મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબીમાં આગમી ઉતરાયણના દિવસે મહારાણા પ્રતાપ સર્કલ પાસે પણ પક્ષી સારવાર કેન્દ્ર કાર્યરત કરાશે


SHARE







મોરબીમાં આગમી ઉતરાયણના દિવસે મહારાણા પ્રતાપ સર્કલ પાસે પણ પક્ષી સારવાર કેન્દ્ર કાર્યરત કરાશે

મોરબીમાં કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા આગામી ઉત્તરાયણના દિવસે પક્ષી બચાવો અભિયાન અંતર્ગત મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ પાસે પક્ષી સારવાર કેન્દ્ર શરૂ કરવામાં આવશે.

મોરબીમાં કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પતંગની દોરીથી ઘાયલ થતા અબોલ પક્ષીઓની સારવાર માટે પક્ષી બચાવો અભિયાન કરવામાં આવશે જેમાં છેલ્લા ઘણા વર્ષોથી મોરબીના રવાપર રોડ ઉપર પક્ષી સારવાર કેન્દ્ર ઊભું કરવામાં આવે છે. જ્યાં ૧૫૦ થી વધુ પક્ષીઓની સધન સારવાર કરવામાં આવે છે. તેમજ હવે આગામી ઉત્તરાયણમાં કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા મોરબીના સામાકાંઠે વિસ્તારમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે પક્ષી સારવાર કેન્દ્ર ઊભું કરવામાં આવશે. જેથી મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ઘાયલ થતા પક્ષીઓને તાત્કાલિક અને સમયસર સારવાર મળી શકે. વધુ માહીતી માટે કર્તવ્ય જીવદયા કેન્દ્ર મોબાઇલ નંબર ૭૫૭૪૮ ૮૫૭૪૭ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયેલ છે.






Latest News