ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

કેન્દ્ર સરકાર દ્વારા વસ્તી ગણતરી-૨૦૨૭ પ્રિટેસ્ટ માટે ટંકારાના ૨૫ ગામોની પસંદગી: શિક્ષકોને તાલીમબદ્ધ કરાયા


SHARE











કેન્દ્ર સરકાર દ્વારા વસ્તી ગણતરી-૨૦૨૭ પ્રિટેસ્ટ માટે ટંકારાના ૨૫ ગામોની પસંદગી: શિક્ષકોને તાલીમબદ્ધ કરાયા

ભારતની વસ્તી ગણતરી૨૦૨૭ ને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા દેશવ્યાપી પ્રિટેસ્ટિંગની પ્રક્રિયા હાથ ધરવામાં રહી છે. જે અંતર્ગત પ્રિટેસ્ટિંગ માટે મોરબી જિલ્લાના ટંકારા તાલુકાની પસંદગી કરવામાં આવી છે અને ૨૫ ગામનો આ પ્રક્રિયામાં સમાવેશ કરવામાં આવ્યો છે. જે કામગીરીના ભાગરૂપે ટંકારામાં એમપી દોષી વિદ્યાલય ખાતે બે બેચમાં શિક્ષકોને વિશેષ તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમમાં ગાંધીનગરથી આવેલી ટીમ દ્વારા જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ ગામોમાં વસ્તી પ્રોફાઇલ, પરિવારોની સંખ્યા, વર્ગીકરણ, શિક્ષણ, રોજગાર, આવાસ સુવિધા, ખાણી પાણી અને સ્વચ્છતા જેવી માહિતીઓને ડિજિટલ પદ્ધતિથી ચોક્કસ રીતે એકત્ર કરવાની પદ્ધતિ સમજાવવાનો છે. જેથી આ તાલીમ દ્વારા  વસ્તી ગણતરીની કામગીરી ડિજિટલ રૂપે કરવા મોબાઈલ એપમાં સર્વે, ડિજિટલ ડેટા કલેકશન, ગણતરીની એન્ટ્રી અને કુટુંબની લેવાની જરૂરી માહિતી તથા વસતી ગણતરી અંગે પ્રાથમિક જાણકારી શિક્ષકોને આપવામાં આવી હતી. ઉપરાંત સર્વે સમયે લોકો સાથે સદભાવપૂર્ણ વ્યવહાર, ડેટાની ગુપ્તતા અને સચોટતા અંગે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ટંકારા તાલુકાના કુલ ૨૫ ગામો માટે પસંદ કરાયેલા શિક્ષકો આગામી દિવસોમાં પ્રાયોગિક સર્વે હાથ ધરશે. આ પ્રિટેસ્ટના આધારે આગામી મુખ્ય વસ્તી ગણતરી પ્રક્રિયા વધુ અસરકારક બનશે. આ તાલીમમાં તાલુકાના મામલતદાર પી.એન. ગોર, નાયબ મામલતદાર પી.એચ. પરમાર અને કર્મચારીઓ, શાળાના શિક્ષકો અને તાલીમ માટે નિષ્ણાત ટીમ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.






Latest News