હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં નવયુગ કરીઅર એકેડમી દ્વારા PSI-કોન્સ્ટેબલની પરીક્ષા પૂર્વે માર્ગદર્શન સેમિનારનું આયોજન


SHARE











મોરબીમાં નવયુગ કરીઅર એકેડમી દ્વારા PSI-કોન્સ્ટેબલની પરીક્ષા પૂર્વે માર્ગદર્શન સેમિનારનું આયોજન

આગમી સમયમાં પોલીસ વિભાગમાં મોટા પ્રમાણમાં ભરતી આવી રહી છે જેમાં PSI અને કૉન્સ્ટેબલનો સમાવેશ થાય છે અને તેની પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે મોરબીમાં નવયુગ કરીઅર એકેડમી દ્વારા ફ્રી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરાયું છે. જેનો મોરબીના યુવાન અને યુવતીઓએ લાભ લેવા માટે આયોજક દ્વારા અપીલ કરાયેલ છે.

મોરબીમાં નવયુગ કરીઅર એકેડમી દ્વારા તા. 7/12 ને રવિવારના રોજ સાંજે 4 થી 6 કલાકે સંસ્કાર ઇમેજિંગ સેન્ટર સેમિનાર હોલ જી.આઈ.ડી.સી., શનાળા રોડ, મોરબી ખાતે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં ખાસ કરીને પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી ?, શું વાંચવું ?, કયા વિષયમાંથી કેટલા પ્રશ્નો પુછાય છે ? વિગેરે જેવી માહિતી અને માર્ગદર્શન આપવામાં આવશે. અને આ સેમિનારમાં મોટિવેશનલ સ્પીકર શૈલેષભાઈ સગપરિયા દ્વારા યુવાનોને માર્ગદર્શન આપવામાં આવશે. જેથી મોરબીના વિદ્યાર્થીઓને તેનો લાભ લેવા માટે આયોજકોએ આમંત્રણ આપ્યું છે અને છે. અને કાર્યક્રમમાં આવનારા વિદ્યાર્થીઓએ વોટ્સએપ નં.: 97272 47472 પર નોંધણી કરાવવાની રહેશે. 






Latest News