વાંકાનેરમાં તા.૧૩ ના રોજ શાનદાર વાઇજ શરીફનો પ્રોગ્રામ યોજાશે
મોરબીમાં ભાજપ દ્વારા ડો. બાબાસાહેબ આંબેડકરજીના મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજાયો
SHARE
મોરબીમાં ભાજપ દ્વારા ડો. બાબાસાહેબ આંબેડકરજીના મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજાયો
ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માજી, ગુજરાત પ્રદેશ ભાજપ અજા મોરચા અધ્યક્ષ ગૌતમભાઈ ગેડિયા તેમજ મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટયાની માર્ગદર્શન હેઠળ ભારતીય બંધારણના ઘડવૈયા 'ભારત રત્ન' બાબાસાહેબ ડો. ભીમરાવ આંબેડકરજીના મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે મોરબી ખાતે કાર્યક્ર્મ યોજાયો હતો જેમાં મુખ્ય વક્તા તરીકે પાટડી દસાડાના ધારાસભ્ય પી.કે.પરમાર તથા સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પૂર્વ મહામંત્રી અનિરુદ્ધસિંહ પઢિયાર હાજર રહ્યા હતા તે ઉપરાંત મોરબી જિલ્લા પંચાયત અધ્યક્ષા શ્રીમતી હંસાબેન પારધી, ટંકારા વિધાનસભાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથારિયા, મોરબી જીલ્લા પંચાયત સામાજીક ન્યાય સમિતી ચેરમેન અશોકભાઇ ચાવડા, યુવા મોરચા પ્રમુખ જયદીપભાઈ પટેલ, બક્ષીપંચ મોરચા પ્રમુખ નિર્મલભાઈ જારીયા, મોરબી જિલ્લા અજા મોરચાના પ્રમુખ બાબુભાઇ પરમાર, કિસાન મોરચાના પ્રમુખ ગણપતસિંહ ઝાલા, મોરબી શહેર ભાજપના મહામંત્રી ભૂપતભાઇ જારીયા, જયોતિસિંહ જાડેજા, મોરબી તાલુકા ભાજપ પ્રમુખ વિશાલભાઈ ઘોડાસરા, હળવદ શહેર ભાજપ પ્રમુખ તપનભાઈ દવે, પ્રજ્ઞેશભાઈ વાઘેલા, જયરાજસિંહ જાડેજા, પ્રકાશભાઈ ચબાડ, મોરબી તાલુકા પંચાયત ન્યાય સમિતિ ચેરમેન રાજેશભાઈ પરમાર સહિત અનુ.જાતિ મોરચાના હોદેદારો અને પાર્ટીના કાર્યકરોની હાજરીમાં કાર્યક્ર્મ યોજાયો હતો.