ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબીમાં લહેરૂ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા અભિનેતા ધર્મેન્દ્રને શ્રદ્ધાંજલિ માટે ગુરૂવારે કાર્યક્રમ યોજાશે


SHARE











મોરબીમાં લહેરૂ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા અભિનેતા ધર્મેન્દ્રને શ્રદ્ધાંજલિ માટે ગુરૂવારે કાર્યક્રમ યોજાશે

દેશના સૌથી લોકપ્રીય અભિનેતા ધર્મેન્દ્રનું અવસાન થયેલ છે જેથી તેમના કરોડો ચાહકો શોકમગ્ન થયા છે.ત્યારે ધર્મેન્દ્રને તેના ચાહકો અલગ-અલગ રીતે શ્રધ્ધાંજલી આપી રહ્યા છે.જેમાં મોરબીમાં ગીત સંગીત કાર્યક્રમ દ્વારા સંગીતપ્રેમી અભિનેતા ધર્મેન્દ્રને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે.


જાણવા મળતી માહિતી મુજબ અહીંના લહેરૂ એજ્યુકેશન ટ્રસ્ટ-મોરબી દ્વારા સ્વ.ધર્મેન્દ્રજીને શ્રદ્ધાંજલિ આપવા માટે આગામી તા. ૨૭-૧૧ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ કલાકે મહાવીર સોસાયટીના સાર્વજનિક મેદાન નવા બસ સ્ટેશનની સામેની શનાળા રોડેથી રવાપર રોડ જતી શેરી મોરબી ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.ધર્મેન્દ્રજીના ચાહક એવા ડો.બી.કે.લહેરૂ તથા મોરબીની સમગ્ર જનતા તરફથી શ્રદ્ધાંજલિ આપવા આ ગીત-સંગીત કાર્યક્રમ યોજાશે.જેમાં ધર્મેન્દ્રજીની સ્મૃતિમાં તેમની ફિલ્મોના ગીત મોરબીના જાણીતા નૌશાદ મીર અને સુરસંગમ તથા વિક્ટર મેલોડી દ્વારા રજુ કરવામાં આવશે.






Latest News