વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે મોરબીમાં ડ્રેનેજ-સ્ટ્રોમ વોટરના કામ માટે જુદાજુદા ત્રણ રોડને પોણો મહિના સુધી બંધ કરાયા મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા
Breaking news
Morbi Today

મોરબીમાં ચિઠ્ઠી વડે નંબર આપ્યા બાદ સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો


SHARE











મોરબીમાં ચિઠ્ઠી વડે નંબર આપ્યા બાદ સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો

મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા પરિવારની સગીર વયની દીકરીને લગ્નની લાલચ આપીને બદકામ કરવાના ઇરાદે અપહરણ કરી જવામાં આવેલ હોય ભોગ બનનાર સગીરાની માતા દ્વારા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથક ખાતે એક ઇસમની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે અપહરણ-પોકસો સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરેલ છે.

મોરબી સીટી બી ડીવીઝન પોલીસસુત્રો દ્રારા પ્રાપ્ત માહીતી મુજબ મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા એક પરિવારની સગીર વયની દીકરીનું અપહરણ કરવામાં આવેલ છે.થોડા દિવસો પહેલા સગીરાના રહેણાંક વિસ્તારમાં મેલડી માતાજીના માંડવાનું આયોજન થયેલ હતુ.તે સમયે મોરબીના સામાકાંઠે ત્રાજપર વિસ્તારમાં રહેતો રાજ ઉર્ફે ધુલો સવશીભાઈ કુંવરીયા ત્યાં આવ્યો હતો અને યુવતી સગીરવયની હોવાનું જાણતો હોવા છતાં ચીઠ્ઠીમાં પોતાના નંબર લખીને સગીરાને તે ચીઠ્ઠી આપેલ હતી.બાદમાં લગ્નની લાલચ આપીને ગત તા.૧૧-૧૧-૨૫ ના વહેલી સવારે છએક વાગ્યાના અરસામાં સગીરાનું અપહરણ કરી જવામાં આવ્યુ હતુ.જેથી ભોગ બનનાર સગીરાની માતાએ રાજ કુંવરીયાની સામે ફરિયાદ નોંધાવતા બી ડિવિઝન પોલીસ મથકના પીઆઇ વી.એન.પરમારે અપહરણ, પોકસો સહીતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.હાલ સગીરાની ભાળ મેળવવા તથા આરોપીને પકડી પાડવા પોલીસે જુદીજુદી દિશામાં તપાસ હાથ ધરેલ છે.






Latest News