વાંકાનેરના વિનયગઢ ગામની સીમમાં જુદી જુદી બે જગ્યા ખનીજ ચોર ઉપર રેડ: 3.04 કરોડનો મુદ્દામાલ કબજે ટંકારામાં સિક્યુરિટી ગાર્ડની રૂમમાં ઘૂસીને માર મારીને 7 હજારની લૂંટ વાંકાનેર બાઉન્ડ્રી પાસે સ્કોર્પિયોના ચાલકે ઉડાવતા રોડ ક્રોસ કરીને ચા પીવા જતાં ટ્રક ડ્રાઈવરને ગંભીર ઇજા વાંકાનેરના જોધપર ગામે બાલદા દાઢીના રૂપિયા બાબતે બોલાચાલી કરીને યુવાનને માર માર્યો વાંકાનેરમાં યુવાનનું અપહરણ કરીને બે શખ્સોએ માર માર્યો મોરબી નજીક બોલેરોને ટ્રક ચાલકે ટક્કર મારતા યુવાનને પગમાં ફ્રેકચર મોરબીમાં ખોડિયાર માતાજીનાં મંદિરની દાન પેટીમાંથી રોકડા 50 હજારની ચોરી: બે સામે ફરિયાદ હળવદના ડુંગરપુર અને મોરબીમાંથી દારૂની 13 બોટલ સાથે કુલ 3 આરોપી પકડાયા, એકની શોધખોળ: વાંકાનેરમાં જુગાર રમતા 5 પકડાયા
Breaking news
Morbi Today

મોરબી-માળિયા તાલુકામાં સિંચાઈની સુવિધા માટે 5 કરોડના ચેકડેમ નિર્માણ-તળાવ રીચાર્જના કામ મંજુર: કાંતિલાલ અમૃતિયાની મહેનત રંગ લાવી


SHARE













મોરબી-માળિયા તાલુકામાં સિંચાઈની સુવિધા માટે 5 કરોડના ચેકડેમ નિર્માણ-તળાવ રીચાર્જના કામ મંજુર: કાંતિલાલ અમૃતિયાની મહેનત રંગ લાવી

મોરબી અને માળીયા તાલુકાના ગામડાઓમાં સિંચાઈની સગવડમાં વધારો થાય તેના માટે મોરબીના ધારાસભ્ય અને વર્તમાન રાજ્ય સરકારના મંત્રી દ્વારા અગાઉ કરવામાં આવેલ રાજુયાતોને ધ્યાને લઈને સરકાર દ્વારા સિંચાઈની સુવિધામાં વધારો કરવા માટે 5 કરોડના કામ મંજૂર કરવામાં આવેલ છે અને તે રકમમાંથી ચેક ડેમ બનાવવામાં આવશે તેમજ તળાવને રીચાર્જ કરવા માટેનું કામ કરવામાં આવશે.

મોરબીના જેતપર-શાપર ગામ વચ્ચેથી પસાર થતી ધોડધ્રોઈ નદીમાં વરસાદી પાણીનો સંગ્રહ થઇ શકે તે માટે 2,04,92,900 રૂપિયાના ખર્ચે ચેકડેમ બનાવવાનું કામ મંજૂર કર્યું છે. જેથી આગામી સમયમાં જેતપર અને શાપર ગામ વચ્ચે નદીમાં 103 મીટર લંબાઈમાં ક્રોંક્રીટનો ચેકડેમ બાંધવામાં આવશે જેથી ઉપરવાસમાં 1 કિલોમીટર સુધી પાણી ભરાયેલ રહેશે જેથી અંદાજીત 2.90 એમસીએફટી પાણીનો સંગ્રહ થશે. અને તેનો લાભ જેતપર અને શાપર ગામની અંદાજે 100 હેક્ટર ખેતીની જમીનને મળશે. આ ઉપરાંત મચ્છુ-3 સિંચાઈ યોજનાની મુખ્ય કેનાલના છેવાડેથી માળિયા તાલુકાના મોટીબરાર-જસાપર ગામના તળાવના કામ માટે 3,03,24,883 રૂપિયાની મંજૂરી આપવામાં આવી છે. જેથી મોટી બરાર, જસાપર, નાની બરાર, દેવગઢ અને જાજાસર ગામના તળાવને મેઇન કેનાલના છેવાડેથી પાઈપલાઈન દ્વારા એસ્કેપથી જોડી પાણીથી ભરવામાં આવશે. જેથી કરીને અંદાજે 500 હેક્ટર ખેતીની જમીનને સિંચાઇનો લાભ મળશે. મચ્છુ-૩ સિંચાઈ યોજનાની ચાર માઇનોર કેનાલના એસ્કેપના કામો પૈકી બાકી રહેલ એક માઈનોર કેનાલ એસ્કેપનું કામ એમટુઆર માઈનોર કેનાલ છેવાડેથી પાણીના નિકાલ માટે એસ્કેપ દ્વારા માળિયાના મેઘપર ગામના તળાવને ભરવાની કામગીરી કરાશે. જેના માટે સરકાર દ્વારા આશરે 50,65,240 રૂપિયા મંજૂર કર્યા છે. આ તળાવ ભરવાથી મેઘપર ગામના તળાવની આસપાસની 150 હેક્ટર ખેતીની જમીનને સિંચાઈના પાણીનો લાભ મળશે.






Latest News