મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

ગુજરાત એસ.ટી.નિગમમાં ડી.ટી.ઓ તથા ડીસીની સમયાંતરે બદલી કરવા મુખ્યમંત્રીને રજૂઆત


SHARE











ગુજરાત એસ.ટી.નિગમમાં ડી.ટી.ઓ તથા ડીસીની સમયાંતરે બદલી કરવા મુખ્યમંત્રીને રજૂઆત

મોરબીના અન્ન અને નાગરીક પુરવઠાના પુર્વ સલાહકાર પી.પી.જોષીએ રાજયના મુખ્યમંત્રીને લેખીત રજૂઆત કરીને માંગ કરેલ છે કે ગુજરાત એસ.ટી.નિગમમાં ડી.ટી.ઓ તથા ડીસીની સમયાંતરે બદલી કરવી જોઇએ.કારણ કે ત્યાં ત્રણ વર્ષે નિયમીત બદલી થતી ન હોય તાનાશાહીના લીધે લોકો હેરાન થાય છે.

તેઓએ વધુમાં જણાવેલ છે કે હાલમાં ગુજરાત એસ.ટી. ડીવીઝનમાં વર્ષોથી એક જ જગ્યાએ અમુક ડી.સી.ફરજ બજાવે છે તેમજ ધણા ડીવીઝનમાં ડી.ટી.ઓ પણ એક જ જગ્યાએ ફરજ બજાવે છે. સરકારના મોટાભાગના વિભાગોમાં નિયમોનુસાર ત્રણ વર્ષે બદલી થતી હોય છે જે મુજબ એસટીમાં તેની અમલવારી થતી નથી તેવું જોવા મળે છે. પણ એસ.ટી.નિગમના અધિકારીઓ આ નિયમનુ ખુલ્લે આમ ભંગ કરે છે અને વર્ષોથી એકજ જગ્યાએ ડી.સી. તથા ડી.ટી.ઓ પોતાની મનમાની કરે છે પોતાની પેઢી હોય તેવું વહીવટ ચલાવે છે કોઈપણ અધિકારી અરજીનો સમયસર નિકાલ કરતા નથી અરજદારે અધિકારી વિરૂધ્ધ કરેલ અરજીનો કોઈ નિકાલ કરતા નથી અને અમદાવાદ સેન્ટ્રલ ઓફીસ ખાતે અસંખ્ય અરજી ઓ નિકાલ કર્યા વગરની એમજ પડી રહેલ છે તેમજ અમદાવાદ સેન્ટ્રલ ઓફીસ રાણીય ખાતે વર્ષોથી કર્મચારી અડીંગો જમાવીને બેઠા છે અને પોતાની રીતે વહીવટ ચલાવે છે અને ભાજપ સરકારને બદનામ કરે છે આની અસર આવતી ચુંટણીમા જરૂર આપને જોવા મળશે આવા ત્રણ વર્ષોથી ઉપરના અધિકારી કર્મચારીને તાત્કાલીક બદલી કરવાની આપના લેવલે સુચના આપશો જેથી વહીવટ સારી રીતે ચાલે અને પ્રજાને પુરતો લાભ મળી શકે હાલનો વહીવટ અંધેરીનગરીને ગંડુરાજા જેવો ચાલે છે હાલમાં ૪ થી ૫ રેગ્યુલર ડી.સી. ફરજ બજાવે છે તો ડી.ટી.ઓને પ્રમોશન આપી રેગ્યુલર ડી.સી. બનાવવા જરૂરી છે તો આ બાબતે આપ સાહેબ યોગ્ય કરવા મારી વિનંતી છે.






Latest News