મોરબીમાં ભાજપ દ્વારા ડો. બાબાસાહેબ આંબેડકરજીના મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજાયો
માળીયા (મી)ના મોટા દહીસરા ગામે ખેતી પાકને નુકસાન કરી વીજલાઈનનો થાંભલો ઉભો કરવા બદલ જેટકો કંપનીના અધિકારી અને કર્મચારી સહિત પાંચ સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધાયો
SHARE
માળીયા (મી)ના મોટા દહીસરા ગામે ખેતી પાકને નુકસાન કરી વીજલાઈનનો થાંભલો ઉભો કરવા બદલ જેટકો કંપનીના અધિકારી અને કર્મચારી સહિત પાંચ સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધાયો
માળીયા મીયાણા તાલુકાના મોટા દહીસરા ગામની સીમમાં ખેતીની જમીનમાં ખેડૂતની સંમતિ વગર દરવાજાને તથા પાકને નુકસાન કરીને જેટકો કંપની દ્વારા ત્યાં વીજ લાઈનનો થાંભલો ઉભો કરવામાં આવ્યો હતો અને તેના માટેનું વળતર ખેડૂતને ચૂકવવાના બદલે અન્યને ચૂકવવામાં આવ્યું હતું આમ ખેડૂતો સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવામાં આવી હતી જેથી કરીને હાલમાં વૃદ્ધ ખેડૂતની ફરિયાદ લઈને જેટકો કંપનીના અધિકારી, કર્મચારી તેમજ પંચક્યાંસમાં સાક્ષી તરીકે સહી કરનારાઓની સામે માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
મૂળ માળિયા મીયાણાના મોટા દહિસરા ગામના રહેવાસી અને હાલમાં રાજકોટમાં સાધુવાસવાણી રોડ ઉપર આવેલ પાટીદાર ચોક પાસે તીર્થરાજ મધુવન પાર્ક શેરી નંબર 5 માં રહેતા જયસુખભાઈ રામજીભાઈ અવાડીયા (61) એ માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જેટકો કંપનીના જવાબદાર અધિકારી, કર્મચારી તેમજ જેટકો કંપનીના અધિકારી જે.એમ.વિરમગામ તથા પંચક્યાસમાં સહી કરનાર બે વ્યક્તિઓ આમ કુલ મળીને પાંચ લોકોની સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે માળીયા મીયાણા તાલુકાના મોટા દહીસરા ગામની સીમમાં ફરિયાદીના કબજા ભોગવતા વાળી સર્વે નંબર 576/1 પૈકી 2 વાળી ખેતીની જમીનમાં તેઓની મંજૂરી વગર પ્રવેશ કરીને દરવાજાને તથા ખેતીના પાકને નુકસાન કર્યું હતું અને જેટકો કંપનીનો 132 કેવી વીજ લાઈનનો થાંભલો એપી- 4 વાળો ખેતરના પ્રવેશદ્વાર પર નાખીને ફરિયાદીને વળતર નહીં ચૂકવીને વળતર ચૂકવવા કરવામાં આવેલ પંચકયાસના બે સાક્ષીઓએ ખોટી સહી કરી ફરિયાદી સાથે વિશ્વાસઘાત કર્યો હતો અને ફરિયાદીના સર્વે નંબર 576 /1 પૈકી 2 વાળી જમીનના બદલે સર્વે નંબર 576 /1 પૈકી 1 ના માલિક કચરા લાખાભાઈને 2,66,915 નું વળતર ચૂકવી ફરિયાદી સાથે 2,66,915 ની છેતરપિંડી અને વિશ્વાસઘાત કરવામાં આવ્યો હતો જેથી કરીને ભોગ બનેલ વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે અત્રે ઉલ્લેખનીય છે કે, ફરિયાદી દ્વારા અગાઉ વર્ષ 2018 થી 2025 સુધીમાં અનેક જગ્યાએ લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી, આરટીઆઈ હેઠળ માહિતી માંગવામાં આવી હતી તેમજ કાનૂની પ્રક્રિયા કરવામાં આવી ત્યારબાદ તેઓની ફરિયાદ પોલીસ વિભાગ દ્વારા લેવામાં આવેલ છે.