ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી–માળિયા તાલુકાની ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની ટીમનું સ્નેહ મિલન યોજાયું


SHARE











મોરબીમાળિયા તાલુકાની ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની ટીમનું સ્નેહ મિલન યોજાયું

સમાજનો સાથ એજ સમાજનો વિકાસના સૂત્ર સાથે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મોરબીમાળિયા તાલુકા દ્વારા નવ નિયુક્ત ગામ સમિતિના હોદેદારોનો ભવ્ય સત્કાર સમારોહ અને સાથે સ્નેહમિલન યોજાયું હતું જેમાં મોટી સંખ્યામાં યુવાનો સહિતના લોકો હાજર રહ્યા હતા.

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના તથા ઠાકોર સમાજને વધુ એક્ટિવ અને સંગઠિત બનાવવા માટે જુદાજુદા સેંટરોમાં કાર્યક્રમો યોજાઇ રહ્યા છે તેવામાં ગુજરાત ચુવાળીયા ઠાકોર સમાજના જાગૃતિ અભિયાનને આગળ ધપાવતા અલ્પેશજી ઠાકોરના માર્ગદર્શન હેઠળ આગામી તા 26 જાન્યુઆરીના રોજ ગાંધીનગર ખાતે રાત્રે 3 વાગ્યે યોજાનારા મહાસંમેલન અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરવા માટે મોરબીમાં માળિયા ફાટક પાસે આવેલ ટિંબાવાળી મેલડી માતાજીનાં મંદિરે કાર્યક્ર્મનું આયોજન કરવામાં આવ્યું હતું તેની સાથે મોરબીમાળિયા તાલુકાના નવ નિયુક્ત ગામ સમિતિના હોદેદારોનો સત્કાર સમારોહ અને સ્નેહમિલન પણ યોજાયું હતું આ કાર્યક્રમ દરમિયાન નવા હોદેદારોને તેમની જવાબદારીઓ સોંપવામાં આવી હતી અને સંગઠન દ્વારા આગામી સમયમાં સમાજમાં શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ લાવવા માટેના આયોજનો કરવા માટેનો સંકલ્પ કરવામાં આવેલ હતો. આ કાર્યક્ર્મના મુખ્ય આયોજકો જિલ્લાના પ્રમુખ હેમંતભાઈ સુરેલા, મોરબી તાલુકાનાં પ્રમુખ જીતેશભાઈ પરમારમ શહેરના પ્રમુખ યોગેશભાઈ ઉઘરેજા તેમજ વિજયભાઈ દેગામા, અમિતભાઈ ભીમાણી, મનીષભાઈ ઠાકોર, ભરતભાઈ પરમાર, ભરતભાઈ સરવૈયા વિગેરે હતા. 






Latest News