મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના રાજપર ગામે પાણીના સંપમાં નર્મદાની લાઇનમાંથી મૃત હાલતમાં માછલાં આવ્યા !, ફિલ્ટર પાણીનો છેદ જ ઊડી ગયો


SHARE











મોરબીના રાજપર ગામે પાણીના સંપમાં નર્મદાની લાઇનમાંથી મૃત હાલતમાં માછલાં આવ્યા !, ફિલ્ટર પાણીનો છેદ જ ઊડી ગયો

મોરબીના રાજપર ગામે નર્મદાનું પાણી પાઇપલાઇન મારફતે લોકોને પીવા માટે સપ્લાય કરવામાં આવે છે જોકે, આ પાણી છેલ્લા કેટલાક દિવસોથી દુર્ગંધ વાળું આવતું હતું અને શનિવારે જે પાણી ગામના સંપ સુધી મોકલવામાં આવ્યું તેમાં મૃત માછલાઓ પણ પાણી સાથે આવ્યા હોવાથી આ બાબત લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરવા સમાન હોય લોકોમાં પાણીજન્ય રોગચાળો ફાટી નીકળે તે પહેલા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી ગામના સરપંચ દ્વારા માંગ કરવામાં આવેલ છે.

ચોમાસાએ હજુ તો વિદાય લીધી છે અને સ્થાનિક જળાશયો પાણીથી છલોછલ ભર્યા છે તેમ છતાં પણ કેટલાક ગ્રામ્ય વિસ્તારોની અંદર દૂષિત પાણીની સપ્લાય થતી હોય તેવી રાવ છેલ્લા દિવસોથી ઉઠી રહી છે તેવામાં મોરબી નજીકના રાજપર ગામના સરપંચ ભરતભાઇ પાસેથી જાણવા મળતી વિગતે પ્રમાણે છેલ્લા ત્રણ થી ચાર દિવસથી તેઓના ગામના સંપમાં નર્મદાની લાઈન મારફતે હરીપર સંપથી પાણી મોકલાવવામાં આવે છે તે પાણી દૂષિત પાણી હોય દુર્ગંધ આવતી હોવાની ફરિયાદ ગામના લોકો કરતા હતા તેવામાં શનિવારે જે પાણી સપ્લાય કરવામાં આવ્યું હતું તેમાં પાઇપલાઇન મારફતે મૃત હાલતમાં માછલાઓ રાજપર ગામના સંપ સુધી આવ્યા હતા જેથી લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા જેવી બાબત સામે આવી હોય લોકોમાં પાણીજન્ય રોગચાળો ફાટી નીકળે ત્યારે પહેલા જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને રાજપર સહિતના ગ્રામ્ય વિસ્તારના લોકોને શુદ્ધ પાણી પીવા માટે મળે તેવી લાગણી રાજપર ગામના સરપંચ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.






Latest News