મોરબી જિલ્લા-5 તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટેનું રોટેશન જાહેર કરાયું ઈરાન-ઇઝરાયલનું યુદ્ધ મોરબીમાં આવેલ વિશ્વ કક્ષાના સિરામિક ઉદ્યોગનો મૃત્યુ ઘંટ વગાડશે !: નેચરલ-પ્રોપેન ગેસના ભાવમાં બમણો વધારો રેકોર્ડ બ્રેક સંખ્યા: મોરબીમાં સમસ્ત જૈન સમાજની સંયુક્ત આયંબિલ ઓળીમાં તપસ્વીઓનો આંકડો ૫૫૧ સુધી પહોચ્યો મોરબીની ગજાનન પાર્ક સોસાયટીમાં રામ નવમીની શોભાયાત્રા સાથે ભવ્ય ઉજવણી કરાઇ મોરબીમાં બે અને ટંકારામાં એક વિદેશી દારૂની રેડ: 337 બોટલ દારૂ ઝડપાયો, બે આરોપી પકડાયા-બેની શોધખોળ મોરબી અગાઉ કરેલ ફરિયાદ અને રૂપિયાની લેતી દેતીનો ખાર રાખીને યુવાનને ફોન ઉપર ધાક ધમકી વાંકાનેરમાં અપમૃત્યુના બે બનાવ: બીમારીથી કંટાળીને મહિલાએ કર્યો આપઘાત-લુહારની વાડી પાસે હાર્ટ એટેકથી વૃદ્ધનું મોત વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે
Breaking news
Morbi Today

મોરબીમાં આગમી ઉતરાયણના દિવસે મહારાણા પ્રતાપ સર્કલ પાસે પણ પક્ષી સારવાર કેન્દ્ર કાર્યરત કરાશે


SHARE











મોરબીમાં આગમી ઉતરાયણના દિવસે મહારાણા પ્રતાપ સર્કલ પાસે પણ પક્ષી સારવાર કેન્દ્ર કાર્યરત કરાશે

મોરબીમાં કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા આગામી ઉત્તરાયણના દિવસે પક્ષી બચાવો અભિયાન અંતર્ગત મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ પાસે પક્ષી સારવાર કેન્દ્ર શરૂ કરવામાં આવશે.

મોરબીમાં કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પતંગની દોરીથી ઘાયલ થતા અબોલ પક્ષીઓની સારવાર માટે પક્ષી બચાવો અભિયાન કરવામાં આવશે જેમાં છેલ્લા ઘણા વર્ષોથી મોરબીના રવાપર રોડ ઉપર પક્ષી સારવાર કેન્દ્ર ઊભું કરવામાં આવે છે. જ્યાં ૧૫૦ થી વધુ પક્ષીઓની સધન સારવાર કરવામાં આવે છે. તેમજ હવે આગામી ઉત્તરાયણમાં કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા મોરબીના સામાકાંઠે વિસ્તારમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે પક્ષી સારવાર કેન્દ્ર ઊભું કરવામાં આવશે. જેથી મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ઘાયલ થતા પક્ષીઓને તાત્કાલિક અને સમયસર સારવાર મળી શકે. વધુ માહીતી માટે કર્તવ્ય જીવદયા કેન્દ્ર મોબાઇલ નંબર ૭૫૭૪૮ ૮૫૭૪૭ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયેલ છે.






Latest News