મોરબીના નવા ફડસર ગામે માલિકીની જગ્યામાં કરેલ કચરાના ઢગલા ઉપાડવાનું કહેતા વૃદ્ધ ઉપર બે શખ્સોએ કર્યો કુહાડી અને ધોકા વડે હુમલો હળવદના સાપકડા ગામે વાડીના શેઢે ઉભા કરેલા થાંભલા કાઢી નાખતા શખ્સને સમજાવવા ગયેલ આધેડને માથામાં ધોકો ફટકારતા 8 ટાંકા આવ્યા હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા બંને યુવાનોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડાયા વાંકાનેરના રાજા વડલા ગામે વાડી આવેલ કુવામાં કોઈપણ કારણોસર પડી જવાથી વૃદ્ધનું મોત ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી
Breaking news
Morbi Today

મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો: પ્રેસિડેન્ટ તરીકે ડો. સુષ્માબેન દુધરેજીયા


SHARE











મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો: પ્રેસિડેન્ટ તરીકે ડો. સુષ્માબેન દુધરેજીયા

મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવા વર્ષનું સભ્યોનું સ્નેહમિલન, મોરબીના પત્રકારનું સન્માન અને વર્ષ 2025 26  માટે પ્રમુખ સહિતના હોદેદારોની વરણી કરવામાં આવી હતી. ત્યારે રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયા હાજર રહ્યા હતા અને બહેનો દ્વારા કરવામાં આવતી સેવાકીય કામગીરીને તેઓએ બિરદાવી હતી.

મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબના વર્ષ 2025-26 માં પ્રેસિડેન્ટ તરીકે ડો. સુષ્માબેન દુધરેજીયા, સેક્રેટરી તરીકે મનીષાબેન ગણાત્રા, વાઇસ પ્રેસિડેન્ટ તરીકે સાધનાબેન ઘોડાસરા, પુનમબેન હિરાણી, કામિનીબેન તેમજ ટ્રેઝરર તરીકે પ્રીતિબેન દેસાઈએ શપથ લીધા હતા. અને ક્લબના ફાઉન્ડર એવા શોભનાવા ઝાલાએ સૌને તન- મન -ધનથી સમર્પિત થઈને મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા મોરબી શહેરની જનતાને ઉપયોગી થાય તેવા સેવાકીય કાર્યો તેમજ મહિલાઓના વિકાસ માટેના કાર્યો કરવાના શપથ લેવડાવ્યા હતા. ત્યારે બાદ પાસ્ટ પ્રેસિડેન્ટ મયુરીબેન કોટેચાએ ડો.સુષ્માબેન દુધરેજીયાને પ્રેસિડેન્ટ તરીકેની પિન પહેરાવીને નવા વર્ષની જવાબદારી હોશ પૂર્વક સોંપી હતી.

આ કાર્યક્રમમાં મોરબીના ધારાસભ્ય અને રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયા ખાસ હાજર રહ્યા હતા અને ખાસ કરીને બહેનો દ્વારા જે સેવાકીય કામો મોરબીમાં કરવામાં આવી રહ્યા છે તેને બિરદાવીને તેઓની કામગીરી હજુ પણ વધુ સારી અને લોક ઉપયોગી બને તેની શુભકામનાઓ પાઠવી હતી. ત્યાર બાદ વર્ષ 2017 થી આ સંસ્થાની કામગીરીને વધુમાં વધુ લોકો સુધી પહોચાડીને બહેનોને પ્રોત્સાહિત કરતાં મોરબીના પત્રકારોનું સંસ્થાના હોદેદારો દ્વારા શિલ્ડ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મોરબી પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજામ ચીફ ઓફિસર ગિરીશભાઈ સરૈયા, જે.પી. જેસવાણી, મોરબી સિવિલના સુપ્રિટેન્ડન્ટ ડો.પ્રદીપ દુધરેજીયા, જગદીશભાઈ ઘોડાસરા, પ્રફુલાબેન કોટેચા તેમજ ભારતીબેન પુજારા સહિતના હાજર રહ્યા હતા આ કાર્યક્રમનું સંચાલન પ્રીતિબેન દેસાઈ તેમજ નયનાબેન બારાએ કર્યું હતું.






Latest News