ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

હળવદના ચરાડવા ગામે રહેતા યુવાને ધંધામાં ખોટ જતા વ્યાજે લીધેલા 15.30 લાખ વસૂલવા ધાક ધમકી: પાંચ શખ્સો સામે ફરિયાદ


SHARE











હળવદના ચરાડવા ગામે રહેતા યુવાને ધંધામાં ખોટ જતા વ્યાજે લીધેલા 15.30 લાખ વસૂલવા ધાક ધમકી: પાંચ શખ્સો સામે ફરિયાદ

હળવદ તાલુકાના ચરાડવા ગામે રહેતા યુવાનને ધંધામાં ખોટ ગઈ હોવાના કારણે તેને અલગ અલગ પાંચ વ્યક્તિઓ પાસેથી કુલ મળીને 15.30 લાખ રૂપિયા ઉંચા વ્યાજે લીધા હતા અને તે વ્યાજની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી અને યુવાન પાસેથી એક શખ્સે એસબીઆઇ બેન્કના સહીવાળા કોરા ચેક સિક્યુરિટી પેટે લઈ લીધા હતા અને વ્યાજખોરો દ્વારા યુવાનને ધાક ધમકીઓ આપવામાં આવતી હતી જેથી માનસિક ત્રાસથી કંટાળીને યુવાન ઘર છોડીને જવા માટે મજબૂર બન્યો હતો ત્યારબાદ હાલમાં યુવાને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પાંચ શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

હળવદના ચરડવા ગામે રહેતા કાળુભાઈ ઉર્ફે નાગજી રૈયાભાઈ ગમારા (25) એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ભૂપેન્દ્રસિંહ ઝાલા, જયરાજભાઈ રાજેશભાઈ પઢીયાર, ધરમભારથી ભરતભારથી, પ્રતિકભાઇ મહેશભાઈ ગોસ્વામી અને દિપકભાઈ જગદીશભાઈ બાવાજી રહે. બધા ચરાડવાવાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે આજથી એકાદ વર્ષ પહેલાં તેને ધંધામાં ખોટ આવતા પાંચે આરોપીઓ પાસેથી અલગ અલગ સમયે આજે 15.30 લાખ રૂપિયા ઉંચા વ્યાજે લીધા હતા તેના વ્યાજની કડક ઉઘરાણી કરવામાં આવતી હતી અને જયરાજભાઈ પઢિયારે ફરિયાદી પાસેથી એસબીઆઇ બેન્કના સહીવાળા કોરા ચેક સિક્યુરિટી પેટે લઈ લીધા હતા અને પાંચેય આરોપીઓ દ્વારા વ્યાજની કડક ઉઘરાણી કરીને ધાક ધમકી આપી માનસિક ત્રાસ ફરિયાદીને દેવમાં આવતો હતો જેથી યુવાન ઘર છોડવા માટે મજબૂર બન્યો હતો અને આ બનાવ સંદર્ભે યુવાને નોંધાવેલ ફરીયાદ આધારે પોલીસે પાંચેય શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તાજીવીજ શરૂ કરેલ છે






Latest News