મોરબીના ન્યુ ચંદ્રનગરમાં શ્રીમદ્ સપ્તાહમાં શિવજી વિવાહનો પ્રસંગ ઉજવાયો વાંકાનેરના ઓળ ગામના હળદર ધાર વિસ્તારમાં ખનીજ માફિયા ઉપર પોલીસે-ખાણ ખનીજની ટિમ ત્રાટકી: 4.10 કરોડનો મુદામાલ કબ્જે માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર છરી વડે હુમલો કરનારા શખ્સની ધરપકડ  મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત
Breaking news
Morbi Today

મોરબી ખેડુતોનાં સંપૂર્ણ દેવા માફીની માંગણી સાથે વાંકાનેર આવી રહેલ ખેડુત આક્રોશ યાત્રામાં ઉમટી પડવા કિશોર ચિખલીયાની હાકલ


SHARE











મોરબી ખેડુતોનાં સંપૂર્ણ દેવા માફીની માંગણી સાથે વાંકાનેર આવી રહેલ ખેડુત આક્રોશ યાત્રામાં  ઉમટી પડવા કિશોર ચિખલીયાની હાકલ 

સમગ્ર ગુજરાતમાં કમૌસમી વરસાદથી ખેડુતોની માઠી પરિસ્થિતિનું નિર્માણ થતા ખેડુતોનાં સંપૂર્ણ દેવા માફીની માંગણી સાથે આવતા સોમવાર તા.૧૦-૧૧ નાં રોજ ૧૦:૩૦ કલાકે સવારે
ખેડુત આક્રોશ યાત્રા મોરબી જીલ્લાનાં વાંકાનેર તાલુકામાં આવી રહી છે.ત્યારે આ યાત્રામાં રાષ્ટ્રીય સેવાદળનાં અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈ, ખેડુત નેતા પાલભાઈ આંબલીયા,પૂર્વ ધારાસભ્ય લલીતભાઈ વસોયા, પૂર્વ ધારાસભ્ય મહમંદ જાવીદ પીરઝાદા, પૂર્વ ધારાસભ્ય લલીતભાઈ કગથરા અને યાત્રાનાં કન્વીનર પૂર્વ ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાત, પૂર્વ ધારાસભ્ય પ્રવિણભાઈ મુછડીયા અને દશરથસિંહ સરવૈયા સહિતનાંઓ ઊપસ્થિત રહેવાના હોય ખેડુતોની આ વાજબી માંગને બુલંદ કરવા મોરબી જીલ્લામાં આ યાત્રાનાં સ્વાગત માટેનાં કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઊપસ્થિત રહેવા સર્વે ખેડુતમિત્રોને મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિના  પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ આહવાન કરેલ છે.






Latest News