મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

ગુજરાત એસ.ટી.નિગમમાં ડી.ટી.ઓ તથા ડીસીની સમયાંતરે બદલી કરવા મુખ્યમંત્રીને રજૂઆત


SHARE







ગુજરાત એસ.ટી.નિગમમાં ડી.ટી.ઓ તથા ડીસીની સમયાંતરે બદલી કરવા મુખ્યમંત્રીને રજૂઆત

મોરબીના અન્ન અને નાગરીક પુરવઠાના પુર્વ સલાહકાર પી.પી.જોષીએ રાજયના મુખ્યમંત્રીને લેખીત રજૂઆત કરીને માંગ કરેલ છે કે ગુજરાત એસ.ટી.નિગમમાં ડી.ટી.ઓ તથા ડીસીની સમયાંતરે બદલી કરવી જોઇએ.કારણ કે ત્યાં ત્રણ વર્ષે નિયમીત બદલી થતી ન હોય તાનાશાહીના લીધે લોકો હેરાન થાય છે.

તેઓએ વધુમાં જણાવેલ છે કે હાલમાં ગુજરાત એસ.ટી. ડીવીઝનમાં વર્ષોથી એક જ જગ્યાએ અમુક ડી.સી.ફરજ બજાવે છે તેમજ ધણા ડીવીઝનમાં ડી.ટી.ઓ પણ એક જ જગ્યાએ ફરજ બજાવે છે. સરકારના મોટાભાગના વિભાગોમાં નિયમોનુસાર ત્રણ વર્ષે બદલી થતી હોય છે જે મુજબ એસટીમાં તેની અમલવારી થતી નથી તેવું જોવા મળે છે. પણ એસ.ટી.નિગમના અધિકારીઓ આ નિયમનુ ખુલ્લે આમ ભંગ કરે છે અને વર્ષોથી એકજ જગ્યાએ ડી.સી. તથા ડી.ટી.ઓ પોતાની મનમાની કરે છે પોતાની પેઢી હોય તેવું વહીવટ ચલાવે છે કોઈપણ અધિકારી અરજીનો સમયસર નિકાલ કરતા નથી અરજદારે અધિકારી વિરૂધ્ધ કરેલ અરજીનો કોઈ નિકાલ કરતા નથી અને અમદાવાદ સેન્ટ્રલ ઓફીસ ખાતે અસંખ્ય અરજી ઓ નિકાલ કર્યા વગરની એમજ પડી રહેલ છે તેમજ અમદાવાદ સેન્ટ્રલ ઓફીસ રાણીય ખાતે વર્ષોથી કર્મચારી અડીંગો જમાવીને બેઠા છે અને પોતાની રીતે વહીવટ ચલાવે છે અને ભાજપ સરકારને બદનામ કરે છે આની અસર આવતી ચુંટણીમા જરૂર આપને જોવા મળશે આવા ત્રણ વર્ષોથી ઉપરના અધિકારી કર્મચારીને તાત્કાલીક બદલી કરવાની આપના લેવલે સુચના આપશો જેથી વહીવટ સારી રીતે ચાલે અને પ્રજાને પુરતો લાભ મળી શકે હાલનો વહીવટ અંધેરીનગરીને ગંડુરાજા જેવો ચાલે છે હાલમાં ૪ થી ૫ રેગ્યુલર ડી.સી. ફરજ બજાવે છે તો ડી.ટી.ઓને પ્રમોશન આપી રેગ્યુલર ડી.સી. બનાવવા જરૂરી છે તો આ બાબતે આપ સાહેબ યોગ્ય કરવા મારી વિનંતી છે.






Latest News