મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના રાજપર ગામે પાણીના સંપમાં નર્મદાની લાઇનમાંથી મૃત હાલતમાં માછલાં આવ્યા !, ફિલ્ટર પાણીનો છેદ જ ઊડી ગયો


SHARE







મોરબીના રાજપર ગામે પાણીના સંપમાં નર્મદાની લાઇનમાંથી મૃત હાલતમાં માછલાં આવ્યા !, ફિલ્ટર પાણીનો છેદ જ ઊડી ગયો

મોરબીના રાજપર ગામે નર્મદાનું પાણી પાઇપલાઇન મારફતે લોકોને પીવા માટે સપ્લાય કરવામાં આવે છે જોકે, આ પાણી છેલ્લા કેટલાક દિવસોથી દુર્ગંધ વાળું આવતું હતું અને શનિવારે જે પાણી ગામના સંપ સુધી મોકલવામાં આવ્યું તેમાં મૃત માછલાઓ પણ પાણી સાથે આવ્યા હોવાથી આ બાબત લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરવા સમાન હોય લોકોમાં પાણીજન્ય રોગચાળો ફાટી નીકળે તે પહેલા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી ગામના સરપંચ દ્વારા માંગ કરવામાં આવેલ છે.

ચોમાસાએ હજુ તો વિદાય લીધી છે અને સ્થાનિક જળાશયો પાણીથી છલોછલ ભર્યા છે તેમ છતાં પણ કેટલાક ગ્રામ્ય વિસ્તારોની અંદર દૂષિત પાણીની સપ્લાય થતી હોય તેવી રાવ છેલ્લા દિવસોથી ઉઠી રહી છે તેવામાં મોરબી નજીકના રાજપર ગામના સરપંચ ભરતભાઇ પાસેથી જાણવા મળતી વિગતે પ્રમાણે છેલ્લા ત્રણ થી ચાર દિવસથી તેઓના ગામના સંપમાં નર્મદાની લાઈન મારફતે હરીપર સંપથી પાણી મોકલાવવામાં આવે છે તે પાણી દૂષિત પાણી હોય દુર્ગંધ આવતી હોવાની ફરિયાદ ગામના લોકો કરતા હતા તેવામાં શનિવારે જે પાણી સપ્લાય કરવામાં આવ્યું હતું તેમાં પાઇપલાઇન મારફતે મૃત હાલતમાં માછલાઓ રાજપર ગામના સંપ સુધી આવ્યા હતા જેથી લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા જેવી બાબત સામે આવી હોય લોકોમાં પાણીજન્ય રોગચાળો ફાટી નીકળે ત્યારે પહેલા જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને રાજપર સહિતના ગ્રામ્ય વિસ્તારના લોકોને શુદ્ધ પાણી પીવા માટે મળે તેવી લાગણી રાજપર ગામના સરપંચ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.






Latest News