મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીના શાંતિવન વિસ્તારમાં ડો. બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો


SHARE













મોરબીના શાંતિવન વિસ્તારમાં ડો. બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો

૬ ડિસેમ્બર ભારતના બંધારણના ઘડવૈયા, ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિન નિમિત્તે, મોરબીના શાંતિવન વિસ્તારમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અને શાંતિવન પ્રાથમિક શાળા પાસે યોજાયેલા આ કાર્યક્રમમાં આજુબાજુના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને ડો. બાબાસાહેબને ભાવભીની અંજલિ અર્પણ કરી હતી. આ તકે શાંતિવન, લાયન્સનગર, રણછોડનગર, વિજયનગર, ભીમરાવનગર, રોહિદાસપરા અને આસપાસના વિસ્તારોના લોકોએ એકસાથે આવીને ડો. બાબાસાહેબ આંબેડકરના જીવન, કાર્યો અને સંદેશને યાદ કર્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ડો. બાબાસાહેબ આંબેડકરના આદર્શોને પોતાના જીવનમાં ઉતારવા અને તેમના દ્વારા સ્થાપિત મૂલ્યોનું જતન કરવા સંકલ્પ લેવામાં આવ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રમેશભાઈ ચાવડા, સુખાભાઈ મકવાણા અને ભરતભાઈ સાગઠીયા સહિત વિસ્તારના અગ્રણીઓએ સક્રિય ભાગ લીધો હતો.






Latest News