મોરબીના નવા નાગડાવાસ ગામ પાસે પગપાળા જઈ રહેલ બે યુવાનોને અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા એકનું મોત: એકને ઇજા
SHARE
મોરબીના નવા નાગડાવાસ ગામ પાસે પગપાળા જઈ રહેલ બે યુવાનોને અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા એકનું મોત: એકને ઇજા
મોરબી માળિયા નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ નવા નાગડાવાસ ગામના પાટીયા પાસેથી બે યુવાનો પગપાળા ચાલીને પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે પાછળથી તે બંનેને હડફેટે લેતા એક યુવાનને માથામાં અને શરીરને ગંભીર ઇજા થવાના કારણે તેનું મોત નીપજ્યું હતુ જ્યારે બીજા યુવાનને માથામાં અને શરીરે ઈજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ઇજાગ્રસ્ત યુવાનની ફરિયાદ લઈને પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
મોરબીમાં માળિયા ફાટક પાસે વિદ્યુતનગર ના ખૂણા નજીક રહેતા જયેશભાઈ ઉર્ફે જલો પ્રભાભાઇ ઉકાવા (21)એ અજાણ્યા વાહન ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે મોરબી માળિયા નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ નવા નાગડાવાસ ગામના પાટીયા પાસે મુરલીધર ક્રિકેટ ગ્રાઉન્ડ કિસ્મત કાઠીયાવાડી હોટલ પાસેથી તા. 17/9/25 ના રોજ રાતે સાડા બાર વાગ્યે તેઓ તથા સન્નીભાઈ કગથરા પગપાળા ચાલીને જઈ રહ્યા હતા દરમિયાન કોઈ અજાણ્યા વાહન ચાલાકે પાછળથી તેઓને હડફેટે લેતા સનીભાઈ કગથરાને માથામાં અને શરીરને ગંભીર ઇજા થવાને કારણે તેનું સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું જ્યારે ફરિયાદીને માથામાં તથા શરીરને ઇજાઓ થઈ હોવાથી તેને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને અકસ્માત સર્જનાર અજાણ્યા વાહન ચાલકે બનાવની પોલીસને જાણ કરી ન હતી અને પોતાનું વાહન સ્થળ ઉપરથી લઈ ગયેલ છે જેથી કરીને અકસ્માત મૃત્યુના બનાવ સંદર્ભે યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે