મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબી ખેડુતોનાં સંપૂર્ણ દેવા માફીની માંગણી સાથે વાંકાનેર આવી રહેલ ખેડુત આક્રોશ યાત્રામાં ઉમટી પડવા કિશોર ચિખલીયાની હાકલ


SHARE







મોરબી ખેડુતોનાં સંપૂર્ણ દેવા માફીની માંગણી સાથે વાંકાનેર આવી રહેલ ખેડુત આક્રોશ યાત્રામાં  ઉમટી પડવા કિશોર ચિખલીયાની હાકલ 

સમગ્ર ગુજરાતમાં કમૌસમી વરસાદથી ખેડુતોની માઠી પરિસ્થિતિનું નિર્માણ થતા ખેડુતોનાં સંપૂર્ણ દેવા માફીની માંગણી સાથે આવતા સોમવાર તા.૧૦-૧૧ નાં રોજ ૧૦:૩૦ કલાકે સવારે
ખેડુત આક્રોશ યાત્રા મોરબી જીલ્લાનાં વાંકાનેર તાલુકામાં આવી રહી છે.ત્યારે આ યાત્રામાં રાષ્ટ્રીય સેવાદળનાં અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈ, ખેડુત નેતા પાલભાઈ આંબલીયા,પૂર્વ ધારાસભ્ય લલીતભાઈ વસોયા, પૂર્વ ધારાસભ્ય મહમંદ જાવીદ પીરઝાદા, પૂર્વ ધારાસભ્ય લલીતભાઈ કગથરા અને યાત્રાનાં કન્વીનર પૂર્વ ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાત, પૂર્વ ધારાસભ્ય પ્રવિણભાઈ મુછડીયા અને દશરથસિંહ સરવૈયા સહિતનાંઓ ઊપસ્થિત રહેવાના હોય ખેડુતોની આ વાજબી માંગને બુલંદ કરવા મોરબી જીલ્લામાં આ યાત્રાનાં સ્વાગત માટેનાં કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઊપસ્થિત રહેવા સર્વે ખેડુતમિત્રોને મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિના  પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ આહવાન કરેલ છે.






Latest News