મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો: પ્રેસિડેન્ટ તરીકે ડો. સુષ્માબેન દુધરેજીયા


SHARE













મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો: પ્રેસિડેન્ટ તરીકે ડો. સુષ્માબેન દુધરેજીયા

મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવા વર્ષનું સભ્યોનું સ્નેહમિલન, મોરબીના પત્રકારનું સન્માન અને વર્ષ 2025 26  માટે પ્રમુખ સહિતના હોદેદારોની વરણી કરવામાં આવી હતી. ત્યારે રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયા હાજર રહ્યા હતા અને બહેનો દ્વારા કરવામાં આવતી સેવાકીય કામગીરીને તેઓએ બિરદાવી હતી.

મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબના વર્ષ 2025-26 માં પ્રેસિડેન્ટ તરીકે ડો. સુષ્માબેન દુધરેજીયા, સેક્રેટરી તરીકે મનીષાબેન ગણાત્રા, વાઇસ પ્રેસિડેન્ટ તરીકે સાધનાબેન ઘોડાસરા, પુનમબેન હિરાણી, કામિનીબેન તેમજ ટ્રેઝરર તરીકે પ્રીતિબેન દેસાઈએ શપથ લીધા હતા. અને ક્લબના ફાઉન્ડર એવા શોભનાવા ઝાલાએ સૌને તન- મન -ધનથી સમર્પિત થઈને મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા મોરબી શહેરની જનતાને ઉપયોગી થાય તેવા સેવાકીય કાર્યો તેમજ મહિલાઓના વિકાસ માટેના કાર્યો કરવાના શપથ લેવડાવ્યા હતા. ત્યારે બાદ પાસ્ટ પ્રેસિડેન્ટ મયુરીબેન કોટેચાએ ડો.સુષ્માબેન દુધરેજીયાને પ્રેસિડેન્ટ તરીકેની પિન પહેરાવીને નવા વર્ષની જવાબદારી હોશ પૂર્વક સોંપી હતી.

આ કાર્યક્રમમાં મોરબીના ધારાસભ્ય અને રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયા ખાસ હાજર રહ્યા હતા અને ખાસ કરીને બહેનો દ્વારા જે સેવાકીય કામો મોરબીમાં કરવામાં આવી રહ્યા છે તેને બિરદાવીને તેઓની કામગીરી હજુ પણ વધુ સારી અને લોક ઉપયોગી બને તેની શુભકામનાઓ પાઠવી હતી. ત્યાર બાદ વર્ષ 2017 થી આ સંસ્થાની કામગીરીને વધુમાં વધુ લોકો સુધી પહોચાડીને બહેનોને પ્રોત્સાહિત કરતાં મોરબીના પત્રકારોનું સંસ્થાના હોદેદારો દ્વારા શિલ્ડ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મોરબી પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજામ ચીફ ઓફિસર ગિરીશભાઈ સરૈયા, જે.પી. જેસવાણી, મોરબી સિવિલના સુપ્રિટેન્ડન્ટ ડો.પ્રદીપ દુધરેજીયા, જગદીશભાઈ ઘોડાસરા, પ્રફુલાબેન કોટેચા તેમજ ભારતીબેન પુજારા સહિતના હાજર રહ્યા હતા આ કાર્યક્રમનું સંચાલન પ્રીતિબેન દેસાઈ તેમજ નયનાબેન બારાએ કર્યું હતું.






Latest News