મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

માળીયા (મી)ના મોટા દહીસરા ગામે ખેતી પાકને નુકસાન કરી વીજલાઈનનો થાંભલો ઉભો કરવા બદલ જેટકો કંપનીના અધિકારી અને કર્મચારી સહિત પાંચ સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધાયો


SHARE







માળીયા (મી)ના મોટા દહીસરા ગામે ખેતી પાકને નુકસાન કરી વીજલાઈનનો થાંભલો ઉભો કરવા બદલ જેટકો કંપનીના અધિકારી અને કર્મચારી સહિત પાંચ સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધાયો

માળીયા મીયાણા તાલુકાના મોટા દહીસરા ગામની સીમમાં ખેતીની જમીનમાં ખેડૂતની સંમતિ વગર દરવાજાને તથા પાકને નુકસાન કરીને જેટકો કંપની દ્વારા ત્યાં વીજ લાઈનનો થાંભલો ઉભો કરવામાં આવ્યો હતો અને તેના માટેનું વળતર ખેડૂતને ચૂકવવાના બદલે અન્યને ચૂકવવામાં આવ્યું હતું આમ ખેડૂતો સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવામાં આવી હતી જેથી કરીને હાલમાં વૃદ્ધ ખેડૂતની ફરિયાદ લઈને જેટકો કંપનીના અધિકારી, કર્મચારી તેમજ પંચક્યાંસમાં સાક્ષી તરીકે સહી કરનારાઓની સામે માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મૂળ માળિયા મીયાણાના મોટા દહિસરા ગામના રહેવાસી અને હાલમાં રાજકોટમાં સાધુવાસવાણી રોડ ઉપર આવેલ પાટીદાર ચોક પાસે તીર્થરાજ મધુવન પાર્ક શેરી નંબર 5 માં રહેતા જયસુખભાઈ રામજીભાઈ અવાડીયા (61) એ માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જેટકો કંપનીના જવાબદાર અધિકારી, કર્મચારી તેમજ જેટકો કંપનીના અધિકારી જે.એમ.વિરમગામ તથા પંચક્યાસમાં સહી કરનાર બે વ્યક્તિઓ આમ કુલ મળીને પાંચ લોકોની સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે માળીયા મીયાણા તાલુકાના મોટા દહીસરા ગામની સીમમાં ફરિયાદીના કબજા ભોગવતા વાળી સર્વે નંબર 576/1 પૈકી 2 વાળી ખેતીની જમીનમાં તેઓની મંજૂરી વગર પ્રવેશ કરીને દરવાજાને તથા ખેતીના પાકને નુકસાન કર્યું હતું અને જેટકો કંપનીનો 132 કેવી વીજ લાઈનનો થાંભલો એપી- 4 વાળો ખેતરના પ્રવેશદ્વાર પર નાખીને ફરિયાદીને વળતર નહીં ચૂકવીને વળતર ચૂકવવા કરવામાં આવેલ પંચકયાસના બે સાક્ષીઓએ ખોટી સહી કરી ફરિયાદી સાથે વિશ્વાસઘાત કર્યો હતો અને ફરિયાદીના સર્વે નંબર 576 /1 પૈકી 2 વાળી જમીનના બદલે સર્વે નંબર 576 /1 પૈકી 1 ના માલિક કચરા લાખાભાઈને 2,66,915 નું વળતર ચૂકવી ફરિયાદી સાથે 2,66,915 ની છેતરપિંડી અને વિશ્વાસઘાત કરવામાં આવ્યો હતો જેથી કરીને ભોગ બનેલ વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે અત્રે ઉલ્લેખનીય છે કે, ફરિયાદી દ્વારા અગાઉ વર્ષ 2018 થી 2025 સુધીમાં અનેક જગ્યાએ લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી, આરટીઆઈ હેઠળ માહિતી માંગવામાં આવી હતી તેમજ કાનૂની પ્રક્રિયા કરવામાં આવી ત્યારબાદ તેઓની ફરિયાદ પોલીસ વિભાગ દ્વારા લેવામાં આવેલ છે.






Latest News