળ્યા છે હાલ બનાવ અકસ્માતે પડી જવાથી મોત થવાનો છે કે લૂંટના ઇરાદે કોઈ ઈસમ દ્વારા તેઓને બોથડ પદાર્થ ઝીંકીને દિનેશભાઇ મહેતાની હત્યા નિપજાવવામાં આવી છે..? તએ બંને દિશાઓમાં મોરબી સીટી એ-ડિવીઝન પીઆઇ આલના માર્ગદર્શન હેઠળ સ્ટાફે આગળની તપાસ હાથ ધરી છે.

વધુમાં મળતી માહિતી મુજબ મૃતક દિનેશભાઈ મહેતા ઘરે એકલા હતા અને તેમના ઉપર કોઈના દ્વારા તીક્ષણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો એ પણ જાણવા મળી રહ્યું છે કારણ કે જાણવા મળતી વિગતો મુજબ તેમના આંગળીના ભાગે ઈજા છે તેમજ કપાળના ભાગે પણ ઇજાના નિશાન છે તેમજ ગળાના ભાગે ગળેટુંપો આપવામાં આવ્યો હોય તેવી પણ શકયતા જોવા મળી રહી હોય મોરબી સિવિલ હોસ્પિટલ ખાતેથી તેઓના ડેડબોડીને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.

 






Latest News