ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાનના કવાર્ટરમાં યુવતીની હત્યા, હત્યારા યુવાનનું પણ મોત


SHARE











મોરબી નજીક કારખાનના કવાર્ટરમાં યુવતીની હત્યા, હત્યારા યુવાનનું પણ મોત

મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ સીરામીક કારખાનાના લેબર કવાર્ટરમાં યુવતી સાથે લીવ ઇનમાં રહેતા યુવાને યુવતીને માર માર્યો હતો જેથી યુવતીનું મોત નીપજયું હતું જેથી યુવતીની સાથે રહેતા શખ્સની સામે હત્યાનો ગુનો નોંધાયેલ છે જો કે, યુવાનને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પૂછપરછ માટે લઈને આવ્યા હતા ત્યારે યુવાને યુવતીની હત્યા કરી હોવાનું કબૂલાત આપેલ હતી અને ત્યાર બાદ યુવાનની તબિયત બગડી હતી જેથી તેને 108 મારફતે મોરબી સિવિલે લઈ ગયા હતા ત્યાં ફરજ ઉપરના ડોક્ટરે તેને મૃત જાહેર કરીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે અકસ્માત મૃત્યુના બાનવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબીના લખધીરપુર ગામ પાસે આવેલ લેક્સસ સિરામિક કારખાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા નરેન્દ્રસિંહ કમલસિંગ ધુરવાની સાથે તેના કવાર્ટરમાં લીવ ઇનમાં રહેતી પુષ્પાદેવી ગંભીરસિંહ મરાવી (20) નામની મહિલાને લાકડી અને પટ્ટા વડે માર માર્યો હતો અને ત્યાર બાદ યુવાન રૂમની બહાર જતો રહ્યો હતો અને તે રૂમમાં પાછો આવ્યો ત્યારે પુષ્પાદેવી મૃત હાલતમાં પડી હતી જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલે લઈને આવ્યા હતા અને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી પોલીસ ઘટના સ્થળે પહોચી હતી અને મૃતક યુવતીની સાથે રહેતા નરેન્દ્રસિંહ કમલસિંગ ધુરવા (25) નામના યુવાનને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પૂછપરછ માટે લાવ્યા હતા અને ત્યાં તેણે પુષ્પાદેવીની હત્યા કરી હોવાની પોલીસને કબૂલાત આપેલ છે. દરમ્યાન કોઈ કારણોસર નરેન્દ્રસિંહ ધુરવાની તબિયત બગડી હતી જેથી 108 મારફતે તેણે મોરબી સિવિલે લઈને આવ્યા હતા ત્યાં ફરજ ઉપરના ડોક્ટરે યુવાનને મૃત જાહેર કરીને આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી. અત્રે ઉલેખનીય છેકે, મૃતક યુવતી અને યુવાનના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસે બંનેના મૃતદેહનું ફોરેન્સિક પીએમ કરાવ્યુ હતું અને આ બનાવ સંદર્ભે હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પીએસઆઈએ ફરિયાઈ બનીને મૃતક યુવાન સામે તેની સાથે રહેતી યુવતીની હત્યાની ફરિયાદ નોંધાવેલ છે. જયારે યુવાનના મોત સંદર્ભે મોરબી બી ડિવિઝ્ન પોલીસ સ્ટેશન ખાતે અમોત દાખલ કરીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News