મોરબીમાં તાજિયાના તહેવાર પહેલા પોલીસનું ફૂટ પેટ્રોલીંગ યોજાયું વાંકાનેરના કણકોટ ગામે જાહેરમાંથી દારૂની 224 બોટલ સાથે એક શખ્સ પકડાયો ખાનગી વીજ કંપની પાસેથી વળતરનો મામલો, મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણી ખાતે મહિલાઓ દ્વારા આનંદનો ગરબો યોજી અનોખો વિરોધ વ્યક્ત કરાયો મોરબીની જુદીજુદી શાળાઓમાં ડીડીઓ-મેયરની હાજરીમાં અને ટંકરાના જીવાપર ગામે જિલ્લા પંચાયત પ્રમુખની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો ટંકારા આઇટીઆઇ ખાતે ૩૦ જૂને યોજાશે ઔદ્યોગિક ભરતી મેળો શાળા પ્રવેશોત્સવમાં કરી જાહેરાત: વાંકાનેરના ભેરડા ગામની શાળામાં પેવાર બ્લોક માટે 3 લાખની ગ્રાન્ટ આપતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી વાંકાનેરના કોઠી અને મહિકા ગામે કલેક્ટરની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો ટંકારાના વિરપર ગામે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

હળવદ બ્રહમાકુમારી સેવા કેન્દ્ર દ્વારા શાંતિ પદયાત્રાનું આયોજન કરાયુ


SHARE











હળવદ બ્રહમાકુમારી સેવા કેન્દ્ર દ્વારા શાંતિ પદયાત્રાનું આયોજન કરાયુ

બ્રહ્માકુમારીઝ દ્વારા બિલિયન મિનટ્સ ઓફ પીસ અપીલ પ્રોજેક્ટ (મહા શાંતિદાન) અંતર્ગત સમગ્ર ગુજરાત ઝોનમાં શાંતિ પદયાત્રાનું આયોજન કરેલ હતું.જે અનુંસંધાને હળવદ બ્રહમાકુમારી સેવા કેન્દ્ર દ્વારા પણ શાંતિ પદયાત્રાનું આયોજન કરાયેલ હતું.જેનો ઉદેશ શાંતિનું મહત્વ સમજાવી વિશ્વમાં ચાલી રહેલ અશાંતિ અરાજકતા તણાવ કારભારનો બોજ વગેરેમાં શાંતિ દાન (સકારાત્મક વિચારોનું ચિંતન) તન મનને દુરસ્ત તેમજ જીવનને નવી ઉર્ઝા પ્રદાન કરે છે.સાથે સાથે સુખ પહેલા શાંતિ મહત્વની છે જે માટે આત્મિકચિંતન જ સાચી રાહ આપે છે.તો શાંતિના દિવ્ય સંદેશ સાથે યોજાયેલ આ પદયાત્રામાં શાંતિમય ગીતો સાથે સર્વને આત્મા પરમાત્મા અને પરમધામનો પરિચય આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.જેમાં બ્રહ્માકુમારી સેવાકેન્દ્રના સંચાલિકા સહિત સર્વે સેવાધારીએ સામેલ થઇને આ દિવ્ય શાંતિદાન સંદેશ માટે નિમિત્ત બન્યા હતા તથા સર્વે આત્માઓને આ નિઃશુલ્ક શાંતિદાન કાર્યક્રમમાં જોડાવા ઈશ્વરીય નિમંત્રણ આપેલ છે






Latest News