ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

હળવદમાં વ્યાજખોરોના ત્રાસ તથા લોનની ઉઘરાણીથી કંટાળીને યુવા કારખાનેદારે કર્યો આપઘાત


SHARE











ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં ઘણી વખત વ્યાજખોરોના ત્રાસના કારણે અઘટિત બનાવો બનતા હોય છે તેવો જ બનાવ આજે મોરબી જિલ્લાના હળવદ શહેરની અંદર રહેતા કારખાનેદાર સાથે બનેલ છે જેમા વ્યાજખોરોના ત્રાસના કારણે તથા બેંકમાંથી લીધેલ લોનની ઉઘરાણીથી કંટાળીને યુવાને પોતે પોતાના કારખાને સવારે ગાડી લઈને ગયા બાદ ત્યાં પોતાની ગાડીમાં બેઠા બેઠા ઝેરી દવા પીને ગાડીની અંદર જ આપઘાત કરી લીધો હતો અને ત્યારબાદ તે મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની હળવદ પોલીસને જાણ કરતાં પોલીસ ત્યાં પહોંચી હતી અને મૃતક યુવાન પાસેથી એક સ્યુસાઇટ નોટ મળી આવી છે જે પોલીસ દ્વારા કબજે કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

હળવદ શહેરમાં સરા રોડ ઉપર રહેતા કારખાનેદાર નવનીતભાઈ રૂગનાથભાઈ આદ્રોજા (44) નામનો યુવાન રાબેતા મુજબ આજે સવારે માળિયા હળવદ હાઇવે રોડ ઉપર કેદારીયા ગામ પાસે આવેલ તેની અનાજ સાફ કરવાના કારખાને યુવાન ગયો હતો ત્યાં જઈને પોતાની જ ક્રેટા ગાડી ની અંદર બેઠા બેઠા ઝેરી દવા પી લીધી હતી જેથી તે યુવાનનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતુ ત્યારબાદ આ બનાવની મૃતક કારખાનેદારના ભાગીદારને જાણ થતા તેણે 112 માં આ બનાવની જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે. વધુમાં મળતી વિગત પ્રમાણે મૃતક યુવાન પાસેથી એક સ્યુસાઇડ નોટ મળી આવી હતી જેને હળવદ પોલીસ દ્વારા કબજે કરવામાં આવી છે અને આ સુસાઇડ નોટની અંદર મૃતક યુવાને વ્યાજખોરોનો ત્રાસ હોવાનો તેમજ બેંકમાંથી તેણે લીધેલી લોનના હપ્તા ન કરી શકતા બેંકની લોનની ઉઘરાણીનો ત્રાસ હતો તેવો ઉલ્લેખ કર્યો હાવોનું ચર્ચાઇ રહ્યુ છે. ત્યારે મૃતક નવનીતભાઈની સુસાઇડ નોટને કબ્જે કરીને સ્થાનિક પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News